Friday, 17 June 2016

આવું તો એણે ઘણું બધુ લખેલું કહેલું છે ...

"અનંત"ની અંતર વાણી...
"અજ્ઞાની" ના બ્લાસ્ટ....
જાણી,જોઈને, જોઈ જાણીને, પણ !
કોઇની ક્રિયા પર પ્રતિક્રિયા ના આપવી ,
એ પણ આમ તો એક અલગજ અંદાજમાં-
આપેલી પ્રતિક્રિયા જ ગણાય...
"અનંત"
આવું વર્ષો પહેલા ભાઈબંધ "અનંતે " ખૂબ ઊંડાણ પૂર્વક વિચારીને....
એની નોંધ પોથીમાં નોંધેલું /લખેલું છે..!
અંતમાં એણે એવું પણ નોંધેલું છે./ લખેલું છે કે,,,,
આ રીતની મૌન પ્રતિક્રિયા ઘણા લોકોને બેચેન કરે છે .
તો, ઘણા લોકોને આવી પ્રતિક્રિયાથી અકળામણ પણ !
થતી હોય છે.....
ખૈર... 
અંતમાં ભાઈબંધના બે ભડાકા..... 
*બ્લાસ્ટ* 1
જે વ્યક્તિ માત્રને માત્ર વસ્તુનેજ ચાહે છે પ્રેમ કરે છે,
તે "અજ્ઞાની" આખરે એક દિ' પ્રેમાળ વ્યક્તિને ગુમાવે છે... !
"અજ્ઞાની"
*બ્લાસ્ટ* 2
"અજ્ઞાની" પારકાને પોતાના કરવા જતાં ક્યાક,
પોતાના પારકા ના થઈ જાય એ ખ્યાલ રાખજે...!
"અજ્ઞાની"
ચોઇખવટ .....
તમને એમ લાગે કે તમને કહે છે !
મને એમ લાગે કે લે ! આ તો મને જ કહે છે.!
એ બન્ને નું લખેલું કઈ પણ !
વાંચ્યા પછી આવતો આ વિચાર આ અનુમાન મારુ કે તમારું -
સાવ કરતાં સાવ ખોટું...
કેમકે એ હંમેશા જાત સાથે જ વાતો કરતા ....
અર્થાત....
એ કઈ પણ, કોઈ કરતાં ને કહેતા નહીં સિવાય પોતાના...
ચોઇખવટ પૂરી.....
LikeShow more reactions
Comment

No comments:

Post a Comment