પહેલા ના સમયમાં કોઇ ને વ્યક્ત થવુ હોય યા પોતાની નીજી લાગણી વ્યક્ત કરવી હોય તો એમ કરવુ આજે જેટલુ સરળ છે તેટલું ક્યારેય ન હતું.
અને હું તો એવુ માનુજ છું કે તમારી ભીતર પનપનતી લાગણી પછી તે ચાહે પ્રેમની હોય, નફરત કે ગુસ્સો હોય...
વેદના કે સંવેદના જે કૈ હોય જેના પણ પ્રત્યે હોય...
વીના વીવાદે શાંત ચીતે વ્યક્ત કરવીજ જોઈએ અને સૌથી પહેલા...
પ્રેમ નફરત ગુસ્સો કે વેદના
કોઈ પણ પ્રકારની લાગણી હોય
તે જે વ્યક્તિ પ્રત્યે હોય તેની સાથે તેની પાસેજ શાંતિથી વીના વીવાદે સંવાદ કરીને વ્યક્ત કરવી જોઈએ...
અગર એ વ્યક્તિ આ બાબત સમજવામાં સમર્થ નથી તો,
આજ કાલ ઘણા સોશ્યલ માધ્યમ હાથ વગા છે, આંગળી વગા છે. તેનો પણ સદુપયોગ કરીને જેતે વ્યક્તિ સામે તમારી લાગણી વીના સંકોચે વ્યક્ત કરવીજ જોઈએ.! પણ.!
એવુ કદમ સાચી દિશામાં ઉઠવુ જોઈએ.
અંગતમા વ્યક્ત થતી લાગણીઓની વાત જુદી છે.!
પણ જાહેર માધ્યમ દ્વારા જ્યારે તમે સીધી કે આડકતરી રીતે જે તે વ્યક્તિ માટે કૈ પણ વ્યક્ત કરતા હો ત્યારે એવુ કરવાનો વિચાર કરતા પહેલા સો વાર વિચારવુ અનિવાર્ય છે.!
એમ કહેવુ મને વધારે પડતું લાગે પણ એવુ કરતા પહેલા જરા સમજદાર અને ખબરદાર તો રહેવુજ જોઈએ.!
કોઈ પણ પ્રકારની લાગણી વ્યક્ત કરવા ઉપયોગમા લેવાયેલા શબ્દો...
સુવીચારો ઉપદેશો તમારા પોતાના સ્વલીખીત હોય કે પછી તમે કોઈના ઉછી ઉધારાના શબ્દો નો ઉપયોગ કરો...
એ શબ્દો ઉપદેશો વિચારો જે કૈ પણ હોય તેનાથી તમારૂ વ્યક્તિત્વ
સમગ્ર જગત સામે આવે છે.
યાદ રાખો કે જાહેર માધ્યમથી વ્યક્ત થતી લાગણી એવો આયનો છે જે તમારી સામે નથી બીજાની સામે છે.!
જેમાં તમારી છબી આખુય જગત
જોઈ શકે છે.!
તમે તમારી કોઈ પણ જાતની લાગણી વ્યક્ત કરવા ઉપયોગમા લીધેલા શબ્દો, ચીત્રો ચરીત્રો, સુવીચારો કે ઉપદેશો તમારા ખુદના હોય કે ઉછીના.
એ જ્યારે તમારા દ્વારા જાહેર માધ્યમથી રજુ કરો છો ત્યારે તેમા તમારા ભીતરથી લાગણી જોડાયેલી હોય છે.
તેથી તમારા વિષે અને તમારા વ્યક્તિત્વ વીષે લોકોના મનમાં એક ધારણા એક છબી ઊપસે છે.!
લોકો તમે વ્યક્ત કરેલી લાગણી મુજબ તમને જુવે સમજે છે.!
લોકોની ફિકર છોડો.!
જાહેરમાં કૈ પણ વ્યક્ત કર્યો પહેલા તમે તમારી જાતને તમારા આત્માને પુછો.!
કે શું તમે જે કૈ વિચાર વ્યક્ત કરો છો.!
એ મુજબનું જીવન તમે જીવો છો.!
પોતાના શબ્દો હોય ત્યારે તો ચોક્કસ વીચારવુજ જોઈએ પણ અગર બીજાના ઉપદેશાત્મક વિચારો રજુ કરો ત્યારે તો ખરેખર ખુબજ વિચારવુ જોઈએ...
લખનાર ગમે તે હોય એનો લખવાનો આશય પણ કૈ અલગ હોય શકે.!
જેનો ઉપયોગ તમે
તમારા આશય મુજબ કરો છો ત્યારે...
વીચાર અને વ્યક્તિત્વ તો
લોકો સામે તમારૂજ ઊપસે છે.!
તમે પોતાના શબ્દો દ્વારા કે પછી કોઈ લેખકો સંતોના સુંદર ઊતમ ઉપદેશો...
જાહેરમાં આપો છો ત્યારે લોકો એવુ વિચારે છે કે આટલા સુંદર ઉપદેશ આપનાર વ્યક્તિ કેટલી સુંદર અને સમજદાર હશે.!
(પછી ભલેને ઉપદેશ પ્રમાણે તમારા મા એક ટકો પણ ના હોય)
તો આમ કરવુ પણ એક પ્રકારે જાત સાથે અને જગત સાથે છેતરપિંડી જ કરી ગણાય...
હું એમ કૌ છું આખે આખા નહીં પણ..!
થોડાક તો તમે
અસ્સલ મા જેવા હો તેવા સામે આવો..!
અગર એમ તમે સામે નહીં આવો તો જ્યારે તમારા ઉપદેશો સાંભળનાર વાંચનાર ક્યારેક તો તમારી સામે આવશેજ..!
અને ત્યારે એ પરમ સત્ય જોશે જાણશે..!
હવે જો ત્યારે તમે જાહેરમાં કહેલા મુકેલા ઉપદેશો મુજબ એક ટકો પણ જીવતા નહીં હોવ, એવા ઉપદેશો જેનો અર્થ પણ તમે જાણતા નહીં હોવ.!
અને જાણતા હશો તો એવો એક પણ ઉપદેશ તમે જીવનમાં ઉતારીને એ મુજબનું જીવન જીવવાને બદલે સાવ વિરોધાભાસી જીવન જીવો છો
એવુ આખુ જગત તો નહીં પણ
એકાદ જણ પણ જ્યારે જાણશે ત્યારે... તમેજ શરમીંદગી અનુભવશો...
અગર તમે ઉપદેશ મુજબ જીવોજ છો તો
કોઈ પ્રશ્નજ નથી.!
મગર સુંદર શબ્દોથી વિચારોથી કે ઉપદેશોથી
લોકોને પ્રભાવિત કરો છો તો આ રીતે તમે લાંબો સમય એકાદ વ્યક્તિ કે આખી દુનિયાને છેતરી નહીં શકો.!
અંતમાં એક સુંદર ઉદાહરણ આપીને સૌને સમજાવુ જેથી મારા કહેવાનો મર્મ, અર્થાત્ ગુઢાર્થ સમજવામાં સૌને સરળતા પડે..!
એક માં જાહેરમાં મમતા વીષે વાર્તા પોસ્ટ કરે છે.! જેનુ શીર્ષક છે.
" કલેજા નો ટુકડો "
જેમાં વાત કૈ એવી છે કે,
દિકરો પૈસા માટે માંનું કલેજુ કાઢીને પેટીમાં નાખી લઇ જતો હોય છે.
ચાલતા ચાલતા તેને ઠોકર લાગે છે.
ત્યારે બંધ પેટીમાંથી માં નો અવાજ આવે છે.!
માં કહે છે.
"બેટા તને ચોટ તો નથી લાગી ને "
આ છે માં ની ખરી મમતા
વાર્તા પુરી
હવે આવી વાર્તા જાહેરમાં મૂકનાર માં
સમય જતા પોતાના પતી સાથે વિશ્વાસઘાત કરે છે..!
અને ભયંકર ભુલ કર્યો પછી જ્યારે ભુલ પકડાઈ જાય છે ત્યારે...
લાજવાને બદલે ગાજે છે..!
અને પતી ને છોડી દેવા તૈયાર થઈ જાય છે.!
અને એ માં જેણે
" કલેજાનો કટકો"
એવી વાર્તા જાહેરમાં મુકેલી
તે પોતાના સ્વાર્થ માં બાળકોનો પણ વીચાર કરતી નથી.!
અને અંતે પોતાના
સ્વાર્થમા એ "માં"
ઘર અને પતીને છોડવા તૈયાર થઈ જાય છે પતી અને ઘર છોડે ત્યાં સુધી સમજાય પણ મમતા વીષે વાત કરતી મા જ્યારે
પોતાના કલેજા ના ટુકડા એવા બાળકોને પણ છોડી તરછોડી જાય ત્યારે...
તે સ્ત્રી ની વાસ્તવિકતા સામે આવી જાય છે.
આખરે એ પતિ અને બાળકો ને છોડી તરછોડીને ચાલી જાય છે.!
તો આ બધા જાહેર માધ્યમો એ એક એવુ દર્પણ છે જેના થકી તમારો અસલી નકલી ચહેરો છુપાવી તો શકાય છે પણ..!
આવા માધ્યમથીજ તમે બે નકાબ પણ થઈ શકો છો.!
ક્યારેક ને ક્યારેક તો દુનિયા જાણી જાય છે કે તમે જે વિચારો ઉપદેશો દુનિયા સામે મુકો છો ખરેખર તમે એવુજ જીવતાજ નથી.!
તમે માત્ર ને માત્ર દુનિયામાં ખુદનુ આકર્ષણ વધારવાનો તમારો વામણો પ્રયાસ કરો છો.!
તમે ખુદ ખુબ સમજદાર છો પ્રેમાળ છો એવી છાપ તમે ઉપસાવી રહ્યા છો..!
પણ આ ઉપરછલ્લી છાપને ભુંસાતા વાર નથી લાગતી..!
ક્રમશઃ
No comments:
Post a Comment