Monday, 4 November 2024

અજ્ઞાની અને અર્ધનજ્ઞાનીમાં

કહેવાય છે કે યા અજ્ઞાની સારા યાતો સાવ અજ્ઞાની ! 

પન આ અર્ધજ્ઞાની તો ..! ભા...ઇ ...સાબ...! :)

મે એક વાર ઈવડા ઇ મારા ભાઈબંધને આ બાબતે પૂછ્યું તો ઇ ક્યે કે, 

'અધૂરી જાણકારી ને આધારે કાય પન બોલવું બાફવા બરાબર છે... !" 

એટલે કે અક્કલનું પ્રદર્શન કરવા બરાબર છે .! બોલો..! :) 


મે કીધું હૈશે ....:)  

હાં પન ..! :)

પછે એકવાર મે એને પૂછ્યું ... 

તારે ધરમ બાબતે કેમનું.....? 

તો ઇ ક્યે કે તારે શું...??

હું મુંજાય ગ્યો ...:) 

પછે મે કીધું , કે તો ખરો ભલા માણસ મનેય કાંક હમજાય....

ઇ ચૂપ ર્યો કાય નો બોયલો ... "મૌન"... 

જોકે મારી કસોતી થઈ ગઈ....

આપરને બકબક કઇરા વિના એક સેકંડેય નો હાલે... :) 

જરાક ચૂપ રૈ તાં તો થોરિક વારમાં લવારિયો તાવ આવી જાય બોલો ... ! :)

પછે મે બૌ પૂછ પૂછ કઇરી ઍટલે ઇ મને ક્યે કે... 

તું બકબક બૌ કરે છે, મરી જવાનો આમને આમ... :)

હવે એમાં તો ના નોજ પરાય ને ! 

કે, હું કોયદિ' મરવાનો નથી , ઈએ હાચું કીધું ઍટલે હું કાય બોયલો નૈ ..:) 

પછે મે કીધું ભઈ મુર વાત ઉપર આવ ને..! 

અટલે પછે ઈએ કીધું કે.... 

"રાત ઉજાગરા કઇરા વિના મુરમાં ઊંડા ઉઇતરા વિના કાય પન બોલવું મને નૈ ફાવે ...! "

( "રાત ઉજાગરા કર્યા વિના મૂળમાં ઊંડા ઉતાર્યા વિના કઇ પણ બાફવું નરી મૂર્ખતા છે..")

બાકી ઇ બાબતે ઘણાય લખી બોલી ને મરી ગ્યાં તોય માણસ માણસજ ર્યા "ઘેંટા"નો થ્યા. બોલો...! :) 

ચોઇખવટ :- તે આ હું વારે ઘડીએ વાતના અંતે આદતવશ જ બોલો , બોલો , કહું છું હો ! હાં....::)

બાકી બોલવાની સખત મનાઈ છે કૈ દઉં છું ...! :) :) :)

પછે એને એમય કહ્યું કે ઇ લોકો ધરમ બાબતે લખી બોલી મરી તો ગ્યાં,  

પન તોય આજેય ઇ લોકો લોક હ્રદયમાં જીવે છે..! 

એ જીવે છે આજેય, એના શબ્દોમાં, એની વાણીમાં ... 

જેમકે અખા ભઈ,કબીર ભઈ ઇ સિવાય બીજા હઇશે જ પન ,,, માલા માહીત નાય ..:)

તો ઈવરા ઇ સાવ કરતાં સાવ ઉઘારું ને સોસરવું ઉતરી જાય એવું લખતા બોલતા ...:)

એમ તો ઈવડા ઇ મારા ભાઈબંધોય સાવ નાગું લખતા બોલતા ... 

અટલે તો ઘણાને કણાની માફક ખતક્તા.... ! :) 

પન આપરે એવું કાય નૈ..હોં હાચેકા ...:)

આપરે તો કોઈના હ્રદયમાં ઘર કરતાં ને આંખોમાં જઈ વસતા ભલા માનસ... :) 

બ્લાસ્ટ :- આવતા અંકે ...:) 

આ ચિતરમા રહેલા ચીતર કે લખાન ને પરકમાં હારે કાય કરતાં કાય લેવા દેવા નથ ...! 

કેમકે ઇ હંધાય થોડા ઈશ્વર ને મરવા જાય છે ...

"ઈવડા ઇ તો બચારા સાવ કરતાં સાવ નિર્દોષ છે .... "

ઇ તો, તાં' કણે ખાલી પિકનિક કરવા જાય છે...  

કુદરતી સૌંદર્યમાં પહાડ અને ઝરણા વચ્ચે , 

પ્રકૃતિની પાસે હરવા, ફરવા, ને પ્રકૃતિને મરવા જાય છે, 

પ્રકૃતિ પ્રેમી માનસ પ્રકૃતિમાં ભરવા જાય છે ...! :) 

જો કે પછે અંતેય એમાં જ (પ્રકૃતિમાંજ) હૌ ને.ભરવાનું હોય છે , હાચું કે નૈ...હે ભૈ હાચું કે નૈ...?:) :) :)

 *બ્લાસ્ટ*

અજ્ઞાની અને અર્ધનજ્ઞાનીમાં બડો તફાવત હોય છે.

અજ્ઞાની ચોખ્ખે ચોખ્ખુજ કહી દે છે કે, 

હું કશુંજ જાણતો નથી જ્યારે, 

અર્ધજ્ઞાની કહે છે હું બધુજ જાણું છું.!

"અજ્ઞાની"

https://www.facebook.com/share/jTRcjwdvZMkGRCSd/



No comments:

Post a Comment