Tuesday, 3 June 2025

"અનંત" પ્રેમથી પેટ ભરાય ના

 


"અનંત" પ્રેમથી પેટ ભરાય ના ભરાય ભેટ ભોજનની "
ભોજનથી કદાચ
પેટ ભરાય જાય મગર પ્રેમથી મન ધરાય ના
"અનંત"

મધરાતે ખંડેર મધ્યે ચાય પીતા પીતા ઉપર લખ્યું એ વર્ષો પહેલા ખુદ અનંત બોલ્યો હતો ...

ત્યારે પણ હું કશુજ સમજ્યો નહીં મને એમ કે અનંતને ભૂખ લાગી હશે

અને ભૂત ભોજન કરવાની ઈચ્છા હશે અકલે ,

આદત વશ અટપટું કહે છે સીધે સીધું નથી કહેતો કે મને ભૂખ લાગી છે ..!

અકલે મે અનંતને કહ્યું.

લે, તો વહેલું કે'વાય ને..!
તો હું ચાય સાથે નાસ્તો પણ લેતો આવત ને..!

અનંત કશુજ બોલ્યો નહીં.

અકલે મે,

ચાયની ચૂસકી ભરતા અનંત ને પૂછ્યું ...

કેમ આજે તને અડધી રાત્રે ભૂખ લાગી છે કે અનંત ?

અનંત ચુપજ રહ્યો અકલે એના વતી અજ્ઞાનીએ મને કહ્યું .

ના પરિયા એને ભોજનની ભૂખ નથી લાગી...

મે અનંત સામે જોઈ અનંતને પૂછ્યું . તો ...?

એને પ્રેમની અતી ભૂખ લાગી છે !
ફરી અજ્ઞાનીએ અનંત વતી જવાબ આપ્યો.

તું શા માટે જવાબ આપે છે ! મે તને પૂછ્યું ..!?

તું ચૂપ બેસ ! અનંત ની સિફારીસ રહેવા દે.

અનંત વતી જવાબ આપતા અજ્ઞાની પર મને ગુસ્સો આવ્યો .

મે અનંત ને પૂછ્યું છે અનંત ને જ જવાબ દેવા દે...

મને કોઈ વતી કોઈ જવાબ આપે તે ના ગમે,અકલે હું અજ્ઞાની ને વઢયો...

પછી ફરી મે અનંતને પૂછ્યું .

બોલ ને લ્યા શું તને ખરેખર ભૂખ લાગી છે..?

તો નાસ્તો લેતો આવું.

ધીમા સ્વરે અનંતે કહ્યું. અજ્ઞાની સાચો છે પરિયા ..!

તું એની વાત સાંભળ અને સમજ..!

મારા સવાલનો ખુદ જવાબ આપવાને બદલે,

અનંતે મને અજ્ઞાનિની વાત સાંભળવા સમજવાનું કહ્યું અકલે,

મને અનંત પર પણ ગુસ્સો આવ્યો. અકલે મે અનંતને કહ્યું.

મારે કાય સમજવું નથી હું જાઉં છું મને ઊંઘ આવે છે ..!

તમે જ આપસમાં સમજી લ્યો..!

હું ગુસ્સે થઈ ચાલ્યો ગયો પણ પછી આખી રાત.....

મારી ભીતર અનંત ના શબ્દો પડઘાતા રહ્યા ...

"અનંત"પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી"
ભોજનથી કદાચ પેટ ભરાય જાય
મગર પ્રેમથી મન ધરાય ના

આખરે શું કહેવા માંગતો હતો સાલું બૌ અટપટું ,અઘરું અધૂરું ....

ખૈર...
કાલે મરમ જાણી લઇશ આમ વિચારી હું પોઢી ગ્યો..

સવારે ઉઠ્યો ત્યારથી હું રાત પડવાની રાહ જોતો રહ્યો ...

અંતે રાત ઢળી અને હું ચાય સાથે નાસ્તો પણ ભેગો લઈને ખંડેર પર ગયો...

કેમકે ગઈ રાત્રે અનંત ને ભૂખ લાગેલી ...

સાંકડી ગલીમાં છેક ભીતર આવેલ ખંડેર જેવા ઘરના,

અધ્ધ ખુલ્લા દરવાજેથી શરીર સંકોરી હું ભીતર પ્રવેશ્યો ...

અને ફટફટ મારી ખુરશી પર બેસી હું ઝડપથી ચાયની પિયાલી ભરવા લાગ્યો .

આ જોઈ અજ્ઞાની બોલ્યો લ્યા કેમ આજે કશું બોલ્યા વિના ફટાફટ ચાય ભરે છે ...

મે કહ્યું.

યાર મારી આંખ ભારે છે,

કાલે રાત્રે મને બરોબર ઊંઘ નથી આવી.

રાતભર અનંતના અટપટા,અઘરા ,

આધા અધૂરા શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા છે.

"અનંત"પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી"
ભોજનથી કદાચ પેટ ભરાય જાય
મગર પ્રેમથી મન ધરાય ના

હું સમજી નથી શક્યો એના કહેવાનો મર્મ ...

ચાયની ચૂસકી ભરી અજ્ઞાની બોલ્યો .

કશું અટપટું,અઘરું, કે આધુ અધૂરું નથી પરિયા...

અચ્છા તો તું સમજી ગયો છે એમને ..!

તું અગર અનંતની વાત સમજી ગયો હોય તો ,

ચાલ એનો મર્મ મને સમજાવ ... મે કહ્યું.

અનંત ચાય પીવામાં મસ્ત મસગુલ હતો.

અજ્ઞાનીએ મને અનંતે કહેલી વાતનો મર્મ સમજાવતા કહ્યું.

પરિયા તને યાદ છે..!

એક વાર અનંતે પોતાના નામનો બખૂબી ઇસ્તેમાલ કરીને કહ્યું/લખ્યું હતું કે

ઉમ્ર ભર નહીં મીટતી "અનંત".... યે દો ભૂખ..!
એક પ્રેમી કી ઈચ્છા ઔર દુજે પ્રેમી સે હુંફ...!

મે કહ્યું.

હાં ...હાં... યાદ આવ્યું ..

અજ્ઞાનીએ કહ્યું . બસ તો પછી આ એના જેવુજ છે ...

અનંત ના કહેવાનો મર્મ એજ છે કે....

માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બન્ને અતી જરૂરી છે કિન્તુ...

............................ અજ્ઞાની થોડી વાર મૌન થઈ ગયો .

'ને હું અકળાયો ....

મે અકળાતા સ્વરે કહ્યું .

યાર આગળ ચલાવ આમ કિન્તુ કહીને અટકી ન જા..!

કૌ છું યાર જરા શાંતિ રાખ મારે પણ પહેલા ગોઠવવું સમજવું પડે..!

જે વાત હું બરાબર ના સમજ્યો હૌ,

એ તારા જેવા અક્કલ વગરનાને કેમ સમજાવું ..!

ખરેખર મારામાં અક્કલ ઓછી છે એ હકીકતને સહજ સ્વીકારતા મે કહ્યું.

હાં હવે બૌ લાંબુ ના ખેંચ મારામાં ઓછી છે તો તું થોડી તારી બુધ્ધિ ઉધાર દઈદે...

વેડફાઇ જશે નકામી ...! અજ્ઞાની એ વ્યંગમાં સત્ય કહ્યું .

એ પણ મે સહર્ષ સ્વીકારતા કહ્યું. હાં યાર.. તારી એ વાત પણ સાચીજ છે..!

વાપરીએ નહીં એ આખરે વેડફાયજ જાય બુધ્ધિ હોય ,ધન હોય કે પ્રેમ .!

પણ હવે તું મને એ સમજાવ કે , અનંત કાલે રાત્રે જે બોલ્યો હતો ,


"અનંત"પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી"
ભોજનથી કદાચ પેટ ભરાય જાય
મગર પ્રેમથી મન ધરાય ના

એનો મર્મ શું...

અજ્ઞાનીએ કહું હાં તો સાંભળ પરિયા ...

માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બન્ને અતી જરૂરી છે કિન્તુ...

માત્ર પ્રેમ થી કે માત્ર પેટ ભરવાથી જીવન પસાર ના થાય .

અને બીજું કે ભોજનથી પેટ ભરાય જાય પણ...

પ્રેમ ની ભૂખ એવિ છે ,પ્રેમ ચીજ જ એવિ છે કે....

જેનાથી ક્યારેય મન ભરાતું કે ધરાતું જ નથી ...!

બીમારીમાં માણસ જમવાનું છોડી દે પણ પ્રેમ કરવાનું છોડી ના શકે...

અને બીમારી વખતે જો કોઈ પ્રેમ /હુંફ આપનાર પાસે હોય તો,

તે બીમારની સાજું થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે...

અમે બન્ને વાતો કરતાં રહ્યા અને અમને જગાડનાર અનંત તો,

એ.એ એ.. ય ને, ખુરશી પરજ નિરાંતે ઢોઇંગ થઈ ગયો હતો ...!

બ્લાસ્ટ:-

વર્ષો પહેલા અજ્ઞાનીના અનંત ઊંડાણેથી છેક સપાટી પર આવેલું કડવું સત્ય....

"અપવાદ બાદ કરતાં"

બે વ્યક્તિ એક સ્ત્રી અને એક પુરુષ....

સાથે રહે છે એટલે એક બીજાને પ્રેમ કરે છે ?

કે, પ્રેમ કરે છે એટલે એક બીજા સાથે રહે છે..?

અને જો સાથે રહે છે તો શું સાચેજ બન્ને વચ્ચે પ્રેમ છે...???

આ સવાલોનો સાચો જવાબ ક્યારેય કોઈ શોધી કે આપી નહીં શકે... !

અગર જો કોઈ જવાબ આપશે તો એ સાચો નહીજ હોય.

આ સવાલોનો જે કોઈ પણ જવાબ આપશે ,

તે સાચો જ છે એવું માની લેવું નાદાની હશે...!

"અપવાદ બાદ કરતાં"

જો બે વ્યક્તિ લાંબો સમય સાથે રહેતી હોય,

અને લાંબો સમય સાથેજ ટકી રહેતી હોય તો.....

બન્ને વચ્ચે પ્રેમ જ કારણ હોય એવું સમજવું ભૂલ ભરેલું છે.

બની શકે કોઈ એક ની મજબૂરી હોય અને બીજાની લાગણી.

એકની મજબૂરી અને બીજાની લાગણી

એક બીજાને સાથે રહેવા મજબૂર કરતી હોય...

એ સિવાય પણ ધાર્યા કરતાં અસંખ્ય જુદા જુદા કારણો,

એક સ્ત્રી અને એક પુરુષને સાથે રહેવા માટેના હોય શકે છે.

સાથે રહેવાની સૌથી મોટી મજબૂરી કદાચ એ પણ હોય છે કે,

બન્ને પરણી ગયા હોય છે.

બાકી ના કારણો પરણવાને કારણે પેદા થયેલા હોય છે ..! "બે અર્થમાં"

"અપવાદ બાદ કરતાં"

"સાથે રહેતા બે પુરુષ કે બે સ્ત્રી કે કોઈ પણ બે કે તેથી વધુ ,

સાથે રહેતી હર એક વ્યક્તિ માટે પણ આવું જ સમજવું"

"માત્ર પ્રેમ અને પ્રેમ જ કારણ હોય એવું ભાગ્યે જ બને."

"અજ્ઞાની" 
See less
*બ્લાસ્ટ* 
સમજાવી સમજાવી ને સમજાયું એટલું 
" અનંત" કોઈને કંઈ સમજાવવાનુ ન હતું.
બસ ખુદ ને સમજાવી સમજી જવાનું હતું. 
" અનંત "


https://www.facebook.com/photo/?fbid=722818041161233&set=a.119481608161549&__tn__=%2CO*F
All reactions:
Justina Escalante, Kaushik Savariya and 6 others
5
8

Comments

  • Like
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
आप , पण...
बौ जल्दी वांची शको छो नै....! 🙂
  • Like
  • Reply
  • Edited
Prerana Shah
aankh nathi ne etle man thi vanchai jay che 🙂
  • Like
  • Reply
  • Hide
2
નિર્દોષ ગુનેહગાર
Prerana Shah ... खरा वांचक ल्यो ने...
बाकी लेखकना शब्दों तो सौ वांचे ,,,
पण श्ब्दोनी साथे साथे जे मन पण वांचे ऐ खरा वांचक...
एवु बधू भाइबंध ज कहेतो हतो... 🙂

No comments:

Post a Comment