વર્ષો પહેલા ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા અમે ત્રણેય ભાઈબંધો ચુપચાપ બેઠા હતા એ દરમિયાન મે કૈ વાત થાય લાંબી ચર્ચા થાય અને રાત ટુંકી ચર્ચા થાય એ આશયે મૈ અજ્ઞાનીને કહ્યું હેં અજ્ઞાની તું જાણે છે,
મારી વાત ના જવાબમાં અજ્ઞાનીએ કહ્યું.
*બ્લાસ્ટ*
હાં હું "અજ્ઞાની" જાણું છું.!
કે, હું કશુંજ જાણતો નથી.!
"અજ્ઞાની"
મારો રાત ટુંકી કરવા વાતચીત ચર્ચા લાંબી કરવા નો ઈરાદો બર ન આવતા મેં અનંત કહ્યું હેં અનંત તને ખબર છે,
મારી વાત ના જવાબમાં અનંતે કહ્યું.
હાં "અનંત" મને ખબર છે.!
કે, મને કંઈજ ખબર નથી.!
"અનંત"
તે રાત્રે અમારી વચ્ચે કોઈ ખાસ વાતચીત ન મને અકળામણ થવા લાગી તેથી હું ચુપચાપ ઘર ભેગો થઈ ગયો...
*બ્લાસ્ટ*
સારૂ કે સત્કાર્ય કરવાથી કદાચ સારૂ પરીણામ ન પણ આવે.!
મગર ખરાબ કે ખોટુ કાર્ય કરવાથી તો ચોક્કસ ખરાબ પરીણામ આવશેજ.!
માટે સારૂ કે સત્કર્મ કરવાનો વિચાર આવે તો, ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અમલમાં મુકજો.!
"અજ્ઞાની" મગર અગર ખરાબ કે ખોટુ કાર્ય કરવાનો વિચાર આવે તો લાખ વાર વિચાર કરજો.!
કારણ કે,
ખરાબ કે ખોટા કાર્યનું પરીણામ ક્યારેય સારૂ નથીજ આવતું.!
"અજ્ઞાની"
No comments:
Post a Comment