Saturday, 29 August 2020

વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે અજ્ઞાનીએ લખેલી અનભવ વાણી


આજ કાલ હું ઉકેલી રહ્યો છું.! 
વર્ષો પહેલાં ખંડેર મધ્યે મધરાતે... 
ભાઈબંધોએ ઉચ્ચારેલી અનુભવ વાણી...
અસ્ત વ્યસ્ત ધ્વસ્ત થવાના આરે... 
ઝર્રઝર્રીત કાગળમાં લખેલા શબ્દોને 
હાલ તો જેમના તેમ છાપી રહ્યો છું.! 

દંભી થૈ છુપાવવી શાને.? 

પીડા આખરે પીડાજ હોય છે.! 

પછી તે થોડી હોય તોય શું.! જાજી હોય તોય શું.!
હીશાબ તો થશેજ રંક કે રાજા કોઈ પણ હોય, 
પીડા લીધી હોય તોય શું આપી હોય તોય શું.! 

આત્મા નો પ્રેમ અનંત કાળથી હોય, 
તો અનંત કાળ સુધી અનંત અખંડ રહે છે.! 
પ્રેમ આત્માનો ધીરજ ધરે છે રાહ જુવે છે. 
અનંત યુગોથી અનંત યુગો સુધી. 
વ્યક્તિ એ ચહીતી 
નજીક હોય તોય શું આઘી હોય તોય શું.! 

વગર માંગ્યે આપો એટલે આપ્યું એ કેટલું, 
કિંમતી છે એ લેનારને ખબર નથી હોતી. 
પછી તે માફી હોય તોય શું.! તમે હ્રદય પુર્વક, 
આપેલી ક્ષમા ની પણ એને કદર નથી હોતી. 

માંગ્યા વીના આપેલી કોઈ પણ વસ્તુની, 
કદર નથી થતી પછી તે માફી હોય તોય શું.!

એટલો સ્વાર્થ તો હોયજ.! હોવોજ જોઈએ.!
તમે કોઈ વ્યક્તિ માટે મરતા હો તો, કમસે કમ 
એ પણ તમારા માટે જીવતી હોવી જોઈએ. 
પછી તે વ્યક્તિ 
પારકી હોય તોય શું.! પોતાની હોય તોય શું.! 

જે તમારી ખબર સુધ્ધાં પુછે નહીં.! તેની ચીંતાજ 
ના કરવી. વ્યક્તિ તે સાજી હોય તોય શું! 
માંદી હોય તોય શું.! 

હીશાબ આપ્યો તોય શું! બાકી હોય તોય શું.! 
એને ચાહી હોય તોય શું.! ના ચાહી હોય તોય શું.! 
એ નારાજ થાય તોય શું.! રાજી હોય તોય શું.! 

એ વ્યક્તિ તમે જેના માટે મરતા હો, 
તે વ્યક્તિ પણ 
તમારા માટે જીવતી હોવી જોઈએ. 
તમે જેના માટે જીવતા હો, વ્યક્તિ એ પણ 
તમારા માટે મરતી હોવી જોઈએ.
"અનંત" તે માંગી નોતી. 
મગર મે આપી હતી.
તે કદર ન કરી એ વાત અલગ છે. 
મે આપી એ હ્રદય પુર્વકની માફી હતી. 
"અનંત" 
હિશાબ કોઈ પણ ભવના કોઈ પણ ભવમાં ચુકતે કરવા પડે... 
આ ભવમાં પુણ્ય શાળી હોય તોય શું..! પાપી હોય તોય શું.! 
જાણીને કરો કે થઇ જાય અજાણતા સજા તો ભોગવવી જ પડે..!
ભુલ તો ભુલજ હોયજ છે.! ભુલ મોટી હોયતોય હોય તોય શું નાની હોય તોય શું.! 
*બ્લાસ્ટ*
બંધનનો અનુભવ કરશે 
તેને મુક્તિ નો અનુભવ થશે.! 
"અજ્ઞાની" પછી તે 
સંસારી હોય તોય શું.! 
ત્યાગી હોય તોય શું.! 
"અજ્ઞાની" 



No comments:

Post a Comment