Saturday, 3 June 2023

આતો ઈવડો ઈ કેતો

 લોકો છો કહેતા કે પ્રેમમાં શરત ના હોય... 

પ્રેમ હંમેશા બિન શરતી હોય.... 

પણ "અનંત" એ બાબતે સ્પષ્ટ હતો ...                                                                                                      એક વાર મે એને પ્રેમમાં શરત  વિષે પૂછ્યું,

કે,  શું ખરેખર પ્રેમ માં શરત ના હોય ...? 

ત્યારે અનંતે દ્ર્ઢ્તા પૂર્વક કહ્યું કે, 

એ બધી વાતો હંબગ છે, ખાલી ખોટી ફિલોસોફી છે, નર્યું જૂઠાણું છે, દંભ છે, 

પ્રેમની શરૂવાતનું માત્ર પાગલપન છે, પરિયા... 

માત્ર પાગલપન....! 

જે વિના શરતે પ્રેમની વાત કરે છે, 

અને કદાચ કોઈ વિના શરતે પ્રેમ કરે પણ છે તો પણ..! 

એવા પ્રેમીઓ પાછળથી 

પોતાની એ ભૂલ બદલ પારાવાર પસ્તાય છે... 

શરત વગર પ્રેમની વાત કરનારા ઘણા લગ્ન બાદ તરતજ શરતોના ગંજ ખડકે છે...! 

હું એના શબ્દે શબ્દને ધ્યાનથી સાંભળતો...  

થોડી વાર ખામોશ રહી નિશ્વાસ સાથે એ બોલ્યો.. 

પરિયા પ્રેમમાં શરત જેવુ કશું ના હોત તો....  

પ્રેમ લગ્ન નો અંજામ, છૂટા છેડાં, ના હોત..! પણ હોય છે.! 

એથી તો બહેતર છે જાજુ આપીને ,  થોડું,  પણ માંગી લેવું...!  

અને અંતમાં એને કહ્યું હતું, કે,  

આપણે આપવામાં હમેશા ટૂંકા પડીએ છીએ પરિયા સાવ ટૂંકા ... 

એનો સ્વભાવ અને  એના વિચાર એની રચનામાં સ્પષ્ટ થઈ જતાં.... 

હું આખુય આ આયખું તને આપું તું અડધું તો આપ. 

હું નીચોવી નાખું આંઈખું તું એક ટીપું આંસુ જો આપ.  

સાગર નથી માંગતો કૈ હું, પણ તું ઝરણું તો આપ.  

સાચે હવે તો ડૂબી રહ્યો છું છેક, તું તરણું તો આપ. 

હ્રદય હવે હાથ નથી રહેતું. એ મને  સાથ નથી દેતું.  

આ  હ્રદયના  સ્પંદનોને આંબવાને  હરણું તો આપ.  

પછી ધરી દઉં  હું મારી  હર એક ક્ષણ  તારા ચરણે.

પ્રથમ જરા તું પાથરી આ દીલને પાથરણું તો આપ. 

"અનંત"મારા પ્રેમની શુધ્ધતા માપવા ના આવજે .   

મહીં વેદનાઓ છે એ ગાળવાને ગરણું તો આપ. 

"અનંત"

માસૂમ હ્રદયને નાહક તડપાવે તું ઐ નાજુક માસુકા. 

તું પ્રેમમાં સમય પસાર કરે 'ને હું પ્રેમ કરું છું સાચુકા. 

મારે મન પ્રેમ સતત છે. તારે ઘડીભર ગમ્મત છે. 

મારે મન પ્રેમ મમત છે . તારે મન  કેમ રમત છે ?

મળે તે ઓછું પડે, 'ને આપવામાં પડીએ સાવ ટૂંકા.

જે લાગણીમાં ભીનાશ નહીં, તે સંબંધ છે સાવ સૂકા.  

"અનંત" 

બ્લાસ્ટ :- "અનંત"

મળે તે ઓછું પડે, 'ને આપવામાં પડીએ સાવ ટૂંકા.

જે લાગણીમાં ભીનાશ નહીં, તે સંબંધ છે સાવ સૂકા.  

"અનંત"

*બ્લાસ્ટ* 

અતી દુ:ખ પછી સુખનો અલૌકિક અહેસાસ થાય, 

એ હકીકત છે. 

મગર "અનંત" એ પણ હકીકત છે કે અતિ સુખ પણ, 

દુ:ખ નુ કારણ બની શકે છે.! 

અર્થાત્ :-

"अज्ञानी" अती दु:ख फिर सुख बढावै। 

तो कभी-कभी अती सुख ही बढावै दु:ख। 

"अज्ञानी" 



https://m.facebook.com/photo.php?fbid=539483099494729&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz










No comments:

Post a Comment