Wednesday, 17 September 2014

અજ્ઞાની ની અનંત વાણી....

બ્લાસ્ટ:- 

સારું કે ખરાબ કોઈ પણ જાતનું પરીવર્તન 

ક્યારેય એકાએક નથી જ આવતું. 

સૂકા ભઠ્ઠ રણમાં અગર લીલી કૂંપણ ફૂટી નીકળે તો એ  કોઈ ચમત્કાર 

થયો છે એમ સમજવું મૂર્ખતા છે . 

કોઈ કાળે ધરતીના પેટાળમાં કોઈ બીજ વાવાઈ ગયું હોય. 

તો તો અને તોજ અનુકૂળ વાતાવરણ સર્જાતા. 

રણમાં લીલો છોડ ઊગી નીકળે છે . 
  
પારકી ઈચ્છા અને ઉછીના વિચારથી 

ક્યારેય કોઈ વ્યક્તિમાં કે કોઈના જીવનમાં પરીવર્તન ના જ આવે. 

ખુદનની ઈચ્છા અને પોતાનાજ ઊંડા વીચારથી કોઈ વ્યક્તિ ક્રમશ 

બદલાઈ શકે ... 

 જેઓ બદલાયા છે એમને પૂછશો તો ખ્યાલ આવશે કે 

એ લોકોએ એ પ્રમાણે ઈચ્છા કરી હશે ... 

અને માત્ર ઈચ્છા કરીને બેસી ના રહેતા ઈચ્છા મુજબ બદલવાનો . 

ક્ષણ ક્ષણ પ્રયાસ એવં પુરુષાર્થ પણ કર્યો હશે .. 

"અજ્ઞાની "

No comments:

Post a Comment