Monday, 28 November 2022

ગમતુ ન થાય તો..?

હર હાલમાં જીવનમાં કૈ બધુજ 

આપણને ગમતુ હોય તેવુ થાય એ જરૂરી નથી. 

અને એવુ થતુ પણ નથી હોતું 

ન ગમતું કૈ પણ ક્યારેય પણ સામે આવી શકે છે.! 

પછી તે વસ્તુ હોય વ્યક્તિ હોય કે 

વસ્તુ વ્યક્તિ સાથે ન ગમતી છતાં 

નજર સામે ઘટતી ઘટના.! 

અને પાછુ ત્યારે આપણે ઈચ્છવા છતાં 

કૈજ કરી ના શકીએ, એ કરૂણતા...

 અનેક વખત આવી તનમન સ્થિતિમાંથી 

પસાર થતાં ભાઈબંધ અનંતે 

વર્ષો પહેલાં જાત સાથે સમાધાન કરતાં

ક્હ્યું, લખ્યું હતું કે,

ન ગમતું જ્યારે પણ કૈ પણ ક્ષણ ભર થાય છે.!

હું સમજુ છું "અનંત" હીશાબ સરભર થાય છે.!

"અનંત *

 મારા ચહેરા પર ઉદાસી કે

પીડા ના ભાવ જોઈન ઘણીવાર

અનંત મને પણ કહેતો...

પરીયાઆઆઆઅ...

તારી સામે તને ન ગમતુ જ્યારે પણ કૈ પણ થાય ને..!

ત્યારે તું સમજજે તારોય હીશાબ સરભર થાય છે..!

" અનંત "

No comments:

Post a Comment