Saturday, 29 July 2023

હિશાબ તો સરભર કરવોજ પડશે.!

મધરાતે જ્યારે હું ભાઈબંધો ના વર્ષો પહેલાં લખેલા... 

હાલ જર્જરીત અવસ્થામાં પડેલા.. 

જુના કાગળિયા ઉકેલવા બેઠો હતો તેમાંથી 

મને મળેલા કાગળ બડી મુશ્કેલી થી ઉકલ્યા... 

જેમાં ભાઈબંધો એ લખ્યું છે કે, 

વર્ષો ના અનંત અનુભવો બાદ... 

જ્યારે ભીતરની સમજણ જાગી...

ત્યારે...

અજ્ઞાનાવસ્થા માં કરેલી ભુલો બદલ, 

અંતર કરણ પુર્વક મનોમન સૌની માફી માંગી... 

બાકી ના તમામ ગલત વીચારો 'ને અહં ત્યાગી... 

આજે અમે સહજ સ્વીકારીએ છીએ કે,

 "હિશાબ"

ગઈ કાલે અમને જે કઈ પણ મળ્યું, 

સુખ દૂ:ખ આનંદ, વેદના, વ્યથા, પ્રેમ, અને પીડા .. 

એ અમારો હિશાબ હતો ..!

આજે પણ અમને જે કઈ મળી રહ્યું છે..! 

સુખ દૂ:ખ આનંદ, વેદના, વ્યથા, પ્રેમ, અને પીડા .. 

એ પણ અમારો હિશાબ છે ..!

અને , આવતી કાલે પણ અમને જે કઈ મળશે...! 

સુખ દૂ:ખ આનંદ, વેદના, વ્યથા, પ્રેમ, અને પીડા .. 

એ માત્ર ને માત્ર અમારોજ  હિશાબ હશે ..! 

"બંને ભાઈબંધો" 

વર્ષો પહેલાં....

અડધી રાતે.... 

ભાઇબંધો સાથે.... 

ચાયની ચુસ્કી ભરતા ભરતા... 

બંન્ને ભાઇબંધોએ... 

આવી પણ કૈક વાત કરેલી.... 

આ જીવનમાં... 

સુખ દૂ:ખ આનંદ, વેદના, વ્યથા, પ્રેમ, અને પીડા .. 

જે કૈ પણ આપણને મળે છે..! 

તે આપણાજ હીશાબ મુજબ આપણણને મળે છે.!

પછી ચાહે તે વ્યક્તિ,

 માં બાપ ભાઈ બહેન પત્ની ,સખા, સખી 

કે ઈતર કોઈ પણ સંબંધો હોય કે પછી વસ્તુ 

ધર વાહન વસ્ત્રો કે ભોગવીલાસ ની 

કોઈ પણ ભૌતિક વસ્તુ... 

આ બધી વ્યક્તિ કે વસ્તુ આપણને આપણાજ.!

હીશાબ થી હીશાબ મુજબજ મળી હોય છે . 

અગર તમે તેને સહજ ભાવે સ્વીકરશો નહીં તો,  

તમે દુ:ખી થશો તમને જીવન બોજા રૂપ લાગશે... 

એ વ્યક્તિ યા વસ્તુ 

હરેક ક્ષણ સજા રૂપ લાગશે.. 

મગર... 

ઓ "અજ્ઞાની" હીસાબ થી હીશાબ મુજબ મળેલ 

વ્યક્તિ કે વસ્તુ ને

તમે સહજભાવે સ્વિકારી લેશો 

તોજ ..! 

તમને એ વ્યક્તિ કે વસ્તુ સાથે જીવન જીવવા માં 

પરમ ચરમ અખંડ "અનંત" આનંદ આવશે... 

"અનંત" "અજ્ઞાની" 

એકલા એકલા એકાંતમાં 

ભાઈબંધો જુના કાગળ ઉકેલતા ઉકેલતા 

એમણે કહેલી અનેક વાતો આજે મને યાદ આવે છે. 

એ બંનેનું કહેવું હતું કે, 

અજાણતા ભુલ થવી એ માનવ સ્વભાવિક છે.! 

મગર ભુલ થવી એ માણસની બેદરકારી છે.! 

અને વારંવાર ભુલો કરવી એ નરી મૂર્ખતા છે! 

ખૈર... 

જન્મ થી મરણ પર્યત માનવ માત્ર જાણે અજાણે 

અનેક ભુલો કરતાજ હોય છે..! 

ભુલ ને બીજા અર્થમાં પાપ પણ કહી શકાય... 

એવી ભુલ જેનાથી અન્યને નુકશાન જાય... 

અન્યની લાગણી દુભાય એ પાપ છે.! 

જે કોઈ કાળે માફ નથીજ.! 

ઈતિહાસ ગવાહ છે..! 

રાજા દશરથ ના હાથે 

અજાણતાજ શ્રવણ નુ મૃત્યુ થયુ હતું. 

તેમ છતાં તેને સજા રૂપે રામનો વીયોગ મળ્યો હતો.!

અને પુત્ર વિયોગમાં લીલાપ કરતાં 

શ્રવણ ના માતાપિતા જેટલુંજ પારાવાર 

દુ:ખ વેઠવું પડ્યુ હતું. 

માટે નીજ સ્વાર્થ, લોભ કે લાલચમાં આવીને 

જાણી જોઈને ભુલ કરવી નહીં અને અજાણતા ભુલ 

થઈ જાય તો પણ તમારી એ ભુલ ના કારણે 

કોઈને તકલીફ પડી હોય કોઈ દુભાયુ હોય તો, 

જ્યારે પણ પોતે કરેલી કે પોતાનાથી કોઈ કાળે 

નીજ સ્વાર્થ, લોભ કે લાલચમાં આવી 

થયેલી કે કરેલી ભુલોનો અહેસાસ થાય ત્યારે... 

ક્ષણ નો પણ વીલંબ કર્યો વગર 

હ્રદય પુર્વક તેની માફી માંગી લેવી.! 

એમાજ સમજદારી છે.! 

એમ કરવાથી પણ 

સજામાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં જ મળે..! 

મગર તમારૂ ખુદનુ મન હ્રદય થોડુ હળવું થશે.! 

તમારા આત્માને થોડી રાહત ચોક્કસ મળશે.! 

ભુતકાળમાં કરેલી વાતોની યાદોમાંથી બહાર આવી.! 

મે ફરી એક કાગળ હાથમાં લીધો.

જેમાં લખ્યું હતું કે, 

હાં અમારા થી પણ સમજણ ના અભાવે 

અનેક ભુલો થઈ હશે.! 

એ બદલ અમે એ તમામની

 હ્રદયના ઉંડાણેથી ક્ષમા માંગીએ છીએ.! 

અને હાં આ માફી યાની ક્ષમા 

એટલે તો હરગિઝ નથીજ માંગતા કે 

અમે સજાથી ડરી ગયા છીએ.! 

ભુલો થઈ જ છે તો સજા માટે પણ 

અમે આત્માની શાક્ષીએ તૈયાર છીએ..!

ક્ષમા એટલે નથી માંગતા કે 

સજા ઓછી થાય કે સજાથી બચી જઈએ.! 

બલ્કે આ અમારી નૈતિકતા છે.! 

અને નૈતિક ફરજ છે.! 

એમ કરતાં અમારા થી દુભાયેલા ના 

આત્માને થોડી શાંતિ મળે એજ આશય... 

બાકી અમે ભલીભાતી જાણીએ છીએ કે, 

*બ્લાસ્ટ*

"અજ્ઞાની" કોઈજ ગુનાહ માફ નહીં થાય .. 

હિશાબ બ છે .! હોશાબમાં  બાદ નહીં થાય .. 

"અજ્ઞાની"

* બ્લાસ્ટ* 

જ્યારે વ્યક્તિ અને વસ્તુની નીર્રથકતા સમજાઈ જશે ..!

ત્યારે  "અજ્ઞાની" જીવન તારૂ પણ સાર્થક થશે..! 

"અજ્ઞાની" 

 

તારા સુખ દુઃખ નુ કારણ તું.! 

મારા દુઃખ સુખ નુ કારણ હું.! 

"અજ્ઞાની" આ જ્ઞાન થયું હો'

તો ના હું તને દોષ આપુ કોઈ,

અને ના તો મને દોષીત ગણે તું..! 

"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 

વર્ષો પહેલાં ભાઈબંધે કહ્યું હતું કે, 

આ અનુભવ અને અનુભુતી નો વીષય છે. 

અનુભવ અને અનુભુતી માં બડો તફાવત હોય છે. 

એકલતા માં ભીડ

ભીડ માં એકાંત 

એકલતા અને એકાંતમાં બડો તફાવત હોય છે. 

એકલતામા એકલો માણસ

ચીંતા કરે છે  ઉદાસીનતાની અનુભુતી કરે છે. 

જ્યારે એકાંતમાં એકાંતવાસી 

પરમ ચરમ અખંડ અનંત આનંદની 

અનુભુતી કરતો હોય છે. 

એકલતામા માણસ પોતાની તેમજ 

દુનિયામાં ભરની ચીંતા માં મનમાં વીવાદ કરે છે. 

જ્યારે એકાંત વાસી માણસ એકાંતમાં 

જાત સાથે સંવાદ કરે છે. 

ટુંકમાં 

એકલતામા કોલાહલ છે. 

એકાંતમાં પરમ શાંતિ. 

એકલતા અભીશાપ છે 

જ્યારે 

એકાંત આશીર્વાદ... 

"અજ્ઞાની" 

https://m.facebook.com/photo.php?fbid=199224306853945&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz 

અમુક પ્રકારનુ એના ખુદના વીષય પુરતુ જ્ઞાન ધરાવતા 

અમુક બુધ્ધાઓ અર્થાત્ મુર્ખાઓ એમજ સમજે છે કે, 

એનાથી વધુ એ વીષયમા બીજો કોઈ નિષ્ણાંત છેજ નહીં.

અને એ એવો પણ ભ્રમમાં રાચતા હોય છે કે, 

પોતાના એ વીષયમા એ એટલુ જ્ઞાન ધરાવે છે કે, 

એ વીષયમા એનાથી કદી ભુલ થાય જ નહીં, 

પણ થાય છે.! 

પછી એનાજ વીષય માં જ્યારે એ ગોથે ચડે અને, 

ત્યારે એ વીષય સાથે સ્નાન સુતકનો પણ સબંધ ન હોય, 

એ વીષયનુ લગીરે જ્ઞાન ન હોય એવી વ્યક્તિ 

એને એનાજ વીષયમા ગોથા ખાતો બચાવે 

અર્થાત્ એને થોડુંક અમથુ જ્ઞાન આપે તો 

એ ભૈ નો અહંમ ઘવાય જાય છે.! 

અને એવા અબુધો પછી છેક 

સબંધ બગાડવા સુધી પહોચી જતાં હોય છે. 

આવુ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એના 

કોઈ ભાઈબંધ દ્વારા થયેલા કડવા અનુભવ બાદ 

લખ્યું હતું અને એ લખાણ ના અંતમાં 

ભાઈબંધે લખ્યું હતું કે, 

*બ્લાસ્ટ* 

તમે એક ઉમદા મીકેનીલ એન્જીનીયર હોવા છતાં 

ક્યારેક કોઈ ભુલ થાય અને એ બાબતે 

કોઈ અભણ તમને સુચન કરે અને એ અભણ ના 

સુચન મુજબ કામ કરવાથી 

જો તમારો પ્રશ્ન હલ થઈ જાય 

તો એનો આભાર માનતા સહર્ષ સ્વીકાર સાથે 

કહો કે અર્રે યાર્ર આ તો મારા ધ્યાનમાં જ 

ન આવ્યુ.! તો એનાથી તમે નાના નથી થઈ જવાના 

બલ્કે આગળ જતા વધુ મોટા અને મહાન થશો.. 

"અનંત" 





No comments:

Post a Comment