Sunday, 24 February 2013

"અજ્ઞાની" ની રચનાઓ માંથી.....





વસ્ત્રો ભગવા ,સફેદ, કે હોય કેસરી  છેતરી શકે છે! "અજ્ઞાની"
મેલા ઘેલા વસ્ત્ર મહી, કોઈ સંત, સૂફી કે ઋષી મુની  નીકળે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ભીતર ઊની રાખ નીકળે..... 

****************************************
વર્ષો પછી મળીએ, તો ! વાતો જૂની જૂની નીકળે . 

ભરચક ભરચક બજાર વચ્ચે ગલી કોક સૂની નીકળે.

બે શક ! શક જેના પર હોય, એ નિર્દોષ નીકળે 'ને 

નિર્દોષ જેને ધારી બેઠા હોય એ જ ખૂની નીકળે.

બરફ પર હાથ મૂકી કહો ! ભલા ભરોસો કોનો કરવો ?

સાવ ઠંડી લાગતી રાખ ભીતરથી ઊની ઊની નીકળે.


પળમાં છોડે જગની માયા  પકડે જંગલની વાટ   
આ જગમાં એવા કોઈ મસ્ત કલંદર ધૂની નીકળે.

વસ્ત્રો ભગવા, કેસરી કે હોય ફેદ છેતરી શકે છે "અજ્ઞાની" 

શુટ બુટ માંએ  ક્યારેક સંત, સૂફી કે ઋષિમુનિ નીકળે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


"અજ્ઞાની"



"અજ્ઞાની" વસ્ત્રો ભગવા હો, સફેદ હો, કે કેસરી, છેતરી શકે છે! 
મેલા ઘેલા વસ્ત્ર મહી, કોઈ સંત, સૂફી ઑલિયા પીર 
 યા ઋષી મુની  નીકળે.

"અજ્ઞાની"










No comments:

Post a Comment