Monday, 27 June 2022

ઓઢણા ઉડ્યા ની ઘટના

 

વાત આ કડવી અને સચ્ચી 

કોઈ ને ના પચી 

અને 

પછી,,, 

*અપવાદ બાદ*

એ સમયે જ્યારે મે અહી અનંતની લખેલી રચના મૂકી

ત્યારે સ્ત્રીઓને ગમ્યું નહીં થોડા સવાલો થયા , બસ માત્ર સવાલો .. 

જેનો ઠોસ જવાબ સાંભળવા કે સત્ય સ્વીકારવા કોઈ તૈયાર ના થયું .. 

એ રચના રજૂ કરી ત્યાર બાદ  એક પછી એક ઘટના એવિ બનવા લાગી કે,

જવાબ આપો આપ સામે આવવા લાગ્યા ... 

પણ કોઈ સાંભળવા ઊભું ના રહ્યું ... 

ત્યાર પછી મને સમજાય ગયું કે ,

આ માધ્યમ માત્ર ને માત્ર મનોરંજન માટે વપરાય ... 

અહી બૌ જાજી બધી હુશિયારી ના મરાય .... 

બસ..! 

પ્રેમ કરાય, આનંદ કરાય, અને ભૂલી જવાય  ..!

જો કે તો પણ ઘણી સારી,ખરાબ,પ્રેમાળ, ઘટનાઓ,

એવિ પણ બની જે ભૂલી ના શકાય ...  

અને ક્યારેક એવું પણ બને અર્થાત 

અત્યાર જેવુ પણ બને કે , 

આપણે ભૂલવાના આરે હોય, 'ને ત્યાજ , ત્યારેજ ..!

આ ફેસબુક ભૂલું ભૂલું કરતાં ભુલાઈ રહેલી ઘટના કે ,

બીજું ઘણું બધુ ભુલાયેલું યાદ કરાવે .... 

ખૈર ..

એ સમયનો ઘટના ક્રમ આ પ્રમાણે છે ...!

વર્તમાન અને ભવિષ્ય ....

&&&&&&&&&&&&&&&&&&&&&&&

વર્તમાન અને ભવિષ્ય .... 

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

"અપવાદ બાદ કરતાં"

વર્તમાન.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ.... 

"અનંત" લિખિત.... 

આ વાત વર્ષો પહેલા મારા મિત્ર અનંતે લખી/કહી હતી... 

પણ પછી એને વિચાર આવ્યો કે સાલું આવું લખાય ખરું ..

સ્ત્રી માટે આવો હલકો હલકટ શબ્દ વપરાય ખરો...! 

જોકે હ્રદયથી જે સાહિત્ય કાર હોય છે,

તેની દ્રષ્ટિ તેના વિચાર કુદરતી રીતે જ 

દીર્ધ અને ઊંડા હોય છે... 

સાચો કલાકાર ઈશ્વરની ખૂબ નજીક હોય છે,

તેથી જ ક્યારેક તેની કલમ માથી  સચોટ અને, 

દિવ્ય શબ્દો આપોઆપ પ્રગટ થઈ જતાં હોય છે...   

ભૂતકાળ કે વર્તમાન ની ઘટનાઓ વિષે લખતા લખતા.... 

ક્યારેક એની કલમ એના વિચારો અનાયાસે જ ભવિષ્ય ભાખી લેતા હોય છે ... 

જે ઘટના બની નથી હોતી તેનું વર્ણન 

એ લોકો સહજ કરે છે ... 

અને પછી થી કોઈ સમયે 

એ ઘટના આકાર લેતી હોય છે .... 

આવા હ્રદયસ્થ કલાકારો, સાહિત્ય કારો લોકોને,

સાચી દિશા બતાવવાનું કાર્ય કરતાં હોય છે.

બાકી વિચારોના છીચોરા સાહિત્યકારો માત્ર,

પોતા પોતાનો  સ્વાર્થ સાધવા 

ખોટી દિશા બતાવતા રહે છે ..! 

જેનું પરિણામ આવ્યું /આવી રહ્યું છે/ એનાથી પણ અધિક ભયંકર આવી શકે છે ..... 

"અપવાદ બાદ કરતાં "

જેમ ઘણા પુરુષ હલકા વિચાર ધરાવતા હોય છે તેમ,

ઘણી સ્ત્રી ઑ પણ વિકૃત વૃતિ ધરાવતી હોય છે.... 

એક સ્ત્રી મજબૂરીથી વેશ્યા વૃતિ/વ્યવસાય અપનાવે છે તો,

બીજી મોજ શોખ ખાતર શરીરના સોદા કરે છે.. 

તો કોઈ કોઈ  સ્ત્રી વળી નિશ્વાર્થ ભાવે , છતાં સ્વાર્થ એજ પરમાર્થ કાજે .. 

લોક કલ્યાણ ના કાર્યો કરતાં કરતાં આયખું પૂર્ણ કરે છે. 

આવી બધી વાતો અનંત બૌ કરતો ... 

ખૈર....  

મૂળ વાત પર આવું તો  અનંતે આ રચના....

લખતા તો લખી નાખી , અને રચના માત્ર આટલીજ નથી 

એથી આગળ પણ એણે એને ખૂબ ઊંડાણ પૂર્વક

સ્ત્રીઓની બદલાતી પ્રકૃતિ અને એમાથી ઉદભવતી વિકૃતિ....  

ને પછી સમાજ દ્વારા મને ક મને થતી 

સ્વીકૃતિ નું વર્ણન કરેલું છે.!      

આ રચના લખ્યા પછી અનંતને થયું આવું કેમનું લખાય,

આ તો બૌ ખરાબ કહેવાય...

કોઈ સારા ઉમદા સાહિત્ય કારની સલાહ લઉં,

એને જઈને આ રચના બતાવું વંચાવું ને પૂછું કે,

શું આ મારાથી જે લખાયું છે તે ઠીક છે ...! 

આમ વિચારી તે મોરબીના મેઘાણી ગણાતા,

ઉચ્ચ સાહિત્ય કાર તેમજ મોરબી નાટ્ય તખ્તાના પડછંદ અવાજ ના માલિક,

સ્વર્ગસ્થ શ્રી. રમેશ ભાઈ દફતરીને મળ્યો .... 

શ્રી રમેશ ભાઈ દફતરી અન્ય સાહિત્યકારની માફક,

ઊગતા કલાકારોને ઉતારી પાડનારોમાં ના હતા. 

બલ્કે ઊગતા કલાકારોને યોગ્ય  માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરે એમાના હતા.     

અનંત અવાર નવાર સાહેબને,

મોરબી ગ્રીન ચોકમાં આવેલી ગ્રીન હોટલમાં મળતો.

પ્રથમ તો સાહેબ ચાય મંગવતા અને પછી,

અનંત પોતાની રચના સાહેબને બતાવતો. 

અનંતની રચનાઓ દફતરી સાહેબને  ખૂબ ગમતી.

અને જ્યારે તે કોઈ રચના એને બતાવે /વંચાવે ત્યારે,

દફતરી સાહેબ તે ધ્યાન પૂર્વક વાંચતાં,

વાંચીને પછી પોતાની અંગત ડાયરીમાં પણ સ્થાન આપતા... 

તે દિવસે પણ અનંત પોતાની આ રચના... >>>>

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....  

લઈને સાહેબ પાસે ગયો સાહેબે ચાય મંગાવી, 

ચાયનો ઓર્ડર હમેશા તેઓ આપતા ચાહે  

કોઈ પણ હોય ... 

તે ક્યારેય કોઈને ચાઈના પૈસા ખર્ચવા ના દેતા ...

આ એમની લાગણી અને દિલેરી હતી. 

ચાય પીધા બાદ સાહબે જ અનંત ને પૂછ્યું બોલ શું નવું લખી આવ્યો છે. 

અનંતે આ રચના....  

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ.... 

લખેલ કાગળ આપ્યો સાહેબે આખે આખી રચના ધ્યાન પૂર્વક વાંચી,

અને અનંત નો વાંસો થપથપાવતા બોલ્યા 

એક દમ કડવું છે પણ ,

અનંત તે સચોટ સત્ય લખ્યું છે અનંત એક દમ ચોટદાર...

અનંત કહે સાહેબ તમને કોઈ શબ્દ અજુગતો ના લાગ્યો...?  

સાહેબ:- નારે કઈ કોઈ શબ્દ ખોટો નથી લખ્યો કેમ.!? 

તને ક્યો શબ્દ અજુગતો લાગ્યો...? 

અનંત:- સાહેબ આ લખતા તો લખાય ગયું પણ,

સ્ત્રી માટે આ નફ્ફટ શબ્દ લખતા લખાઈ ગયો પણ મને  જરા સારું નથી લાગતું ... 

સાહેબ :- અરે ગાંડા તે સત્ય લખ્યું છે , અને,

સત્ય કહેવા માટે બિલકુલ બંધ બેસતો શબ્દ જ 

તે પ્રયોજ્યો છે,

અસસલ લોક બોલીમાં બોલાતો શબ્દ લખી તે વાત  ને જીવંત બનાવી છે ... 

તો પણ અનંત ને મનમાં ઊંડે ઊંડે ખટકો હતો.  

તેથી તેને કહ્યું સાહેબ આ "નફ્ફટ" શબ્દની બદલે "નિર્લજ્જ" 

લખ્યો હોય તો...

સાહેબે કહ્યું,  

નિર્લજ્જ શબ્દ પણ પ્રયોજી શકાય પણ પેલો હટાવ્યા વિના... 

અને પછી અનંતે "નફ્ફટ" ની જગ્યા એ "નિર્લજ્જ" શબ્દ લખી ફરી વંચાવ્યું ...  

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નિર્લજ્જ.. . 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ્જ .... 

"અનંત"

સાહેબે અનંત ને શાબાશી આપતા કહ્યું કે ,

અનંત એક લેખકે સત્ય કહેતા કદી ડરવું ના જોઇયે ... 

બ્લાસ્ટ :_

જે સમયે જે સ્થ્તિતી તે સમયે તેવા શબ્દો અનાયાસે પ્રગટ થઈ જતાં હોય છે ... 

અને ત્યારેજ શબ્દો  જીવંત થઈ બોલતા હોય છે !  

'અજ્ઞાની'

માટે તું આગળ બન્ને શબ્દનો પ્રયોગ કરજે. 

(ક્રમશ) આગળનું નું કાય નક્કી નૈ આગળ તો આગળનો કાગળ મળે તો વધે.  

આગળ વધે તો વધે નૈ તો આને પૂર્ણ સમજવું...  :) 

બ્લાસ્ટ:- 

"અજ્ઞાની" 

"અજ્ઞાની" આપણે માત્ર ને માત્ર..! 

સાચી દિશા બતાવવાનો પ્રયાસ કરી શકીએ મગર... 

પરાણે કોઈને ચિંધ્યા રસ્તે ચાલવા મજબૂર ના કરી શકીએ...  

આખરે તો હિસાબ મુજબજ  સૌ પોત પોતાના રસ્તો જાતે પસંદ કરે છે... 

"અજ્ઞાની "

"અજ્ઞાની" લોકો વાતના ઊંડાણમાં ઉતાર્યા વગર સમજ્યા વિચાર્યા વગર ... 

માત્ર ને માત્ર સવાલો ઊભા કરે છે , જવાબ હોય જ છે પણ કોઈ સાંભળે તો ..! 

"અજ્ઞાની"

No comments:

Post a Comment