Friday, 30 January 2015

આજે કોઇકનું કઈક નવું....

Saumya Joshi  જી .... 

આવું હું ભાગ્યેજ કરું છું... :) 

જે અત્યારે કરી રહ્યો છું.... :) 

આવા સમયે હું રીતસરનો

 દલાતરવાડી થઈ જાઉં છું .... 

પહેલા પૂછું છું ને પછી જાતે જ 

જવાબ આપી લઈ લઉં છું... 

મને જે જોઇયે તે... 

પણ એ જૂનું થયું , 

આજે એવું નહીં , જરા નવું ... 

તમે રાજેન્દ્ર શુક્લના ઉન્માદ ભર્યા શબ્દોથી

 સજાવેલું ઉત્કટ ચિત્ર ... 

તમારા શબ્દો સમેત હું લઈ જાઉં છું...!  

અહી સજાવવા માટે

 >>>>pkatira.blogspot.in<<<< 

આ હું પૂછતો નથી ... માત્ર કહું છું... :) 

કઈ વાંધો વિરોધ હોય,  તો.... 

એ તો પછી  જોયું જશે... :)

અને પછી.... 

તમે કાય વાંધા ઉઠાવો એ પહેલા 

મે કામ પતાઈ લીધું.... :) 

http://pkatira.blogspot.in/2015/01/blog-post_30.html#links
રાજેન્દ્ર શુક્લ... આપણી ભાષાના આધુનિક કવિ/ગઝલકાર. ગુજરાતી સાહિત્યનો ભાગ્યે જ કોઈ એવો પુરસ્કાર હશે જે 'ઋષિકવિ'નું બિરુદ પામેલા આ અનન્ય કવિને અર્પણ નહીં થયો હોય.
ભાવને પ્રગટ કરવાની, ભાષાનું આભિજાત્ય ઉપસાવવાની અને નવાં નવાં કલ્પનો, ઉન્મેષો પ્રગટાવવાની બાબતે તેમનો જોટો જડવો મુશ્કેલ છે. ગુજરાતી સાહિત્યને તેમનું પ્રદાન એક નવું જ પરિમાણ બક્ષે છે. કવિવરે કેટલાંક ઉત્તમ રતિકાવ્યો લખ્યાં છે.
પ્રસ્તુત કાવ્યાંશમાં, કવિવરે, અત્યંત સૂક્ષ્મ અભિવ્યક્તિ દ્વારા એકદમ સહજ રીતે રતિક્રીડાને વર્ણવી છે!
https://www.facebook.com/photo.php?fbid=189326894570748&set=a.105599722943466.13333.100004803154933&type=1&permPage=1




No comments:

Post a Comment