*સારા લોકો સાથે ઈશ્વર ક્યારેય ખરાબ નથી કરતી.*
*ખરાબ પાછળ અકસર કૈંક સારૂ છુપાયુજ હોય છે.*
*વર્ષો પહેલા આવું અનંત અનુભવે ભાઈબંધોને સમજાયા બાદ તેઓ કહેતા હતા કે,*
*આ બ્રહ્માંડમાં એવો એક પણ જીવ નથી જન્યો કે જેણે જન્મ પહેલાં કે જન્મ બાદ જીવનમાં ક્યારેય કોઈ ભુલ ન કરી હોય.*
*ખરેખર તો એ હિસાબે જન્મ લેવો પડે છે.!*
*આપણે અભાન અવસ્થામાં જાણે અજાણે અનંત ભુલો કરીએ છીએ..!*
*ઈશ્વરના ઇશારા ગુઢ હોય છે *
*સમય સમય પર ઈશ્વર કોઈને કોઈ પ્રકારની યુક્તિ કરી સુધરી જવા સંદેશા મોકલે છે.*
*આપણે માત્ર બીજાઓ સાથે દુર્વ્યવહાર કરતા હોય એવુ નથી.!*
*અહં યા અભાનાવસ્થામા ખુદની સાથે પણ આપણે ખૂબજ દુર્વ્યવહાર કરતા હોઇએ છીએ.*
*ઈશ્વરે આપેલ આ દેહની દરકાર ન કરીને.*
*તેમ છતાં ઈશ્વર ખૂબજ દયાળુ છે.*
*એ સૌ કોઈને કોઈને કોઈ સુધરવાનો તેમજ ભુલો સુધારવાનો અવસર આપેજ છે.!*
*પરંતુ આપણે પામર જીવ અહં યા અભાનાવસ્થાને કારણે ઈશ્વરના ઈશારાને સમજી નથી શકતા તેથી દુ:ખી થઈએ છીએ.*
*એ હિસાબે ઈશ્વર સૌને જાતને એવં જીવનને સુધારવાના અવસર આપે છે.!*
*સમજો તમને પણ અનંત ભુલો કરવા છતાં એક વધુ અવસર આપ્યો છે *
*તો સમજી વીચારી હવે સમજણ સાથે સુધરો અને ભુલો સુધારો નાહક કોઈને પરેશાન ન કરો એવં ઈશ્વરે આપેલ આ દેહની દરકાર કરો,શુદ્ધ એવં સાત્ત્વિક જમો જીવો અને આનંદથી આગળ વધો..!*
"અનંત" ઈશ્વર ના આશીર્વાદ હંમેશા સૌ પર વરસતા રહે..!
*અનંત આશીર્વાદ... 🙌🙌🙌*
No comments:
Post a Comment