Tuesday, 19 March 2013

આ તો ભાઈ "અજ્ઞાની" છે. તને જો ફર્ક કશો ના પડે......


તને જો ફર્ક કશો ના પડે...... 
~~~~~~~~~~~~~~~~~~~~ 
ભૂખ્યાએ અન્નપાન કીધું તોય શું ના કીધું તોય શું. 
આવું બ્રહ્મ જ્ઞાન તે લીધું તોય શું ના લીધું તોય શું. 

તે જે જે દાન દીધું તે તો તે કહી દીધું. ચોરે ચૌટે. 
હવે દાન એવું તે દીધું તોય શું. ના દીધું તોય શું. 


મન સતત બકબક કર્યા કરે છે તારું તો. મૌન વ્રત,
એવું ઓ મૂરખ તે લીધું તોય શું. ના લીધું તોય શું. 

અને પછી બમણા રડાવ્યા ગરીબોને ‘ને લોહી પીધું. 
એક આંસુ ગરીબનું પીધું તોય શું. ના પીધું તોય શું. 

હવે ફરી પાછું મળવાનું નથી તો આવજો જતાં જતાં. 
એમ તે આમ પ્રજાને કીધું તોય શું ના કીધું તોય શું.

“અજ્ઞાની” શું ફરક પડશે હવે ?તારા જુઠાડા વચનથી. 
વચન કોઈ પણ તે દીધું તોય શું .ના દીધું તોય શું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અજ્ઞાની"
 

No comments:

Post a Comment