ખુલાસો...
અંદરથી જુદો સાવ જુદો જ બહારથી લાગુ .
સારો કે ખરાબ સૌને સૌના વિચારથી લાગુ.
સારો કે ખરાબ સૌને સૌના વિચારથી લાગુ.
અલગ અલગ સૌ અહી વિચારે મારા વિષે.
બૂરો ઇર્ષ્યાથી અને ભલો હું પ્યારથી લાગુ .
મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજો અર્જુનો .
તો બની શકે ! હું પણ આપને સારથિ લાગુ .
'ને હાં !સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ ,
વર્તી શકું ,બની શકે ત્યારે હું આપને સ્વાર્થી લાગુ .
મને કબુલ મંજૂર છે અભિપ્રાય આપ સૌના .
"અનંત" કોને ખબર કોને કેવો ક્યારથી લાગુ .\
.jpg)

khubaj spasht ane sunder khulaso..
ReplyDelete