Wednesday, 1 November 2023

બે પરવાહ

મારો ભાઈબંધ અનંત ઘણા ભાઈબંધની આંખમાં કણાની માફક ખટકતો હતો...

છતાં ભાઈબંધ આપ બળે સતત આગળ ને આગળ વધતો હતો...

જેમ મજબૂત દીવાલ ફાડી ને પીપળો ઊગે એમ એ ઊગતો હતો... 

એ લોકો જે ખુદ તો જીવનમાં કંઈજ ઉકાળી નહોતા શકતા. કોઈને નળવા સિવાય ... 

મગર જ્યારે ત્યારે અનંતના રસ્તામાં રોળા નાખવાનું કામ એના ઘણા ઈર્ષાળુ ભાઈબંધો કરતાં ....

પણ અનંતને કોઈ ફીકર ફરીયાદ કે, કોઈની કોઇજ ગરજ કે પરવા નહોતી.! 

એ કોઈને કશુજ કહેતો પણ નહીં...

બસ ચૂપ ચાપ નિજ મસ્તીમાં અનંત 

પોતાનું કામ કર્યા કરતો.

એમ તો થોડા ઘણા સારા પ્યારા ભાઈબંધ પણ અનંતના જીવનમાં હતાજ !

જે અનંતની દોસ્તીથી ખૂબ ખુશ હતા...

અનંત નું આવું મસ્તી ભર્યું જીવન મહોલ્લામાં એની બાજુમાં રહેતી અને, અનંતને ખૂબજ ચાહતી એક છોકરી જોયા કરતી ....

એક દિવસ એણે અનંત ને કહ્યું 'અનંત તું તો ક્યારેય કોઈને નડતો નથ.! 

તો  પછી તારી સાથે ગેર વર્તુણાક કરતાં અને, તારા રસ્તે રોડા નાખતા ઈર્ષાળુઓને તું કેમ કઈ કહેતો નથી...?

એ લોકો તને પરેશાન કરે છે ,છતાં તું એ લોકોને ચુપચાપ સહન કરે છે, પ્રેમથી આવકારે છે. 

પેલીને જવાબ આપતા અનંતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે , 

ના એવું બિલકુલ નથી ...! 

હાં સહન જરૂર કરું છું,એ સત્ય છે,.! 

સહન કરુજ છું કારણ કે હું મજબૂર છું ..!   

હાં મગર અનાદર કરવાથી કોઈ ફાયદો નથી 

માટે આવકારું છું ! 

બાકી, પ્રેમ તો હું  એનેજ કરું છું જે મને ચાહે છે..! 

ત્યારે પેલીએ કહ્યું અનંત મને તારી વાતો અને તારું  વલણ સમજાતું નથી ....

ત્યારે અનંતે પેલી છોકરીને સહજ ભાવે કહ્યું કે આખરે સમજીને તું કરશે પણ શું .?

હું તો જેવો છું તેવો છું અર્થાત્ જેવો તેવો છું.! 

અનંત એમ કહી હસવા લાગ્યો..! 

તેથી પેલીને અનંત વધુ ગમવા લાગ્યો 

એ લોકો જે કરે છે એ એ લોકોનો સ્વભાવ છે 

એ લોકોના વિચાર છે ..! 

એ લોકોનું મારી સાથેનું વર્તનજ,

એ લોકોની ભીતર મારા માટે રહેલી ઈર્ષા કે પછી પ્રેમ જાહેર કરે છે ..! 

લોકો તમારી સાથે કઈ રીતે વર્તે છે એના પરથી,

આખરે એ  લોકોનું ખુદનુ ચરિત્ર જ છતું થતું હોય છે..!

લોકો પોતાના વાણી વર્તન અને વ્યવહાર થકી,

ખુદનું ચિત્ર, ચરિત્ર છતું કરતાં હોય છે !    

માટે મારે શા માટે વિચારવું કે! 

લોકો મારા વિષે શું ધારે છે શું વિચારે છે !

હાં એ હકીકત છે કે! 

એ લોકો ચોક્કસ ઈર્ષાની આગમાં બળે છે .. 

અને આ પણ હકીકત છે કે, 

એ લોકોની ઈર્ષાની આગ મને પણ દઝાડે છે..! 

ખૈર જેવો જેનો હિસાબ..! 

એમ કહી અનંત મૌન થઈ જતો ... 

પછી થી એણે પોતાના વિષે 

આ રચનામાં લખ્યું છે કે ..!

*બ્લાસ્ટ*

ના સલાહ આપું છું ના સૂચના આપું છું. 

હાં,મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.

*ખૂલાસો*

***************************************** 

અંદરથી જુદો સાવ જુદોજ ! બહારથી લાગુ . 

સારો કે ખરાબ સૌને, સૌના વિચારથી લાગુ

અલગ અલગ સૌ કોઈ ધારે વિચારે મારા વિષે. 

બુરો બુરાને ઈર્ષાથી,ભલો ભલાને પ્યારથી લાગુ .

મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજો હે અર્જુનો..! 

તો, બની શકે, હું પણ આપને સારથી લાગુ .

સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ વર્તી શકુ

બની શકે ! ત્યારે કદાચ હું કોઇકને સ્વાર્થી લાગુ .

મને કબુલ મંજુર છે..!અભિપ્રાય આપ સૌના 

જે પણ હોય, "અનંત" કોને ખબર કોને કેવો 

ક્યારથી લાગુ.

******************************

"અનંત"

*બ્લાસ્ટ*

ના સલાહ આપું છું ના સૂચના આપું છું. 

હાં,મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.

"અનંત"

https://m.facebook.com/photo.php?fbid=672422072867497&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz



No comments:

Post a Comment