કવિતા એટલે કાગળના તખતા પર શબ્દો નો અભિનય ...!
જેમ સ્ટેજનો કસબી તેના પાત્રમાં ઓળઘોળ થઈ .
મળેલા પાત્રને હૂબહૂ નિભાવે છે ,
એજ રીતે શબ્દોનો ઉપાસક જ્યારે લખવા બેસે ત્યારે...
જો સ્ત્રીની વેદનાને વાચા આપવા બેસે તો...
કોઈ કળી ના શકે , કે આ વાત કોઈ પુરુષ લેખકે લખી હશે....
આવું જે કરી શકે તે શબ્દનો ખરો ઉપાસક સમજવો...
આવીજ કઈક વાત મારા આત્મ સખાએ લખી હતી ...
આ રચનામાં એને સ્ત્રીના વિચાર ને વેદનાને વાચા આપી છે...!
હું સાવ તારી નજીક છું ...!
@@@@@@@@@@@@@@@
ખરું છે ! હું તારી સાથે વાત વાત પર જગડી રહી છું.
પણ ! એનો અર્થ એ નહીં કે તારાથી બીછડી રહી છું.
તું માન કે ના માન મારી વાત, પણ સાચું કહું છું.
આ રીતે હું તને બહારથી ને ભીતરથી ઘડી રહી છું.
હોય છે તુંજ મારી સામે રૂહથી આભાષી રૂપે , તું એમ ના -
માનજે કે એકાંતે હું સાવ એકલી એકલી બબડી રહી છું.
હોય છે તુંજ મારી સામે રૂહથી આભાષી રૂપે , તું એમ ના -
માનજે કે એકાંતે હું સાવ એકલી એકલી બબડી રહી છું.
તું તો નાદાન છે, સાવ પાગલ જ છે , તને શું ખબર કે ,
દૂર રહીને પણ હું તારા સુખે હસું છું, ને તારા દુખે રડી રહી છું .
કલ્પનાની દુનિયા બડી અજીબ છે સત્ય થી સાવ નજીક છે.
તું જેમ મને, એમ હું પણ કલ્પનામાં રોજ તને મળી રહી છું.
હાં ! સ્થૂળ દેહે કદાચ ના મળી શકીએ તેથી શું થયું "અનંત"
અરે ! સુગંધની માફક સૂક્ષ્મ દેહે તો હું તારામાં જ ભળી રહી છું
"અનંત"
કલાકારો હમેશા કલ્પના ની દુનિયામાં જીવતા હોય છે.
અને પછી એ પોતાની કલ્પનાને શબ્દો, સંગીત કે અભિનય .
દ્વારા વાસ્તવિક રૂપ આપવાનો પ્રયાસ કરતાં હોય છે.
પણ ..!
ચિત્રમાં ખીલેલા ફૂલો થી સુગંધ ના ફેલાય ....
ચિત્રમાના ઝરણાથી કદિ તરસ ના છીપાય...
ભૂખ તરસ બમણી લાગે જાગ્યા પછી "અનંત"
સ્વ્પનમાંના ભોજનથી ક્યારેય પેટ ના ભરાય...
પ્રાકૃતિક વિચારથી પ્રેરાય એણે આવું પણ લખ્યું છે.
શૂક્ષ્મ સંભોગથી કદિ ગર્ભ ના રહે , બાળકો પેદા ના થાય..
પણ આ પ્રકૃતિક સત્ય દંભી લોકો ના સમજે.
અથવા સમજે તો સ્વીકારે નહીં ...
અહી એનો કહેવાનો મર્મ એ છે કે લોકો શૂક્ષ્મ જગતની શૂક્ષ્મ આનંદની વાત કરે છે .
પણ ! અનંત કહે છે , સ્થૂળ શરીર વિના સૂક્ષ્મ જગતની અનુભૂતી શક્ય જ નથી...!
એ એવું હરગિઝ નથી કહેતો કે શૂક્ષ્મ જગત જેવુ કશું છે જ નહીં .
એ બિલકુલ સ્વીકારે છે . કે આ બ્રહ્માંડ માં એવું ઘણું બધુ છે જે જોઈ નથી શકાતું પણ ,
એને અનુભવી જરૂર શકાય છે , જેમ ફૂલોની સુગંધ ,હવા , સ્વ્પ્ન કલ્પના ...
પણ સુગંધ સાવ એમનેમ તો નથી જ આવતી ને...?
જ્યારે દૂર દૂર થી પણ સુગંધ આવે તો એનો અર્થ એજ કે ક્યાક કોઈ જગ્યાએ સ્થૂળ રૂપે ફૂલ ખીલેલું છે ..
દૂર દૂરથી ભીની ભીની સુગંધ આવે તો ખબર પડી જ જાય કે...
ક્યાક ને ક્યાક સ્થૂળ જમીનની સ્થૂળ માટી પર સ્થૂળ વરસાદના બુંદ સ્પર્શી રહ્યા છે .
ધૂપસળી ની સુગંધ પણ દૂરથી મહેસુશ કરી શકાય છે .
પણ એના માટે સ્થૂળ અગરબતી નું સળગવું જરૂરી છે.
હ્રદયમાં પ્રેમની અનુભૂતિ ત્યારેજ શક્ય બને છે જ્યારે સ્થૂળ દેહે વિજાતીય આકર્ષણ જનમ્યું હોય..
કલ્પના એતો માત્ર રસ્તો છે મંજિલ તો હરગિઝ નથી...
અગર એવું જ હોય તો દુનિયાની વસ્તી આટલી ના વધે.
કલ્પના એટલે ઈશ્વરે માનવીને આપેલી ઉતમ ભેટ !
અથવા એક ઉતમ સગવડતા કહો તો સગવડતા .
કે જ્યાં સુધી માનવી મન ચાહી સ્થૂળ વ્યક્તિને ના પમી શકે .
ત્યાં સુધી એ નિજ કલ્પનાના માધ્યમથી એની સાથે રાચી શકે.
સહજ શૂક્ષ્મની અનુભૂતિ સૌને થતી જ હોય છે..!
ઘણા લોકો સુંદરતા ને છેલ્લા ક્રમે મૂકે છે .
અને જ્યારે સુંદરતાની વાત નીકળે ત્યારે .
ઘણા તો એવિ ફિલોસોફી પણ કરતાં હોય છે કે ..
સુંદરતા તો જોનારની આંખમાં હોય છે.
આવી બાલિસ ફિલોસોફી થી કશું હાસિલ નથી થતું.
એમનું કહેવું એમ હોય છે કે, હ્રદયની સુંદરતા વધુ મહત્વની છે.
બિલકુલ ઇનકાર નથી જ પણ માત્ર ભીતરની સુંદરતા લઈને ઘણા ભટકે છે !
અમુક ઓઘડ સ્ત્રીઓને બાદ કરતાં પોતાની સુંદરતા પ્રત્યે પુરુષ કરતાં સ્ત્રીઓ
વધુ સભાન હોય છે. પોતાની સુંદરતા પ્રત્યે કોઈ સ્ત્રી ત્યારે જ બે દરકાર બને છે ,
જ્યારે તેને તેની સુંદરતાનો સાચો કદરદાન જીવન સાથી નથી મળતો.
આજ સુધી કોઈ પણ ગ્રંથ સુંદરતાની વાતોથી વંચિત નથી.
અરે સુંદરતાને જ તો સ્વર્ગની ઉપમા આપવામાં આવી છે !
સુંદર બગીચો જોઈ સહજ કોઈના મુખેથી શબ્દો સરી પડે ,
અહા..! કેવો સુંદર સ્વર્ગ સમાન બગીચો છે.
આવા જ ઉદગાર કોઈના પણ મુખેથી ઉકરડો જોઈને હરગિઝ નહીં જ નીકળે...!
અગર સુંદરતાનું કોઈ મૂલ્ય ના હોત તો વિશ્વામિત્ર ના તપો ભંગ માટે દેવોએ.
અપ્સરામાં સૌથી સુંદર એવિ મેનકા ને જ શા માટે મોકલી ?
કેમ બીજી અપ્સરાઓ સુંદર ના હતી ?
પણ મેનકાને એટલા માટે જ મોકલી કેમકે એ સૌથી સુંદર અને અંગ ભંગિનીમાં માહિર પણ હતી ...
રાવણ પણ સીતાની સુંદરતાને મોહી ગયો હતો..!
અરે યુધ્ધની શરૂઈવાત જ સુંદરતાથી થયેલી...
સિતા પણ સુંદર મૃગ જોઈ આકર્ષાઈ હતી...
હવે એ બધી વાતોના મર્મ મને ના સમજાવશો ...
કે ...
એમ પણ ના કહેશો તમે ઉપર છલ્લું સમજ્યા છો ભીતરની વાત જુદી હતી.. !
કેમકે આ બધી વાહિયાત દલીલો હશે , મન ઘડત હશે , અથવા આગેસે ચાલી આ રહી હશે ...
જે કોઈ કહી ગયું એ સ્વીકારી લેવાની બાલીસતા હશે... !
હું ભીતરની સુંદરતા ને વંદન સહ સહજ સ્વીકારું છું, અને એ ભાગ્યથી જ માત્ર પ્રાપ્ત થઈ શકે ...
લોકોનું બાહ્ય સ્વરૂપ બદલાઈ શકે ! પણ ભીતરનું સ્વરૂપ બદલવું એટલું સહજ કે સહેલું નથી જ !
એક નાનું અમથું બાળક પણ થોડી અમથી સમજ વિકસતા સુંદરતાથી આકર્ષાતું થઈ જતું હોય છે ...!
શું તમે ઉકરડામાં હવા ખાવા જશો...???
અગર સુંદરતાનું કોઈ મૂલ્ય જો ના હોત તો લોકો બગીચાને બદલે ઉકરડામાં ટહેલવા જતાં હોત. !
પણ નથી જતાં... કેમ...?
દિવ્ય પ્રેમની અનુભતી માટે પણ સ્થૂળ સ્પર્શ જરૂરી છે !
આખરે તો આ જીવન એટલે સતત સ્થૂળથી શૂક્ષ્મ અને શૂક્ષ્મ થી સ્થૂળ ની યાત્રા જ તો છે...!
ભરાય પેટ ભોજનથી .
પ્રેમથી પેટ ભરાય ના.
"અનંત" તરસ તીવ્ થાય.
ઝાંઝવાથી પ્યાસ બુજાય ના.
અહી એનો કહેવાનો મર્મ એ છે કે ભોજન થી પેટ ભરાઈ શકે છે .
પણ પ્રેમની ભૂખ એવિ હોય છે જે ભોજનથી નથી ભાંગી શકાતી .
અને ઝાંઝવા જોઈને તરસ છિપાતી નથી બલ્કે વધુ તીવ્ર થાય છે..!
એણે એવું પણ લખ્યું છે !
તરસ વધવા દેવી સતત "અનંત"
મૃગ જળ પાછળ નહીં દોડવાનું.
બ્લાસ્ટ :-
"અનંત"પાનખર અને વસંત ના ગાન ગાતા લોકો .
જીવનમાં આવતા પરિવર્તનને સ્વીકારી નથી શકતા.


No comments:
Post a Comment