Sunday, 14 September 2014

અધુરા આવ્યા અધુરા જ જવાનું છે.!

બાકી શાંતી રાખવી...

જે થયુ તે પણ થવાનું નિશ્ચિત હતુ.! 

જે થાય છે તે પણ થવાનુ નીશ્ચી છે.! 

અને જે થવાનું છે તે પણ થવાનુ નીશ્ચત છે.!

"અનંત"

પછી તારી મરજી તું સુખી રે કે દુ:ખી...!

તું ખુશ રે કે ઉદાસ..!

પ્રેમ થી જીવ કે જખ્ખ મારીને જીવ

શરીર મા શ્વાસ છે ત્યાં સુધી જીવવું તો પડશે જ..!

*અનંત*વર્ષો પહેલાં આવું કાં'ક કેતો તો... 🤫🤫🤫

વર્ષો પહેલાં ખંડેર મધ્યે મધરાતે... 

ચાય ની ચુસ્કી ભરતા ભરતા.... 

અમારી મહેફિલ જામે છે... 

ચાય નો ઘુંટ ભરી, 

દાઢી પર હાથ પસારતા પસારતા... 

મારા તારા તમારા જેવા સૌને થતા 

સવાલ ના જવાબ માં અજ્ઞાની કહે છે, 

આમ તો સૌ કોઈ પોત પોતાના માં પુર્ણ જ હોય છે..! 

મગર "અજ્ઞાની" એ અહેસાસ થવો આસાન નથીજ.! 

કૈક જન્મોની આવન જાવન અને તપશ્ચર્યા પછી 

કદાચ એ ઘટના કોઇ સાથે ઘટે તો ઘટે.! 

અને એમ ન થવુ કે ન થવા દેવુ 

એજ તો પરમ તત્વ ની અકળ લીલા છે, 

માયા છે, માયાજાળ છે..! 

કરોળીયો ખુદ જાળ બનાવે છે.! 

પછી એમાંથી છુટી નથી શકતો.! 

માનવ માત્ર એક કરોળીયો છે.! 

કરોળિયા નો ગુણ કહો યા અવગુણ 

માણસ માત્ર માં છુપાયો છે.! 

કરોળીયો પોતે પણ જાળ મા ફસાતો જાય 

અને બીજાને પણ ફસાવતો જાય..! 

બસ આજ માયાજાળ છે..! 

આટલુ કહી અજ્ઞાની મૌન થઈ જાય છે.! 

પછી... 

સુર્રરરરર કરતાક જોરદાર ચાયની ચુસ્કી ભરી 

અનંત તારા મારા આપણા જેવા અનેક ને થતાં 

સવાલ ના જવાબ મા કહે છે,

એટલે જ ભટકે છે "અનંત" સૌ કોઈ અહીં તહીં 

કોઈને પણ.! જોઈતું હતું એવુ જીવન નથી મળ્યુ .

કૈ કે જોયા છે સપના પ્રેમ ના કૈ કેટલાયે કર્યો છે પ્રેમ,

તેમ છતાં પરમ ચરમ અખંડ અનંત પ્રેમ નુ સપનુ 

અહીં કોઈનું નથી ફળ્યું .!

"અનંત" 

*બ્લાસ્ટ* 

આવ્યા છે, આવે છે, આવશે સૌ કોઈ અહીં પુર્ણ થવાને, 

મગર થયુ નથી કોઈ આજ સુધી પુર્ણ કે નથી પુર્ણ થવાનુ. 

"અનંત" અધુરા જ આવ્યા છે સૌ , છે અધુરા જ જવાનું.! 

ગયા વગર નથી અવાતુ અહીં આવ્યા વગર નથી જવાતુ.!

 "અનંત"

મને સમજે એવુ પાત્ર મારા જીવનમાં ન આવ્યુ. 

અને ના સમજ ને "અનંત" સમજદાર પાત્ર મળ્યું.

અનંત જ્યારે આવી અધુરપ ને લઈને પરેશાન થતો 

ત્યારે અજ્ઞાની એને કાયમ આ ગઝલ 

સાંભળવતો ને ગાતો... 

પછી અનંત સમજી જાતો... 


એટલે પછી વાત ના અંતમાં ભાઈબંધ 
અજ્ઞાની એ કહ્યું કે, 
જે થયુ તે થવાનું નીશ્ચીત હતું..! 
જે થાય છે તે પણ થવાનુ નીશ્ચીત છે ..! 
અને જે થવાનું છે તે પણ.! 
થવાનુ નીશ્ચીત છે...! 
એમા તારા મારા આપણા કે કોઈના થી પણ.! 
કૈજ ફેરફાર થૈ શકે એમ નથી.! 
તો પછી રોઈ કકડી ને રીબાતા પીડાતા 
શા માટે જીવવું..? 
જે મળ્યું જેટલુ પણ મળ્યુ.! 
જેના થી મળાયુ જેટલુ પણ મળાયુ..! 
એનો આનંદ લે..! 
ચાહે પ્રેમ થી, 
ચાહે જખ્ખ મારી ને.! 
અન્ય ને ખુશ રાખવા સુખી કરવા 
એ એક નૈતિક ફરજ છે કર્તવ્ય છે.! 
પરંતુ, ઈમાનદારી પુર્વક 
ખુદને ખુશ રાખવા નો સુખી કરવા નો 
સુખ શોધવા નો સુખના રસ્તા શોધવાનો પણ..! 
સૌ કોઈ ને ને હક્ક છેજ..! અબાધિત અધિકાર છે..! 
મગર કોઈને દુભાવી કે દુ:ખી કરીને સુખી થવુ કે
જાતને ખુશ રાખવુ ઉચીત નથીજ..! 
સીવાય કે 
અન્ય ના વાણી, વર્તન કે વ્યવહાર થકી 
 તમારે કે, 
તમારા વાણી, વર્તન કે, વ્યવહાર થકી 
અન્ય નુ દુ:ખી થવાનુ, 
કે દુભાવા નુ 
હીશાબ મા આવતુ હોય, 
તો નીશ્ચીત એમજ થશે.! 
એમા મારા તમારા કે આપણા થી 
કૈજ ફેરફાર નહીં જ થાય..! 
જો એવા હીશાબ હશે તો, 
આપણે સૌ એક બીજાને માત્ર 
આશ્વાસન આપી શકીશું એ સીવાય... 
 તું મને હું તને કે આપણે, 
કોઈ પણ કોઈને પણ ઉગારી નહીં શકે..!
અમે તો બીલકુલ એવા ભ્રમમાં નથીજ.! 
કોઈનો હીશાબ પુરો થતો હોય ને એ 
હીશાબ મુજબ કોઈ ઊગરી જાય એ વાત નોખી છે.! 
મગર તમે કોઈને ઉગાર્યા કે ઉગારી શકો છો..! 
એવા ભ્રમમાં તો હરગીઝ ન રહેવું..! 
તમારા લીધે કોઈ દુ:ખી થયુ છે એ વીચારે 
દુ:ખી પણ ના થવુ ને તમે કોઈને સુખી કર્યો છે, 
એવા ભ્રમમાં ઉછળી ઉછળીને નાચવુય નૈ... 
ના તો તમે કોઈને સુખી કરો છો કે કરી શકો છો.! 
ના તો તમે કોઈ ને દુ:ખી કરો છો કે કરી શકો છો.! 
અહીં સૌ સૌના હીશાબ મુજબ 
સુખ દુઃખ ભોગવે છે ને ભોગવશે...! 
તમે ક્યાંક ક્યારેક કોઈના સુખમાં કે 
દુ:ખમા નીમીત થૈ જાવ એ વાત નોખી છે.! 
એમાં પછી તમને જશ મળે તો તમારો હીશાબ 
અને અપજશ મળે તો પણ તમારોજ હીશાબ... 
બાકી બંને બાબતે સામાવાળા નુ કાયજ નૈ... 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે, 

છેક લગી એ કોઈ સમજી નથી શકતુ "અનંત" 
કે હીશાબ જુના ચુકતે થાય છે કે નવા ચડત.! 
"અનંત" 
વાત સુખ શાંતિ આનંદ.... 
યા પરમ ચરમ અખંડ અનંત આનંદ... 
શોધવાની વાત હોય તો, 
ભાઈબંધે તો વર્ષો પહેલાં કહ્યું જ છે કે, 

"અનંત" શોધે છે તેને અચુક રસ્તા હજાર મળે છે.! 
હર એક દિશા માંથી "અનંત" નવા વીચાર મળે છે.! 
"અનંત" 

તો સુખ શોધો.... 
શોધો સુખ...! 
મગર ઈમાનદારી સાથે..! 
સુખ, ખુશી, આનંદ... 
પરમ ચરમ અખંડ અનંત આનંદ.... 
શોધવાનો સારી અને સાચી દિશામાં, 
હંમેશા પ્રયાસ કરતુ રહેવું...
આખરે આપણે સૌ એજ કરીએ છીએ 
અને એજ કરી શકીએ..! 
પ્રયાસ.... 
માત્ર પ્રયાસ.... 
માનવ સ્વભાવ મુજબ પહેલાં બહાર ભટકો...! 
સૌ ભટકે છે.! 
બહાર મળે તો ઠીક છે.! 
નૈ તો ભીતર શોધજો અચુક મળશે.! 
એ પણ જો હીશાબ માં હશે તોજ.! 
આમેય વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ 
એકદમ સ્પષ્ટ ભાષામાં કહ્યું જ હતુ કે, 

"અજ્ઞાની" કોઈજ ગુનાહ માફ નહીં થાય.! 
હીશાબ છે.! હીશાબ માં બાદ નહીં થાય..! 
"અજ્ઞાની" 
અમારૂ કે અમારા જેવાઓનુ કામ નીસ્વાર્થ ભાવે 
સારો અને સાચો મારગ બતાવવાનુ છે..! 
એ મારગ પર સૌ એ જાતે ચાલવાનું હોય છે.! 

 દુનિયા ના "અજ્ઞાની" લોકોને 
એજ સાચો મારગ બતાવી શકે છે.! 
જીવન ભર જે સુતા જાગતા, જાગતા સુતા 
અગમ નીગમ મા ભટકતા હોય છે..! 
"અજ્ઞાની" 




આ ગીત પણ ભાઈબંધ અનંત.... 
કાયમ ગાતો સાંભળતો... 
એટલેજ કદાચ એ સુખ નો આનંદ 
કે દુઃખ ની ક્ષણીક પીડા લૈ બાદમાં 
હરેક પરીસ્થતી માં 
પરમ ચરમ અખંડ અનંત..... 
આનંદ ની અલૌકિક અનુભુતી કરતો..! 
લે આ એજ ગીત છે..! 
સાંભળ..! 
એમ કહી ભાઈબંધો પોઢી ગયા.... 
અને પછી હું પણ ઊંઘી ગયો... 

*લાસ્ટ બ્લાસ્ટ *
દુનિયા ભરમાં ના આધ્યાત્મિક ગ્રંથો વાચો... 
કે, મોટા મોટા સંતો ના પ્રવચનો સાંભળો... 
"અજ્ઞાની" કોઈ પણ વ્યક્તિ માં કોઈજ બદલાવ 
ત્યાં સુધી નહીં આવે..! 
જ્યાં સુધી એ ખુદ બદલવા નહીં ચાહે...! 
અન્ય ના નહીં ખુદ ના ભલા માટે 
જીવનમાં જરૂરી 
જીવન જરૂરી બદલાવ લાવવા થી..! 
સૌ થી વધુ અને પહેલો ફાયદો.., 
બદલનારને ખુદનેજ થતો હોય છે..! 
આમ તો ખૂબ કઠીન છે..! 
છતાં અંતરની અનંત ઈચ્છા હોય તો 
સૌથી સારો અને સરળ આ માર્ગ છે..! 
ખુદને બદલો 
અન્ય ને બદલવા કરતા 
ખુદને બદલવુ ખૂબ સરળ છે.! 
કારણ કે આપણે 
બીલકુલ આપણી નજીક હોઈએ છીએ... 
"અજ્ઞાની" 
કર્મ નુ ગણીત અસ્સલ બેંક બેલેન્સ જેવુ છે.! 
સમજી ને વાપરો તો વ્રુધ્ધી થાય..! 
મન ફાવે તેમ આડેધડ આડે અવળે રસ્તે 
વાપરો તો આખરે તળીયા ઝાટક..! 
પૈસા હોય તો સુખ જાહોજલાલી.! 
અને ખાલી થયા તો દુ:ખી ભીખારી..! 
"અજ્ઞાની" આવી જ રીતે 
હોય છે કર્મ ની ગતી ન્યારી...
અનાયાસે વવાયેલુ પણ 
અનુકુળ વાતાવરણ મળે એટલે, 
ઉગી નીકળતુ હોય છે 
તો પછી જાણી જોઈને તમે જે પણ વાવ્યુ હશે 
એજ ગમે ત્યારે ઉગી નીકળેશે ..! 
હવે જાણી જોઈને તો કોઈ કાંટા વાવેજ નૈ 
ખૈર...
કોણે ક્યારે શું શું વાવ્યુ હતું 
તે અન્ય જાણે કે ન જાણે 
મગર વાવણી કરનાર 
ખુદ તો જાણતોજ હોય છે..! 
અને અગર ભુલાઈ ગયુ હોય તો...! 
અગર ઉગ્યુ એ સ્વીકાર્ય ન હોય તો પણ..! 
જે તમારે આંગણે ઉગ્યુ છે 
એના પરથી સમજી લેવાનુ 
અને સહજ સ્વીકારી જ લેવાનું કે 
એ તમે વાવ્યુ હતું..! 
જે તમારે આંગણે ઉગી નીકળ્યુ છે 
એ તમેજ વાવ્યુ હતું..! 
આ સ્વીકાર ભાવ કદાચ 
તમને હરખ શોક સુખ દુઃખ ની માયાજાળ અને 
ભવોભવ ના બંધન માથી મુક્ત કરે..!
પ્રક્રુતી નો નીયમાનુસાર જે વાવો તેજ ઊગે છે ..! 
ખૈર... 
તો પણ કોઈ માં લગીરે સમજણ ન આવે કે 
ન આવે લગીરે બદલાવ... 
તેથી 
યુગો પહેલાં જ્ઞાનીઓ એ લખેલી 
ને અજ્ઞાનીઓ એ વંચાયેલી વાંચી વાંચીને 
ચુંથાઈ ચવાઈ ગય
તો પણ..,, 
સદીઓથી સંતો ના મુખેથી કથાઓ માં 
કહેવાયેલી અને સમાજના કાનમાં ઘુસી 
આવી બધી સલાહો ફીલોસોફીઓ 
કોહવાઈ ગય આ વાતો... 
તો પણ, 
એટલે જ પહેલાં કહ્યું કે, 

*લાસ્ટ બ્લાસ્ટ *
દુનિયા ભરમાં ના આધ્યાત્મિક ગ્રંથો વાચો... 
કે, મોટા મોટા સંતો ના પ્રવચનો સાંભળો... 
"અજ્ઞાની" કોઈ પણ વ્યક્તિ માં કોઈજ બદલાવ 
ત્યાં સુધી નહીં આવે..! 
જ્યાં સુધી એ ખુદ બદલવા નહીં ચાહે...! 
અન્ય ના નહીં ખુદ ના ભલા માટે 
જીવનમાં જરૂરી 
જીવન જરૂરી બદલાવ લાવવા થી..! 
સૌ થી વધુ અને પહેલો ફાયદો.., 
બદલનારને ખુદનેજ થતો હોય છે..! 
આમ તો ખૂબ કઠીન છે..! 
છતાં અંતરની અનંત ઈચ્છા હોય તો 
સૌથી સારો અને સરળ આ માર્ગ છે..! 
ખુદને બદલો 
અન્ય ને બદલવા કરતા 
ખુદને બદલવુ ખૂબ સરળ છે.! 
કારણ કે આપણે 
બીલકુલ આપણી નજીક હોઈએ છીએ... 
"અજ્ઞાની

"અજ્ઞાની "





બસ્સ આજે આક લૂઉઅ જ.! 

No comments:

Post a Comment