કહેવાય છે કે યા અજ્ઞાની સારા યાતો સાવ અજ્ઞાની !
પન આ અર્ધજ્ઞાની તો ..! ભા...ઇ ...સાબ...! :)
મે એક વાર ઈવડા ઇ મારા ભાઈબંધને આ બાબતે પૂછ્યું તો ઇ ક્યે કે,
'અધૂરી જાણકારી ને આધારે કાય પન બોલવું બાફવા બરાબર છે... !"
એટલે કે અક્કલનું પ્રદર્શન કરવા બરાબર છે .! બોલો..! :)
મે કીધું હૈશે ....:)
હાં પન ..! :)
પછે એકવાર મે એને પૂછ્યું ...
તારે ધરમ બાબતે કેમનું.....?
તો ઇ ક્યે કે તારે શું...??
હું મુંજાય ગ્યો ...:)
પછે મે કીધું , કે તો ખરો ભલા માણસ મનેય કાંક હમજાય....
ઇ ચૂપ ર્યો કાય નો બોયલો ... "મૌન"...
જોકે મારી કસોતી થઈ ગઈ....
આપરને બકબક કઇરા વિના એક સેકંડેય નો હાલે... :)
જરાક ચૂપ રૈ તાં તો થોરિક વારમાં લવારિયો તાવ આવી જાય બોલો ... ! :)
પછે મે બૌ પૂછ પૂછ કઇરી ઍટલે ઇ મને ક્યે કે...
તું બકબક બૌ કરે છે, મરી જવાનો આમને આમ... :)
હવે એમાં તો ના નોજ પરાય ને !
કે, હું કોયદિ' મરવાનો નથી , ઈએ હાચું કીધું ઍટલે હું કાય બોયલો નૈ ..:)
પછે મે કીધું ભઈ મુર વાત ઉપર આવ ને..!
અટલે પછે ઈએ કીધું કે....
"રાત ઉજાગરા કઇરા વિના મુરમાં ઊંડા ઉઇતરા વિના કાય પન બોલવું મને નૈ ફાવે ...! "
( "રાત ઉજાગરા કર્યા વિના મૂળમાં ઊંડા ઉતાર્યા વિના કઇ પણ બાફવું નરી મૂર્ખતા છે..")
બાકી ઇ બાબતે ઘણાય લખી બોલી ને મરી ગ્યાં તોય માણસ માણસજ ર્યા "ઘેંટા"નો થ્યા. બોલો...! :)
ચોઇખવટ :- તે આ હું વારે ઘડીએ વાતના અંતે આદતવશ જ બોલો , બોલો , કહું છું હો ! હાં....::)
બાકી બોલવાની સખત મનાઈ છે કૈ દઉં છું ...! :) :) :)
પછે એને એમય કહ્યું કે ઇ લોકો ધરમ બાબતે લખી બોલી મરી તો ગ્યાં,
પન તોય આજેય ઇ લોકો લોક હ્રદયમાં જીવે છે..!
એ જીવે છે આજેય, એના શબ્દોમાં, એની વાણીમાં ...
જેમકે અખા ભઈ,કબીર ભઈ ઇ સિવાય બીજા હઇશે જ પન ,,, માલા માહીત નાય ..:)
તો ઈવરા ઇ સાવ કરતાં સાવ ઉઘારું ને સોસરવું ઉતરી જાય એવું લખતા બોલતા ...:)
એમ તો ઈવડા ઇ મારા ભાઈબંધોય સાવ નાગું લખતા બોલતા ...
અટલે તો ઘણાને કણાની માફક ખતક્તા.... ! :)
પન આપરે એવું કાય નૈ..હોં હાચેકા ...:)
આપરે તો કોઈના હ્રદયમાં ઘર કરતાં ને આંખોમાં જઈ વસતા ભલા માનસ... :)
બ્લાસ્ટ :- આવતા અંકે ...:)
આ ચિતરમા રહેલા ચીતર કે લખાન ને પરકમાં હારે કાય કરતાં કાય લેવા દેવા નથ ...!
કેમકે ઇ હંધાય થોડા ઈશ્વર ને મરવા જાય છે ...
"ઈવડા ઇ તો બચારા સાવ કરતાં સાવ નિર્દોષ છે .... "
ઇ તો, તાં' કણે ખાલી પિકનિક કરવા જાય છે...
કુદરતી સૌંદર્યમાં પહાડ અને ઝરણા વચ્ચે ,
પ્રકૃતિની પાસે હરવા, ફરવા, ને પ્રકૃતિને મરવા જાય છે,
પ્રકૃતિ પ્રેમી માનસ પ્રકૃતિમાં ભરવા જાય છે ...! :)
જો કે પછે અંતેય એમાં જ (પ્રકૃતિમાંજ) હૌ ને.ભરવાનું હોય છે , હાચું કે નૈ...હે ભૈ હાચું કે નૈ...?:) :) :)
*બ્લાસ્ટ*
અજ્ઞાની અને અર્ધનજ્ઞાનીમાં બડો તફાવત હોય છે.
અજ્ઞાની ચોખ્ખે ચોખ્ખુજ કહી દે છે કે,
હું કશુંજ જાણતો નથી જ્યારે,
અર્ધજ્ઞાની કહે છે હું બધુજ જાણું છું.!
"અજ્ઞાની"
https://www.facebook.com/share/jTRcjwdvZMkGRCSd/

No comments:
Post a Comment