Monday, 23 July 2018

અગર હું ન બોલું તો શું ફર્ક પડે !

"અજ્ઞાની" અગર હું ન બોલું તો શું ફર્ક પડે !
ગર બોલું તો,સ્વર્ગ મળે યા તો નર્ક મળે।  
"અજ્ઞાની"
તે દિવસે મને બૌ ઊંઘ આવતી હતી એકલે 

વર્ષો પહેલા અજ્ઞાનીએ જે વાત કરી તે મને સમજાઈ નહોતી  .

પણ પછી  બીજી રાત્રે જ્યારે મેં પૂછ્યું હતું કે, 

અજ્ઞાની ગઈ રાત્રે તું ચૂપ હતો મૌન હતો ત્યારે 

મેં તારી ચુપકીદી અને તારા મૌનનું  કારણ પૂછ્યું ત્યારે, 

તે માત્ર એટલુંજ કહેલું કે,

"અજ્ઞાની" અગર હું ન બોલું તો શું ફર્ક પડે !
ગર બોલું તો,સ્વર્ગ મળે યા તો નર્ક મળે .

એ વખતે મને કૈજ સમજાયું નહોતું 

મેં તને પૂછેલું પણ ખરું કે 

અર્થાત ?

ખૈર...

ગઈ રાત ગઈ લેકિન વો બાત દિમાગસે અભીતક નહીં ગઈ 

તો  હવે આજે તો કહે તે કહ્યું એનો અર્થ શું ? 

ત્યારે....   

મારા સવાલ ના જવાબમાં દાઢી પર આંગળી ઘુમાવતા મૂછમાં હસતા 

અજ્ઞાનીએ ખુબજ શાંતી પૂર્વક અને સહજતાથી કહ્યું,

હાં તો સાંભળ પરીયા...

ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે યારો દોસ્તો સાથે કે પછી 

કોઈ સંબંધી સાથે સાવ સામાન્ય વાત કરતા હોઈએ ત્યારે જો 

સામેની વ્યક્તિ સમજદાર અને વિચારશીલ હોય તો વાત જુદી છે 

એ સહજતાથી લ્યે અને સહજતાથી  સમજદારી પૂર્વક સાંભળે 

વાતનો ઊંડો મર્મ સમજે અને પછીજ યોગ્ય લાગે તો ઉત્તર આપે 

અને કોઈ પણ ચર્ચા સમજદારી પૂર્વક આગળ વધારે 

પણ  જો સામે કોઈ અણસમજુ હોય તો એ લોકોને 

કંઈજ સમજાય નહીં યાતો અસામાન્ય લાગે ત્યારે,

એ ખોટી દલીલો રજુ કરે અને વાદ વિવાદ પણ થઇ જાય 

ઘણા મૂર્ખ લોકો ને તો  માત્ર બોલવું એટલે બોલવું જ એમ વિચારી 

વાતનું હાર્દ સમજ્યા વગર 
અવીચારી બોલ બોલ કરતા હોય છે .

એવે સમયે એવા લોકોને એ જ્ઞાન ભાન પણ નથી હોતું કે ,

તે બોલતા બોલતા કેટલું કાચું કાપે છે , બોલવા કરતા વધુ બાફે છે.

પછી જ્યારે પોતાની 'પોલ 'ભૂલ પકડાય ત્યારે ખુબ અકળાય છે !

અને પોતાની ભુલને સ્વીકારવાને બદલે ,

પોતાનાથી બોલાયેલ જૂઠ ને સત્ય સાબીત કરવા ધમપછાડા કરે 

ગુસ્સો પણ કરે અંતે સૌની શાંતી હણાય છે 

અને નર્કની અનુભુતી થાય છે      

તો અગર જો પરીયા આપણે। 

સામેની વ્યકતિ , સમય અને સંજોગ પારખીને  મૌન રહીયે 

તો કંઈજ ફર્ક ના પડે અને માત્ર એકજ ઘટના બને કે,

 કોઈને પણ તકલીફ ના થાય.. 

પણ અગર જો વ્યકતિ  સમય કે સંજોગને પારખ્યા વિના 

બોલવા લાગીએ તો બે ઘટના ઘટે 

જો સામેની વ્યક્તિ સમજદાર હોય અને વાતને હળવાશથી લે તો 

આનંદ થાય અને આનંદ એ સ્વર્ગીય અનુભૂતિ છે।  

પણ અગર જો સામેની વ્યક્તિ અણસમજુ હોય ,

 યા તો લઘુતા ગ્રંથી થી પીડાતી હોય તો,  

તેને આપણે કરેલી સામાન્ય વાત પણ અસામાન્ય લાગે 

અને એ ખોટી દલીલો કરવા લાગે તો નાહક વાદવિવાદ થાય 

અને એવું જો થાય તો અનેકની શાંતી ડહોળાય 

અને વાતાવરણ તંગ થઇ જાય 

જે નબળા લોકોના મન પર નબળીજ અસર ઉપજાવે 

અશાંત મન એટલે નર્ક

તો નર્કની  અનુભૂતિ થાય એવી શક્યતા હોય તો,

બહેતર છે એવા સમયે ચૂપ રહેવું મૌન રહેવું।

અને એમ કરવાથી , આપણા મૌન રહેવાથી 

તો કોઈને પણ ક્યાં કશો ફર્ક  પાડવાનો હતો !

કમસે કમ નર્કની અંનુભતિથી તો બચીજ શકાય ને   !

નર્કની અનુભુતી કોઈને ગમતી તો નથીજ 

તેમ છતાં અમુક લોકો ખુદ નર્ક જેવી  સ્થિતીનું નિર્માણ કરતા હોય છે ! 

એટલેજ મેં તે રાત્રે અમુક એવા મિત્રોની હાજર હતા 

જેને હું જાણતો હતો એમના સ્વભાવને પણ હું જાણતો હતો 

એ લોકો  અમથે અમથા લઘુતાગ્રંથી  પીડાવાના આદી હતા।  

એટલેજ હું ત્યારે  કશુંજ બોલ્યો નહિ અને મૌન રહ્યો। 

અને એટલેજ તે જ્યારે મને બોલવાનો આગ્રહ કર્યો ત્યારે મેં 

કહ્યું હતું કે , 

*બ્લાસ્ટ*

"અજ્ઞાની" અગર હું ન બોલું તો શું ફર્ક પડે !
ગર બોલું તો,સ્વર્ગ મળે યા તો નર્ક મળે !
"અજ્ઞાની"
અજ્ઞાનીએ  જે કઈ કહ્યું છે અંત સુધી 
હું અને અનંત ચુપચાપ ધ્યાનથી સાંભળતા રહ્યા !

અજ્ઞાનીની વાત પુરી થઇ ગઈ અકલે અંતમાં અનંત બોલ્યો કે, 

ગમે તેટલું બોલીયે છતાં લગીરે સમજે નહીં 
એવી ના સમજ વ્યક્તિ માટે મોં ખોલવું શું !
અને, સમજે "અનંત" જે મૌનની ભાષા 
એવી સમજદાર વ્યક્તી  સામે બોલવું શું !
"અનંત" 

જો કે પછી તો મને ભયંકર મને ઊંઘ આવવા લાગી હતી !

છતાં ભારે પાંપણે મેં  અનંતને કહ્યું। 

યાર મને આખી વાતનો સાર ટૂંકમાં કહી દેને અકલે હું ઊંઘી જાઉં 

મને બૌવજ ઊંઘ આવે છે ! 

અનંતે હસતા હસતા અજ્ઞાની સામે જોઈ કહ્યું ભૈ મને ટૂંક સાર અર્થાત 

ટૂંકમાં કહેતા નહીં ફાવે અજ્ઞાની તુજ આ ઉંઘણસીને ટૂંક સાર કહી દે।   

અજ્ઞાની એ મારી સામે જોઈને કહ્યું। 

પરીયા  ટૂંક માં  અમારો કહેવાનો મર્મ એટલોજ હતો  કે, 

"અજ્ઞાની"મૌનમાં જે  મજા છે તે બોલવામાં નથી હોતી 
ભેદ છુપાવવા જેવી મજા ભેદ ખોલવામાં નથી હોતી।  

"અજ્ઞાની"
ની અંતવાણી સાંભળી હું ઊંઘી ગયો। ...  
*બ્લાસ્ટ*
મોટો એમ સમજે છે કે તે મોટો છે !
મગર એ મગરૂર એ નથી જણાતો કે,
હર એક મોટો નાના થકી હોય છે  !

પાયાનો પથ્થર પણ નાનોજ હોય છે !
અને નાના પથ્થર પર મોટી ઇમારત ઉભી રહી શકતી હોય છે !

નાના પાણા અને નાના માણાની કીંમત ક્યારેય ઓછી ના આંકવી 

કેમકે અગર એ જરાક અમથા જો ખાંસી જાય 
તો મોટા માણા કે પછી મોટા મોટાપાણાનો મિનારો પણ 
ક્ષણમાં કડડડ ભુસ થઇ જાય 
"અજ્ઞાની" 



વર્ષો પહેલા ...
તું બૌ બોલે છે !
'ને સૌ બોલે છે !
"અજ્ઞાની" મગર હું ના બોલું, તો શો ફર્ક પડે..!
અગર બોલું તો.! સ્વર્ગ મળે યા તો નર્ક મળે ...!
"અજ્ઞાની"
આપણને બોલ્યા વિના લગીરે ચાલતું નથી... (મનેય તે ! )
બોલી ના શકાય એ સંજોગોમાં લખ્યા વિના ચાલતું નથી ...
( જો કે મને બૌ ફાવે, નૈ ! )
પણ આ જગમાં ઘણા એવાય લોકો હોય છે,
જે બૌ ઓછું બોલે છે, અને વધુ સમજે છે !
બધુ સમજે છે ...! અનુ. >>>
( ઘણા ખૂબ બોલે છે ! પણ ખુદ સમજતા નથી )>
( જેમ કે હું...! ) 
બાકી સૌ સમજદાર સમજે છે ખૂબ ખુદને !
હોય છે એવું મે ક્યાં કહ્યું..!?
ઐ.... જીભડી વાળુ ચિતર 
>>> સંધાન...
જેની હયાતી કરતાં ગેર હયાતી વધુ બોલકી હોય છે ...!
અર્થાત :-
જે એની હયાતીમાં ઓછું બોલ્યા હોય,
'ને વધુ મૌન રહ્યા હોય,
એની ગેર હયાતીમાં એના વિષે, મારા ,તમારા જેવા,
બૌ બોલ બોલ કરતાં હોય છે....
અને ઘણી વાર એવુય બને કે,
એવા ઓછા બોલા સહજ ભાવમાં કોઈ વાક્ય બોલે,
એ મારા જેવાને નોંધી લેવાનું મન થાય....
અને પછી એના જ નામે લખવાનું પણ મન થાય ...
જ્યારે અમુક, વિચાર,વાક્ય,શબ્દ, ચોરોને !
આવા અન્યના વાક્યો, વિચારો,શબ્દો-
પોતાના નામે ચડાવવાની ચળ આવે ,
એના મનમાં મહાન થવાના છળ પણ આવે છે.
જોકે આખરે ચોરી તો પકડાય જ જાય છે.!
જ્યારે મળતા ભળતા શબ્દો આગળ પાછળ આવે છે.
અને તો પણ એ બડી બે શરમી સાથે અમુક લોકો એવું કરે છે !
પણ મને એવું બિલકુલ ના ફાવે રે...
અજ્ઞાની તું બૌ ઓછું બોલે છે !
ક્યારેક ક્યારેક જ મો ખોલે છે !
એનું કારણ શું ?
વર્ષો પહેલા અધ રાતે મધ રાતે જ્યારે....
અમારી મહેફિલ જામેલી ત્યારે ...
ચાયની ચૂસ્કી સાથે પૂછેલા મારા આ સવાલના જવાબમાં,
એણે કહ્યું હતું કે,
તું બૌ બોલે છે !
'ને સૌ બોલે છે !
અગર હું ના બોલું તો શો ફર્ક પડે..!?
બોલું તો, સ્વર્ગ મળે યા નર્ક મળે ...!
અર્થાત...?
મે સવાલ કર્યો.
મે કહ્યું અજ્ઞાની તું બોલ ના બોલ મરજી તારી...
પણ, આ સ્વર્ગ નર્ક વાળી વાત મને લગીરે ના સમજાણી ....
અકલે અર્થ સમજાવતા એણે આગળ ચલાવ્યું ....
પણ હું નૈ ચલાવું કેમકે ....
મને ગાઢ ! ઊંડી ! મીઠી મસ્ત મજાની ઊંઘ આવે છે .... !
ક્રમશ:- ...........
ફોટો બાય ....
બાય,અર્થાત....
ભા.આ..આ... ય..!
એકજ અર્થમાં અંગ્રેજી વાળું ...by ...
સમજોને હવે યાર ..!
યાની,,
ફોટો by ક,તિરા... 
હાં ,હાં, વર્ષો પહેલાજ ..!
Katira Paresh added 2 new photos.
December 18, 2015 ·
Comments

LikeShow more reactions
Reply1y
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
🤔🤔🤔🤔🤔

Manage


LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેહગાર એમા આકલુ બધુ શુ વીચારવાનુ હોય, 
હુ એમ કૌ છુ.. 😇
Manage


LikeShow more reactions
Reply19w
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Kai nahi

Manage


LikeShow more reactions
ReplySee Translation19w
નિર્દોષ ગુનેહગાર ખ્ખોટ્ટી..!
તો, પછી,,,
આમ પાંચ પાંચ વાર...

હોઠની આસપાસ...
ત્રણ આંગળી વાળીને..
હોઠની એક બાજુ અંગુઠો અને બીજી બાજુ
નાજુક આંગળી રાખીને
કૈક વીચારતી હોય એમ
શુક્કામ મારી સામુ જુવે છે..?
Manage


LikeShow more reactions
Reply18w
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Le varas ela ni koi vat mane kem yad hoy
Manage


LikeShow more reactions
Reply18w
નિર્દોષ ગુનેહગાર હાં તો પેલ્લાજ એમ કેવાય કે ને કે મને,
અકલે કે તને યાદ નથી...
કૈ નહીં એમ શુક્કામ કહ્યું હુ એમ પુછુ છુ
Manage


LikeShow more reactions
Reply18w
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Tame rewadyo
Manage


LikeShow more reactions
Reply18w
નિર્દોષ ગુનેહગાર શુક્કામ..!
હું શુક્કામ રેવા દૌ ભૈ
વાંક્ક ત્તાર્રો છે

મ્માર્રો નૈ સમજી.!
Manage


LikeShow more reactions
Reply18w

No comments:

Post a Comment