Wednesday, 28 September 2022

વાંચન થી આત્મ વાંચનની યાત્રા

 વર્ષો પહેલાં...

સાંકડી ગલીમાં  ઉબડ ખાબડ રસ્તો ના છેવાડે છેક ખુણે આવેલા એ ખંડેરમાં હું ચાય લઈને ગયો ત્યારે....

અનંત અને અજ્ઞાની વાતોમાં મશગુલ હતા.

હું ભીતર ગયો મારી ખુરશી પર બેસી 

ટીપોય પર રાખેલી ઊંધી પીયાલી સીધી કરી 

તેમા ગરમાગરમ ચાય રેડી... 

ચાય ની ચુસ્કી સાથે વાત કરતા કરતા 

વાંચન વીષે વાત નીકળતા... 

જેઓ એ ખુદ ક્યારેય સતત સખત વાંચન કર્યું નથી 

એવા એ બંને ભાઈબંધો એ વાંચન વીષે ઘણી વાતો કરી... 

જે તમામ વાત માંથી મને યાદ રહી ગયેલ અને 

હ્રદય સોંસરવી ઊતરી ગયેલી વાત જે 

અજ્ઞાની એ મને કહેલી તેનો અંશ 

અજ્ઞાની એ કહ્યું હતું કે, 

વાંચન અને આત્મ વાંચનમા બડો તફાવત હોય છે.

વાંચન થી માહીતી મળે છે.!

માહિતી નુ આદાનપ્રદાન થાય છે.!

કોઈનુ લખેલું કોઈ વાંચે છે.!

વાંચીને એ અન્ય સામે તે રજુ કરે છે..! 

જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરી શકે છે. 

જ્યારે આત્મ વાંચન એ અનુભુતી નો વીષય છે! 

જે સૌએ જાતે કરવો પડે છે..! 

"અજ્ઞાની" 


Thursday, 22 September 2022

આદિ થી અંત સુધી

 

https://www.facebook.com/photo.php?fbid=426530070790033&set=a.119481608161549&type=3

*બ્લાસ્ટ *

..................

"અનંત" આગ તો લાગેલી જ હોય છે અંદર અંદર... 

અકલે તો ઉછળતો ઉકળતો હોય છે નિરંતર સમંદર...

"અનંત"

"અનંત" વધી ગયા પછી અંતર... 

પુછે છે કોણ અહીં ખબર અંતર...

"અનંત" છુટી ગયા પછી પણ.!

તુટતો નથી સંબંધ સદંતર...

"અનંત" તનથી છો હોય અંતર...

મગર યાદ કરે છે મન નીરંતર...

"અનંત "

ઓન્લી બ્લાસ્ટ :-"અજ્ઞાની"


આદિથી અંત સુધી માણસ ખુદને  સાબિત કરવા

અને પ્રસિધ્ધ થવા

મથતો રહ્યો છે , મથતો રહે છે. 'ને મથતો જ રહેશે .....  

કિન્તુ જેનામાં આવડત હોય છે તેજ..! 

નીજ પ્રયાસે સફળ એવમ જગ પ્રસિધ્ધ થાય છે ... 

અને જેનામાં ખુદમાં કોઈ  આવડત નથી હોતી તે...! 

પ્રશિધ્ધ થવા કાજે .... 

પ્રસિધ્ધિ પામેલા પ્રાણીના પૂંછડે ટિંગાઈ ને પ્રસિધ્ધ થવા હવાતિયાં  મારતા રહે છે..!  

"અજ્ઞાની"

આમ આદી થી અંત સુધી 

પ્રસીદ્ધ થવા અને ખુદ ને સાબીત કરવા મથતો માનવી 

આખરે કૈ સીદ્ધ નથી કરી શકતો

સીવાય કે તે માટી ના કણ થી વીષેશ કૈજ નથી... 

"અજ્ઞાની" 


Friday, 16 September 2022

,અનંતની પ્રાર્થના...

હે અનંત ઈશ્વર....

આ તારો દિધેલો દેહ નશ્વર....

જાણુ રહેવાનો નથી અજર અમર... 

મગર.... 

રહે જ્યાં સુધી આ અવની પર.... 

ઉપરથી હું સાચવીશ....

અંદરથી તું સાચવજે......

"અનંત"

હે ઈશ્વર....

હું ક્યારેય કૈ માંગતો નથી...

અને મારે કૈ માંગવુય નથી....

કારણ કે માંગ્યા વગર તે

હીશાબ મુજબ ઘણુ, બધુ આપ્યું છે..!

તે બદલ ધન્યવાદ... 🙏

છતાં હું પ્રાર્થના કરું છું કે, 

મને પ્રાર્થના કરવાનુ મન થાય છે, 

એટલે હું પ્રાર્થના કરું છું. 'ને, 

તને કહું છું કે, 

અગર તને સાંભળવાનુ મન થાય,  

યા અનાયાસે મારી પ્રાર્થના સંભળાય 

તો, 

તો સાંભળજે નૈ તો હરી હરી...

પણ સંભળાય અને કૈ આપવાનુ મન થાય તો 

"અનંત"

મનને અનંત મસ્તી આપજે..! 

અને તનને અનંત તંદુરસ્તી આપજે..!

બાકી તારી સાથે હું જાતે ફોડી લૈશ...

"અનંત"

*બ્લાસ્ટ*

હે ઈશ્વર મારા ભાગ્ય માં હશે, તે, 

તારે આવવુંજ પડશે..!

અને મારા ભાગ્યમાં નહીં હોય, તે,

તું ચાહવા છતાં પણ મને આપી નહીં શકે..!

"અનંત" તો પછી માંગવુજ શું કામ.!

"અનંત"

*બ્લાસ્ટ*

વર્ષો પહેલાં બંને ભાઈબંધો વારાફરતી 

અચાનક આવુ બોલ્યા હતા... 

મારૂ હોવુ ન હોવા બરોબર..! 

તારૂ ન હોવુ હોવા બરોબર..! 

"અજ્ઞાની" મારૂ હોવુ ન હોવા બરોબર... 

"અનંત" તારૂ ન હોવુ હોવા બરોબર...

" અનંત" 

Sunday, 11 September 2022

કહેવુ તો જોઈએજ

 કોઈપણ વખતે નીર્ધારીત કરેલ પ્રોગ્રામ કે આયોજન મા ફેરફાર કરવા નો થતો હોય તો, તેની જાણ આયોજન મા સામેલ તમામ વ્યક્તિઓને કરવી જોઈએ એવુ મારૂ નમ્ર પણે માનવુ છે.

આયોજન કરનાર આયોજક કે પછી આયોજનમાં સામેલ કોઈપણ કાર્યકર્તા એ કરેલ ફેરફાર બાબતે યેનકેન પ્રકારે તમામ ને જાણ કરવી ફરજિયાત છે અને હોવીજ જોઈએ..! 

જો કે સમજદાર કોઈ પણ વ્યક્તિ આ હકીકત નો ઈન્કાર નજ કરે.! 

આ બાબતે પરેશ કતીરા તેમજ ઉમેશ કોટેચા ની બેંચ તરફથી ઉપર મુજબ નો સંદર્ભ ટાંકીને 

દ્રષ્ટાંત આપવામાં આવે છે કે,

તા ૯/૯/૨૦૨૨ ના રોજ 

પ્રકાશના આમંત્રણ ને લઈને 

ગૈ કાલે ઉમેશ તેમજ પરેશ ને પ્રકાશ ના ઘેર તેમની કોઈ સમસ્યા ને લઈને ચર્ચા વીર્મશ કરવા  જવાનું આયોજન નીશ્ચત હતું. 

પરંતુ, ફ્લેટમાં ગણપતિની નુ આયોજન હોય ઉમેશ આવી શકે એમ ન હોય તેણે તુરંત સમજદારી સાથે પરેશને ફોન કરીને ઉપર મુજબ ની હકીકત જણાવતા હતું કે, નક્કી કર્યાં મુજબ આજે પ્રકાશ ના ઘેર જવાનુ શક્ય નથી.

તેથી તારે જે કામ હોય તે પતાવજે..! 

સામે પક્ષે પરેશ કતીરા એ એવી સમજદારી સાથે કે આપણી રાહ જોતી સામી વ્યક્તિ એટલે કે પ્રકાશ રાહ જોઈ નીરાશ ન થાય માટે ઉમેશને તરંત સુચના આપી કે

ઉપરોક્ત હકીકત પ્રકાશ ને ફોન કરી ને જણાવી દેજે જેથી રાહ ન જુવે અન્યથા એ રાહ જોતો હશે અને અંતમાં ફોન કરશે ત્યારે ઉપરોક્ત સ્થિત જણવીશુ તો નારાજગી સાથે તેને દુઃખ પણ થશે. માટે તું એને તરંત ફોન કરીદે

અગર તું વ્યસ્ત હોય તો હું ફોન કરી દૌ પરંતુ ઉમેશ કહ્યું કે હું ફોન કરી દૌ છું.

ખરેખર ઉમેશે જાણ કરી તેથીજ પરેશ પોતાનુ કામ શાંતિથી કરી શક્યો અન્થા નક્કી કર્યા મુજબ પ્રકાશના ઘેર જવા ઉતાવળ કરવી પડત અને જરૂર પડ્યે કામ અધુરૂ છોડીને નાઈધોઇ લીધુ હોત, 

અગર જો ઉમેશે સમજદારી પૂર્વક જાણ ન કરત અથવા જાણજ ન કરી હોત તો બની શકે કે કામમાં ઉતાવળ કર્યા પછી પણ સમય સરકતો જતો હોય અને કોઈ આપણી રાહ જુવે છે એ વીચારે કામ અધુરૂ મુક્યુ હોય અને પછી જો ઉમેશ જાણ કરે તો, 

પરેશને અગર ગુસ્સો આવે તો તે સ્વાભાવિક અને યોગ્ય જ હોય... 


ઉપરોક્ત ઘટના તેમજ ઉપરોકત બાબત પરથી જાણવા સમજવા એ મળ્યું કે જ્યારે તમે કોઈ પણ આયોજન કરો છો ત્યારે એ આયોજન ને લઈને આયોજન મા સામેલ તમામ વ્યક્તિઓ આયોજન મુજબ સમયસર ભેગા થવા અને સૌ કોઈ આયોજન ને સફળ બનાવવા પોતપોતાના કામના સીડ્યુલ ચેંન્જ કરતા હોય છે, અમુક જરૂરી કામ કરતા હોય છે, બાકી ના કામ જે જરૂરી તો હોયજ છે પરંતુ ન કરે તો ચાલે એમ હોય તે પડતા મુકતા હોય છે.!

તેથી ઉપરોક્ત ઉમેશ અને પરેશ ની બેંચે એવો ઠરાવ પસાર કર્યો હતો કે,

તમે કરેલા સામુહિક આયોજન મા અગર આયોજન માં સામેલ કોઈ પણ વ્યક્તિ ને અચાનક આવેલા કોઈ પણ કામ ને કારણે તે આવી શકે એમ ન હોય તો આયોજનમાં સામેલ તમામ વ્યક્તિઓને યેનકેન પ્રકારે જાણ કરવી જરૂરી છે.! જેથી કરીને તેઓએ આયોજન મુજબ કાર્યક્રમમા સમયસર હાજર થવા પડતા મુકેલા કામ ઉકેલી શકે.!

ઉપર મુજબ ની હકીકત સંદર્ભે વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહેલી વાત

*બ્લાસ્ટ*

જ્યારે કોઈ પણ વ્યક્તિ કૈ ખોટુ કે ખરાબ કાર્ય કરતી હોય છે ત્યારે, ત્યાં સુધી તે વ્યક્તિ એમજ સમજતી હોય છે કે, તે જે કરે છે તે સાચુજ છે સારૂજ કાર્ય કરે છે, જ્યાં સુધી તેને કોઈ દ્વારા રોકવા *ટોકવામા* નથી આવતુ..!

અને એમ કહેવામાં નથી આવતુ કે ભૈલાઆઆઅ તું જે કૈ પણ કરે છે તે બીલકુલ ખોટુ અને ખરાબ કરે છે.!

*અનંત*

ક્રમશ :-

વધુ આવતા અંકે...

ઉપરોક્ત બ્લાસ્ટ કર્યા પછી મે ભાઈબંધ અનંતને સવાલ કરતા પુછ્યું કે,

હેં ભાઈબંધ કોઈ ખોટુ કે ખરાબ કરતુ હોય તો શું આપણે તેને રોકવો ટોકવો જરૂરી છે.? 

જવાબમાં આંગળી વડે દાઢી સવાંરતા ભાઈબંધ *અજ્ઞાની* એ કહ્યું, હાં પરીયા કહેવુજ જોઈએ અગર જો તમે એના હીતેચ્છુ હોવ તો જરૂર કહેવુ જોઈએ.... 

મગર...

હઠાગ્રહ વીના..! 

આપણુ કાર્ય માત્ર સાચો અને સારો મારગ બતાવવાનુ છે.! 

પછી તે મારગ પર ચાલવુ ન ચાલવુ તે એની મરજી પર કર્મ પર છોડી ને છુટી જવાનુ... 

*અજ્ઞાની*