Friday, 27 December 2013

એકાંતે બેસી જાત સાથે કરેલી વાતો હવે દુનિયા સુધી જાય છે.

સુંદર મુખેથી પ્રેમથી નીકળી મધુર વાણી
જ્યારે  હ્રદયનીનાજુક દીવાલ  સાથે ટકરાય છે . 
તેના  પડઘા. દૂર ... દૂર .... સદીયો સુધી સંભળાય છે ..... 
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
એકાંતે બેસી જાત સાથે કરેલી વાતો હવે દુનિયા સુધી જાય છે. 
શૂક્ષ્મ રૂપે આવી શબ્દોનું રૂપ લઈ વિચાર કાગળિયા સુધી જાય છે.         

બંધ હોઠે આંખોથી  કહેવાયેલી વાત સીધી જ આત્મા સુધી જાય છે.
ને પછી આત્માએ સાંભળેલી વાત સીધી જ પરમાત્મા સુધી જાય છે.  

આ સંસારની હર એક સ્થિતિ અલૌકિક  લાગે છે. કષ્ટ દાઈ સફર પછી . 
આ લોકમાં બોલાયેલા શબ્દો ક્યારેક પરલોકના આંગણા સુધી જાય છે.   

સૌ સરખા શુક્ષ્મ જગતમાં ના કોઈ નાનું ના મોટું એ તો સ્થૂળ જગતમાં.  
નાના મુખે બોલાયેલી  વાત કદીક કહેવાતા મોટા માથા સુધી જાય છે.

કોઈને કહેશો નહીં કાનમાં એમ કહેલી વાત. સૌને કહેવા જ કહેવાય છે.    
‘ને પછી કોઈ એક  વ્યક્તિને કહેલી વાત વાયુ વેગે  બધા સુધી જાયછે. 

કોઇ પાપ એમ માફ નહીં થાય. હિસાબમાં બાદ નહીં થાય.હીસાબ થશે...!   
સમજે નહી .તેથી પહેલા પાપ કરે પછી ધોવા.. છે...ક ગંગા સુધી જાય છે. 

હ્રદયની દીવાલ સાવ  નાજુક નમણી સાવ  પોચી પોચી  હોય છે.પ્રેમથી-     
સુંદર મુખેથી નીકળી મધુર વાણી જો ત્યાં ટકરાય તો  પડઘા સુધી જાય.

“અજ્ઞાની” નિજાનંદ નિજ મસ્તીમાં રહી. બસ એ  ખુદને સમજાવ્યા કરતો.     
           બસ સાવ  નાની અમથી આ વાત છે પણ જો ને ક્યાથી ક્યાં સુધી જાય છે .                

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અજ્ઞાની"
           

1 comment:

  1. hisaab...saache agyani...hisaab j che...
    je atah hi ant sudhi saathe jaay che

    ReplyDelete