Wednesday, 18 September 2024

ઈશ્વર ખૂબ દયાળુ છે.

*સારા લોકો સાથે ઈશ્વર ક્યારેય ખરાબ નથી કરતી.*

*ખરાબ પાછળ અકસર કૈંક સારૂ છુપાયુજ હોય છે.*

*વર્ષો પહેલા આવું અનંત અનુભવે ભાઈબંધોને સમજાયા બાદ તેઓ કહેતા હતા કે,*

*આ બ્રહ્માંડમાં એવો એક પણ જીવ નથી જન્યો કે જેણે જન્મ પહેલાં કે જન્મ બાદ જીવનમાં ક્યારેય કોઈ ભુલ ન કરી હોય.*

*ખરેખર તો એ હિસાબે જન્મ લેવો પડે છે.!* 

*આપણે અભાન અવસ્થામાં જાણે અજાણે અનંત ભુલો કરીએ છીએ..!*

*ઈશ્વરના ઇશારા ગુઢ હોય છે *

*સમય સમય પર ઈશ્વર કોઈને કોઈ પ્રકારની યુક્તિ કરી સુધરી જવા સંદેશા મોકલે છે.*

*આપણે માત્ર બીજાઓ સાથે દુર્વ્યવહાર કરતા હોય એવુ નથી.!* 

*અહં યા અભાનાવસ્થામા ખુદની સાથે પણ આપણે ખૂબજ દુર્વ્યવહાર કરતા હોઇએ છીએ.*

*ઈશ્વરે આપેલ આ દેહની દરકાર ન કરીને.* 

*તેમ છતાં ઈશ્વર ખૂબજ દયાળુ છે.*

*એ સૌ કોઈને કોઈને કોઈ સુધરવાનો તેમજ ભુલો સુધારવાનો અવસર આપેજ છે.!*

*પરંતુ આપણે પામર જીવ અહં યા અભાનાવસ્થાને કારણે ઈશ્વરના ઈશારાને સમજી નથી શકતા તેથી દુ:ખી થઈએ છીએ.*

*એ હિસાબે ઈશ્વર સૌને જાતને એવં જીવનને સુધારવાના અવસર આપે છે.!*

*સમજો તમને પણ અનંત ભુલો કરવા છતાં એક વધુ અવસર આપ્યો છે *

*તો સમજી વીચારી હવે સમજણ સાથે સુધરો અને ભુલો સુધારો નાહક કોઈને પરેશાન ન કરો એવં ઈશ્વરે આપેલ આ દેહની દરકાર કરો,શુદ્ધ એવં સાત્ત્વિક જમો જીવો અને આનંદથી આગળ વધો..!*

"અનંત" ઈશ્વર ના આશીર્વાદ હંમેશા સૌ પર વરસતા રહે..!

*અનંત આશીર્વાદ... 🙌🙌🙌*




No comments:

Post a Comment