Thursday, 31 January 2013


જે કઈ પણ માન્યતા છે તે મારી નિજી માન્યતા છે. સૌ એ સ્વીકારે એવિ અપેક્ષા રાખવી એ મૂર્ખામી ગણાશે. માટે હું એ અપેક્ષા રાખતો નથી.

થોડું ઘણું જે કઈ ભણ્યો. શું શું ભણ્યો એ બધુ જ ભૂલી ગયો ત્યાં સુધી કે આ રચના જે મે આત્મ સાત કરી છે, પણ ! આ રચયતાનું નામ હું ભૂલી ગયો છું.(અને બસ એ ભૂલ માટે હું શર્મિંદગી અનુભવું છું. )

‘કોઈ યાદ અપાવશે તો ખુશી થશે.’ એ મહાન કવિએ કહેલું મને સતત ગમતું વાક્ય જેને મે જીવનમાં કાયમ ઉતારી લીધું છે.

“તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો.
ખારા જળનો દરિયો ભરીયો મીઠા જળનો લોટો.

બસ આ વાક્ય મુજબ હું કોઈને પણ નાના નથી સમજતો. બધા પોતાની જગ્યાએ પોતાના ગજા મુજબ મોટા જ હોય છે એ હું સહર્ષ સ્વીકારું છું.

હવે આગળ ....

થોડા દિવસના વિરામ બાદ,એટલે કે અલ્પ વિરામ.... જી હા.! જીવનમાં ક્યારેય પૂર્ણ વિરામ ના લાગી શકે. મૃત્યુ એ પણ આમ તો જીવન આગળ લાગેલું અલ્પ વિરામ જ હોય છે. કેમ કે તે પછી પણ જીવન હોય છે.

એ હું દ્રઢ પણે માનું છું. અને અનુભવું પણ છું. મારા પોતાના જીવનમાં એવિ અસંખ્ય ઘટનાઓ બની છે. ને બનતી જ રહે છે. જેના પરથી હું કહી શકું છું, કે આ પહેલા પણ મૃત્યુ નામનું અલ્પ વિરામ મારા જીવન આગળ લાગી ચૂક્યું હતું, કિન્તુ એ અલ્પ જ હતું, અને આજે ફરી હું અહી જીવંત રૂપે હાજર છું.

હાં ! ફરી કોઈ કાળે કોઈ નિશ્ચિત સમયે લાગશે ! મારા જીવન આગળ ફરી એક વાર અલ્પ વિરામ,,,,!

જેને લોકો પૂર્ણ વિરામ સમજશે.! બસ આમજ આ ઘટના નિરંતર ચાલ્યા કરે છે ને ચાલતી જ રહેશે .! હવે મે નિશ્ચય કર્યો છે કે....... (ક્રમશ)
 — with Urvi KatiraPravin Miyatra andKunjal Pradip Chhaya.

No comments:

Post a Comment