Saturday, 24 June 2023

જવાબ હોય તો આપો..!

 *અપવાદ બાદ કરતા*

એ સમયે જ્યારે મે અહી અનંતની લખેલી રચના મૂકી

ત્યારે સ્ત્રીઓને ગમ્યું નહીં થોડા સવાલો થયા 

બસ માત્ર સવાલો .. 

જેનો ઠોસ જવાબ સાંભળવા કે સત્ય સ્વીકારવા 

કોઈ તૈયાર ના થયું .. 

એ રચના રજૂ કરી ત્યાર બાદ  એક પછી એક ઘટના એવિ બનવા લાગી કે,જવાબ આપો આપ સામે આવવા લાગ્યા ... 

પણ કોઈ સાંભળવા ઊભું ના રહ્યું ... 

ત્યાર પછી મને સમજાય ગયું કે ,

આ માધ્યમ માત્ર ને માત્ર મનોરંજન માટે વપરાય ... 

અહી બૌ જાજી બધી હુશિયારી ના મરાય .... 

બસ્સ..! 

પ્રેમ કરાય, આનંદ કરાય, અને ભૂલી જવાય  ..!

જો કે તો પણ ઘણી સારી,ખરાબ,પ્રેમાળ, ઘટનાઓ,

એવિ પણ બની જે ભૂલી ના શકાય ...  

અને ક્યારેક એવું પણ બને અર્થાત અત્યાર જેવુ પણ બને કે , 

આપણે ભૂલવાના આરે હોય, 'ને ત્યાજ , ત્યારેજ ..!

આ ફેસબુક ભૂલું ભૂલું કરતાં ભુલાઈ રહેલી ઘટના કે ,

બીજું ઘણું બધુ ભુલાયેલું યાદ કરાવે .... 

ખૈર ..

એ સમયનો ઘટના ક્રમ આ પ્રમાણે છે ...!

વર્તમાન અને ભવિષ્ય ....

&&&&&&&&&&&&&&&&&&&&&&&

વર્તમાન અને ભવિષ્ય .... 

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

"અપવાદ બાદ કરતાં"

વર્તમાન.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ.... 

"અનંત" લિખિત.... 

આ વાત વર્ષો પહેલા મારા મિત્ર અનંતે લખી/કહી હતી... 

પણ પછી એને વિચાર આવ્યો કે સાલું આવું લખાય ખરું ..

સ્ત્રી માટે આવો હલકો હલકટ શબ્દ વપરાય ખરો...! 

જોકે હ્રદયથી જે સાહિત્ય કાર હોય છે,

તેની દ્રષ્ટિ તેના વિચાર કુદરતી રીતે જ દીર્ધ અને ઊંડા હોય છે... 

સાચો કલાકાર ઈશ્વરની ખૂબ નજીક હોય છે,

તેથી જ ક્યારેક તેની કલમ માથી  સચોટ અને, 

દિવ્ય શબ્દો આપોઆપ પ્રગટ થઈ જતાં હોય છે...   

ભૂતકાળ કે વર્તમાન ની ઘટનાઓ વિષે લખતા લખતા.... 

ક્યારેક એની કલમ એના વિચારો અનાયાસે જ ભવિષ્ય ભાખી લેતા હોય છે ... 

જે ઘટના બની નથી હોતી તેનું વર્ણન એ લોકો સહજ કરે છે ... 

અને પછી થી કોઈ સમયે એ ઘટના આકાર લેતી હોય છે .... 

આવા હ્રદયસ્થ કલાકારો, સાહિત્ય કારો લોકોને,

સાચી દિશા બતાવવાનું કાર્ય કરતાં હોય છે.

બાકી વિચારોના છીચોરા સાહિત્યકારો માત્ર,

પોતા પોતાનો  સ્વાર્થ સાધવા ખોટી દિશા બતાવતા રહે છે ..! 

જેનું પરિણામ આવ્યું /આવી રહ્યું છે/ એનાથી પણ અધિક ભયંકર આવી શકે છે ..... 

"અપવાદ બાદ કરતાં "

જેમ ઘણા પુરુષ હલકા વિચાર ધરાવતા હોય છે તેમ,

ઘણી સ્ત્રી ઑ પણ વિકૃત વૃતિ ધરાવતી હોય છે.... 

એક સ્ત્રી મજબૂરીથી વેશ્યા વૃતિ/વ્યવસાય અપનાવે છે તો,

બીજી મોજ શોખ ખાતર શરીરના સોદા કરે છે.. 

તો કોઈ કોઈ  સ્ત્રી વળી નિશ્વાર્થ ભાવે , છતાં સ્વાર્થ એજ પરમાર્થ કાજે ..

લોક કલ્યાણ ના કાર્યો કરતાં કરતાં આયખું પૂર્ણ કરે છે. 

આવી બધી વાતો અનંત બૌ કરતો ... 

ખૈર....  

મૂળ વાત પર આવું તો  અનંતે આ રચના....

લખતા તો લખી નાખી , અને રચના માત્ર આટલીજ નથી 

એથી આગળ પણ એણે એને ખૂબ ઊંડાણ પૂર્વક

સ્ત્રીઓની બદલાતી પ્રકૃતિ અને એમાથી ઉદભવતી વિકૃતિ....  

ને પછી સમાજ દ્વારા મને ક મને 

થતી સ્વીકૃતિ નું વર્ણન કરેલું છે.!      

આ રચના લખ્યા પછી અનંતને થયું આવું કેમનું લખાય,

આ તો બૌ ખરાબ કહેવાય...

કોઈ સારા ઉમદા સાહિત્ય કારની સલાહ લઉં,

એને જઈને આ રચના બતાવું વંચાવું ને પૂછું કે,

શું આ મારાથી જે લખાયું છે તે ઠીક છે ...! 

આમ વિચારી તે મોરબીના મેઘાણી ગણાતા,

ઉચ્ચ સાહિત્ય કાર તેમજ મોરબી નાટ્ય તખ્તાના પડછંદ અવાજ ના માલિક,

સ્વર્ગસ્થ શ્રી. રમેશ ભાઈ દફતરીને મળ્યો .... 

શ્રી રમેશ ભાઈ દફતરી અન્ય સાહિત્યકારની માફક,

ઊગતા કલાકારોને ઉતારી પાડનારોમાં ના હતા. 

બલ્કે ઊગતા કલાકારોને યોગ્ય  માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરે એમાના હતા.     

અનંત અવાર નવાર સાહેબને,

મોરબી ગ્રીન ચોકમાં આવેલી ગ્રીન હોટલમાં મળતો.

પ્રથમ તો સાહેબ ચાય મંગવતા અને પછી,

અનંત પોતાની રચના સાહેબને બતાવતો. 

અનંતની રચનાઓ દફતરી સાહેબને  ખૂબ ગમતી.

અને જ્યારે તે કોઈ રચના એને બતાવે /વંચાવે ત્યારે,

દફતરી સાહેબ તે ધ્યાન પૂર્વક વાંચતાં,

વાંચીને પછી પોતાની અંગત ડાયરીમાં પણ સ્થાન આપતા... 

તે દિવસે પણ અનંત પોતાની આ રચના... >>>>

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ.... 

લઈને સાહેબ પાસે ગયો સાહેબે ચાય મંગાવી, 

ચાયનો ઓર્ડર હમેશા તેઓ આપતા ચાહે  કોઈ પણ હોય ... 

તે ક્યારેય કોઈને ચાઈના પૈસા ખર્ચવા ના દેતા ...

આ એમની લાગણી અને દિલેરી હતી. 

ચાય પીધા બાદ સાહબે જ અનંત ને પૂછ્યું બોલ શું નવું લખી આવ્યો છે. 

અનંતે આ રચના....  

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ.... 

લખેલ કાગળ આપ્યો સાહેબે આખે આખી રચના ધ્યાન પૂર્વક વાંચી,અને અનંત નો વાંસો થપથપાવતા બોલ્યા 

એક દમ કડવું છે પણ અનંત તે સચોટ સત્ય લખ્યું છે અનંત એક દમ ચોટદાર...

અનંત કહે સાહેબ તમને કોઈ શબ્દ અજુગતો ના લાગ્યો...?  

સાહેબ:- નારે કઈ કોઈ શબ્દ ખોટો નથી લખ્યો કેમ.!? 

તને ક્યો શબ્દ અજુગતો લાગ્યો...? 

અનંત:- સાહેબ આ લખતા તો લખાય ગયું પણ,

સ્ત્રી માટે આ નફ્ફટ શબ્દ લખતા લખાઈ ગયો પણ મને  જરા સારું નથી લાગતું ... 

સાહેબ :- અરે ગાંડા તે સત્ય લખ્યું છે , અને,

સત્ય કહેવા માટે બિલકુલ બંધ બેસતો શબ્દ જ તે પ્રયોજ્યો છે,

અસસલ લોક બોલીમાં બોલાતો શબ્દ લખી તે વાત  ને જીવંત બનાવી છે ... 

તો પણ અનંત ને મનમાં ઊંડે ઊંડે ખટકો હતો.  

તેથી તેને કહ્યું સાહેબ આ "નફ્ફટ" શબ્દની બદલે "નિર્લજ્જ" 

લખ્યો હોય તો...

સાહેબે કહ્યું,  

નિર્લજ્જ શબ્દ પણ પ્રયોજી શકાય પણ પેલો હટાવ્યા વિના... 

અને પછી અનંતે "નફ્ફટ" ની જગ્યા એ "નિર્લજ્જ" શબ્દ લખી ફરી વંચાવ્યું ...  

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નિર્લજ્જ.. . 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ્જ .... 

"અનંત"

સાહેબે અનંત ને શાબાશી આપતા કહ્યું કે ,

અનંત એક લેખકે સત્ય કહેતા કદી ડરવું ના જોઇયે ... 

બ્લાસ્ટ :_

જે સમયે જે સ્થ્તિતી તે સમયે તેવા શબ્દો અનાયાસે પ્રગટ થઈ જતાં હોય છે ... 

અને ત્યારેજ શબ્દો  જીવંત થઈ બોલતા હોય છે !  

'અજ્ઞાની'

માટે તું આગળ બન્ને શબ્દનો પ્રયોગ કરજે. 

(ક્રમશ) આગળનું નું કાય નક્કી નૈ આગળ તો આગળનો કાગળ મળે તો વધે.  

આગળ વધે તો વધે નૈ તો આને પૂર્ણ સમજવું...  :) 

બ્લાસ્ટ:- 

"અજ્ઞાની" 

"અજ્ઞાની" આપણે માત્ર ને માત્ર..! 

સાચી દિશા બતાવવાનો પ્રયાસ કરી શકીએ મગર...

પરાણે કોઈને ચિંધ્યા રસ્તે ચાલવા મજબૂર ના કરી શકીએ... 

આખરે તો હિસાબ મુજબજ  સૌ પોત પોતાના રસ્તો 

જાતે પસંદ કરે છે... 

"અજ્ઞાની "

"અજ્ઞાની" લોકો વાતના ઊંડાણમાં ઉતાર્યા વગર સમજ્યા વિચાર્યા વગર ... 

માત્ર ને માત્ર સવાલો ઊભા કરે છે , જવાબ હોય જ છે પણ કોઈ સાંભળે તો ..! 

"અજ્ઞાની"

Pravin Miyaatra લાગે છે પવલા તારી નજર માત્ર સોસરવા ઉતરતા શબ્દો પર પડી છે ..... 

આ વાત કદાચ તારા ધ્યાન બહાર ગઈ ફરી વાર વાંચ ભઇલા ... 

ખૈર મૂળ વાત પર આવું તો આ રચના લખતા તો લખી નાખી અને રચના માત્ર આટલીજ નથી એથી આગળ એને ખૂબ ઊંડાણ પૂર્વક સ્ત્રીઓની બદલાતી પ્રકૃતિ અને એમાંથી 

ઉદભવતી વિકૃતિ ને પછી સમાજ દ્વારા મને ક મને થતી સ્વીકૃતિ નું વર્ણન કરેલું છે..... 

આટલું વાંચી લે પછી આગળ ચાલશે ... 

માફી માંગવાને કોઈ કારણ નથી.... 

કેમકે  અનંતે જે બાજુ જોઈ છે એ બાજુ તે નથી જોઈ 

એટલે એમાં તારો કઈ વાંક નથી....

અને હાં...

એને પુરુષોની હલકાઇ/નફટાઈ વિષે પણ લખ્યું છે....

ક્યારેક એ વાંચી લેશે તો "ભાઈબંધ" સમજાઈ જશે..!

બે અર્થમાં....

તમે પ્રવીણ ના સવાલનો મે જે જવાબ આપ્યો છે..! 

કદાચ એ વાંચ્યો નથી .... 

વાંચી લેશો તો થોડો ઉકળાટ શમી જશે........... 

સ્સાલું લખનાર મરી ગ્યો લખીને. 

‘ને હું , હલવઇ ગ્યો અહી મૂકીને...

એવું જો આપ સમજશો તો તમારી  ભીતર ઉકળી ઉકળીને સપાટી પર આવેલા  

સવાલોનું સમાધાન નૈ થાય.... 

માટે એના સત્સંગના  સથવારે જે હું સમજ્યો છું તેના આધારે જવાબ આપીશ... 

જોકે આપ ખુદ જરા ખુદમાં જ ઊંડા ઉતાર્યા હોત..

અથવા તો! 

મારા ઘરમાં યાની વોલ પર ઊંડા ઉતાર્યા હોત તો... 

જવાબ તમને મારે ના આપવો પડતે , બલ્કે..! 

યા તો આપની ભીતરથી યા મારી વોલના કોઈ ખૂણે ખાંચરેથી  યા ઊંડે ઊંડેથી જ મારા આત્મ સખાઓ દ્વારજ તમને તમારા સવાલોનો જાવાબ મળી જતે... 

ખૈર.... 

હવે મારે જાવાબ  આલવો જ રહ્યો... 

નૈ તો ત્રીજા વિશ્વની નાદાન / હોશિયાર.... 

વસ્તી એમ સમજી બેસસે કતિરા ની બોલતી બંધ થઈ ગઈ.....

પણ એવું સમાજનાર... :)   

જવાબ આપ્યા પહેલા  થોડા ભાઈબંધ ના બનાવેલા શબ્દ બોમ્બ ના બ્લાસ્ટ... 

“અજ્ઞાની” સ્ત્રી બધી જ સારી જ હોય એવું નથી હોતું.... 

અને પુરુષ બધાજ ખરાબ હોય એવું પન નથી જ હોતું...!” 

““અનંત” હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લેતા હોય છે.... ! “  

"અજ્ઞાની"જો બોલે સો જાલિમ .... 

ઔર હુઆ જો ચૂપ વો આલીમ.... 

"અજ્ઞાની" 

માટે જવાબ જરૂર મળશે પણ.... 

જ્યારે  આપ  રૂબરૂ હશો  ત્યારે... 

Prerana Shah.... :)

Ke, taki જી i એક વાત કૌ તમે માત્ર પ્રથમ બે લાઇન માત્ર વાંચી છે ! 

આપ ઊંડાણમાં ઉતર્યા હોત, તો તમારા સવાલોનો જવાબ ભીતર જ છુપાયેલો હતો મળી જાતે... 

અગર પૂરે પૂરું વાંચ્યું હોત તો કદાચ ટૂંકા જવાબ માટે મારે જહેમત ઉઠાવવી 

ના પડતે ... 

ખૈર   ... 

બિલકુલ ગુસ્સાના ભાવ વિના પ્રેમ અને 

લાગણી પૂર્વક એક વધુ સ્પષ્ટતા :- 

હું ભાઈબંધો લિખિત રચના ઘટના વિષે ની મારી પોસ્ટ 

કોઈ વાંચે એવો દુરાગ્રહ ક્યારેય રાખતો નથી... 

મારી પોસ્ટ મારો આનંદ મારી મસ્તી .... 

કોઈ વાંચે ત્યારે કબૂલ ચોક્કસ આનંદ પ્રાપ્ત થાય છે ... :)

પણ અહી તમને વાંચવા માટે એટલા માટે કહું છું કે માત્ર પોસ્ટ નહીં પણ તમારી માફક અન્ય દોસ્તને લાગેલા આંચકા અને ઉઠેલા સવાલના જવાબોમા કદાચ તમને પણ જવાબ મળી જાય....  

તો , નાહક મારે ભાઈબંધોનો ભૂતકાળ ના ઉખેડવો પડે ... 

બસ એજ આળસ એજ આસય...   

Ketaki Jani ...

Prerana Shah.......:)


હાં, હાં  બિલકુલ ...!  


વખાણો વખોડો જો જી મે આયે કરો.... ! 


પણ.,,, 

યાદ રહે.. વખાણેલી કે વખોડેલી પોસ્ટ માત્ર હું મૂકું છું ! 

અને જ્યારે જે વાતને વખોડી કે વખાણી હોય... 

તેમાં રહી રહી ને પણ , જ્યારે ખૂબ ઊંડાણ પૂર્વક ખુદની ભીતર ઊંડા ઊંડા ઉતારી ને  વિચાર્યા પછી ...

જ્યારે તમારો આત્મા જવાબ આપે કે... 

વખાણ્યું એ ઠીક નહોતું યાની વખાણવા લાયક નહોતું અને.... 

જે  વખોડયું એ ફેર વિચારણા કર્યા પછી સમજાય છે કે તે એક કડવું સત્ય હતું , જે વખોડ્યું. ... 

તો .... 

કોઈ બંધન કે જુદાઇ ની પરવા કર્યા વિના સ્વીકારી લેવું ... ! 

:)

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0sZMbhBpF2ffansoJsXFEQtyVXUZb3NW78qSgsNJEMKYED9SquRvMpXrRi81J1yjql&id=100002991311961&mibextid=Nif5oz

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02L7mJ9pMMgRs1PKKH3GXSLmyHR6iup4MkjnqUocfx9nfREQMWpp6fFXWYXu69LHdal&id=100002991311961&mibextid=Nif5oz

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0cBSJKzts31y8Aac2gxRA752EmYFWEDSnms73U39PdBCkwgNxmS5MYfuvAgJwPoLHl&id=100002991311961&mibextid=Nif5oz।

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0k6EEveBAxLVVPwES4D5ysZocMpP2vp4oT7Sioyi8eW3kzc51renuU77YVQX7UxRQl&id=100002991311961&mibextid=Nif5oz

સ્ત્રી ઓને જે તે સમયે યોગ્ય જવાબ આપ્યોજ છે 

હવે વધુ ખુલાસા આપીશ તો પણ કદાચ 

એ સમજી યા સહી નહીં શકે.! 

કારણ કે સત્ય સ્વીકારવું ખૂબજ અઘરૂ છે.! 

મગર... 

દોસ્ત પ્રવીણ આમ તો જો કે, 

તું ખૂબજ સમજદાર છે.! 

અકલે તારી સમજદારી પર સવાલ ઊઠાવવો 

એ હું મુનાસિબ નથી સમજતો..! 

હું માત્ર તને એક વાસ્તવિક હકીકત થી 

વાકેફ કરવા ઈચ્છું છું. 

હાં તો દોસ્ત પહેલી વાત કે, 

અપવાદ તમામ બાબતે હોય શકે છે.! 

તેથીજ અનંત પોતાની ઘણી એવી રચનાઓ, 

જે લોકો ઊંડાણ પુર્વક સમજવા કે 

ન સમજાય હોય તો સંવાદ કરવાને બદલે 

સમજણ હીન લોકો વીવાદો ઊભા કરશે 

એવી શક્યતા હોય ત્યાં હંમેશા લખતો 

*અપવાદ બાદ કરતા*

ખૈર... 

તારી વાત કે વીચાર નો બુધ્ધિહીન લોકોની 

માફક બીલકુલ વીરોધી નથી કરતો.! 

પણ દોસ્ત તે કહ્યું એમ અગર 

કલા સાહિત્ય સાથે જોડાયેલા લોકો 

અગર વીચારે તો સત્ય ક્યારેય બહાર ન આવે.! 

અને કલા સાહિત્ય નું કામ છે સત્ય ઉજાગર કરવુ. 

ભાઈબંધે વર્ષો પહેલાં પણ લખ્યું છે કે, 

"અનંત" સત્ય ની બીલકુલ નજીક હોય છે. 

કલ્પનાની દુનિયા પણ બડી અજીબ હોય છે.! 

"અનંત" 

તો દોસ્ત કલાજગત સાથે જોડાયેલા 

તમામ ને પરીવાર હોય છે.! 

જેમાં માં, બહેન, પત્ની અને દિકરી હોય છે.! 

અગર તે કહ્યું એવું લખતા પહેલા 

લેખકો, કવીઓ સાહિત્ય કારો નાટ્યકારો કે, 

ફીલ્મ મેકરો વીચારે અને પોતાના પરિવાર ની તમામ 

સ્ત્રી ઓ ને નજર સામે રાખે તો, 

સમાજમાં કે સામાજીક જીવનમાં થતાં ફેરફાર 

અને તેના કારણે સર્જાતી સમસ્યા.! 

જે શુક્ષ્મ રીતે ધીરે ધીરે તમામ ના જીવનમાં પર 

માઠી અને વીપરીત અસર કરે છે.! 

તે હકીકત કોઈ કલાકાર કે 

સાહિત્યકાર ક્યારેય ઉજાગર ન કરી શકે.! 

સમાજમાં દુષણ માત્ર સત્રીજ નથી ફેલાવતી 

પુરૂષો પણ ફેલાવેજ છે..! 

દુષણ અનેક પ્રકારના હોય છે..! 

અને સ્ત્રી ચરીત્ર ની વાત કરતાં પહેલાં 

પુરૂષોના ચરીત્ર બાબતે પણ ખુલ્લા મનથી 

વીચારવુ એવં સ્વીકારવુજ પડે.! 

અનંત અને અજ્ઞાની એ બાબતે સ્પષ્ટ હતાં 

અને એ બાબતે હું પણ એકદમ સ્પષ્ટ છું !

પોતાની પત્ની ને અંધારામાં રાખી 

અન્ય સાથે સબંધ રાખતા પુરૂષ જેટલીજ 

એ સ્ત્રી પણ ચરીત્ર હીન છે.! 

જે પોતાના પતીને અંધારામાં રાખીને. 

અન્ય પુરુષ સાથે સબંધ રાખે છે.! 

અહીં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે જેથી 

ફરી કોઈ ગલત ફૈમી ન થાય કે! 

અગર જો બંને તરફ સબંધ પાક સાફ છે.! 

તો, 

સ્ત્રી કે પુરુષ ના એક બીજા સાથે સબંધ 

હોવા માત્ર થી તે બંને ચરીત્ર હીન છે તેમ કહેવું 

કે સમજવું એ મુર્ખામી છે પાપ છે.! 

મગર સ્ત્રી પુરૂષ ના સબંધ માં એવુ ભાગ્યે બને છે.! 

ઓલી કેવત છે ને 

સેજે બાવા બ્રહ્મચારી..! 

જો કે 

અપવાદ તમામ બાબતે હોયજ.! 

બાકી તમામ મોકાની રાહ માં હોય છે.! 

એકલે ભૈલાઆઆઅ... 

આવી વાતો તો અનંત છે..! 

આ વાત નો કોઈ અંત નથી....! 
















*બ્લાસ્ટ* 

ઓઢણી સીખે પછી સ્ત્રી પણ ઉડી ગૈ.!

"અનંત" સ્ત્રી એ ઓઢણી ઉડાવી દિધી તો, 

ઓઢણી એ આખે આખી સ્ત્રી જ ઉડાવી દિધી.!

"અનંત" 



No comments:

Post a Comment