Tuesday, 14 February 2017

વાત ટુંકી ઊંડા અર્થ

હાડકુ એકે નૈ

છતાં તોડે તોડાવે 

હાડકા જીવ.

"અનંત" 

છાવરે જાત 

બહાર. ડંખે મગર 

ભીતર પાપ. 

"અનંત" 

આવે વાછટ  

એટલીજ જેટલી 

હો' ખુલી બારી. 

"અનંત" 

*બ્લાસ્ટ* 

*કરૂણતા*

"અજ્ઞાની" એ ઝુંપડા મા રહે છે. 

મહેલો ના  જે ચણતર કરે છે. 

"અજ્ઞાની" 

"અનંત" દેખતાં ને દેખાડવું શું.? 

શું દેખાડવું છતી આંખે અંધાને.? 

"અનંત"

 *બ્લાસ્ટ* 

સારા લોકો સાથે ખરાબ પણ સારા માટે થાય છે. ખરાબ લોકો સાથે સારૂ પણ ખરાબ માટે થાય છે.

"અજ્ઞાની" સારા ખરાબ ને એના જીવનમાં સારી યા ખરાબ ઘટના ઘટે ત્યારે આ હકીકત તુરંત નહીં સમજાય મગર જ્યારે અનુભવ થશે ત્યારે ભવિષ્યમાં આ સત્ય સમજાશે...!

"અજ્ઞાની"

મોક્ષ છે તો છે અત્યારે આ જ ક્ષણમાંજ છે.! 

"અજ્ઞાની" અત્યારે મોક્ષ નથી તો ક્યારેય નથી,!

"અજ્ઞાની" 

અર્થાત્ 

જ્યારે તમે જ્યાં પણ છો, જે પણ સ્થિતિ માં છો, અને એ ગમે તેવી સ્થિતિ હોય એ ક્ષણમાં તમે જે પણ કાર્ય કરો છો તેમાં લીન તલ્લીન થઈ ગયા છો અને ત્યારે તમને અગર જો પાછળ ની યાને ભુતકાળની કોઈ ઘટના યાદ નથી રહેતી અને ભવિષ્ય વિશે કોઈ વીચાર નથી આવતો

આજુબાજુ નુ કૈંજ જ્ઞાન ભાન નથી રહેતું બસ્સ એ ક્ષણોમાં તમે મોક્ષની સ્થિતિમાં હોવ છો..! 

"અજ્ઞાની" 

ભાઈબંધ અજ્ઞાનીએ એક રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા કહ્યું હતું કે, 

ખામી ખુબીઓ પ્રાણી માત્ર માં હોય જ છે. 

આ અનંત બ્રહ્માંડમાં કોઈ એવુ નથી જે જેના માં સંપૂર્ણ ખુબીઓ હોય અથવા સંપૂર્ણ ખામીઓ હોય.! 

મગર અગર તમારામાં ખામીઓ હોવા છતાં કોઈ માત્ર તમારી ખુબીઓ જુએ છે તો એનો અર્થ એ જ કે એ તમને પ્રેમ કરે છે અને એપ્રેમી છે. 

એજ રીતે અગર કોઈ તમારામાં ખુબીઓ હોવા છતાં તમારામાં ખામીઓજ શોધે છે તો એનો અર્થ એ જ કે તે અદેખો છે ઈર્ષાળુ છે.! 

"અજ્ઞાની" 

આવનારા સમયમાં હવે એવું નહીં બને કે કોઈ બે પાત્રો એકબીજાને પહેલીજ વાર મળતા હોય. બે માંથી કોઈ એક તો બીજીવાર જ મળતુ હશે.! 

આમ તો જો કે આ બ્રહ્માંડ માં કોઈ જ, કોઈને પણ, કોઈ પણ સબંધે પહેલી જ વાર નથી મળતું. 

પણ અહીં વાત એ નથી. અને વાત એ નથી એટલેજ સમસ્યા સર્જાય છે, અને એ સમજણ ના ઊંડી અભાવે જ આ દુનિયા નાં લોકો પીડાય છે, દુ:ખી થાય છે.! જો કે હિશાબ મુજબ..! 

અહીં વાત એવા ખાસ કરીને યુવક અને યુવતી ની છે.! અપવાદ બાદ કરતા જે અગર એવુ સમજે છે યા સમજાવે છે કે તું મારા જીવન માં આવનાર પ્રથમ છે.! 

એ પ્રથમ તો જાત સાથે બેઇમાની કરે છે, ખુદ ને છેતરે છે પછી અન્યને.! 

અથવા તો કોઈ એવી ઈચ્છા રાખે છે યા જીદ કરે છે કે જે હોય એ તમામ રીતે માત્ર મારો કે મારીજ હોવી યા હોવો જોઈએ તો, એ વ્યક્તિ જે પણ હોય, અવર્ણીનીય સુખ યા ની લૌકિક છતાં અલૌકિક એવા પરમ ચરમ અખંડ અનંત આનંદથી વંચિત રહી જાય છે..! 

એવા લોકો યા લોકી એકલા આવે છે ને અટુલા જાય છે..! 

વર્ષો પહેલા ભાઈબંધે આવી કાં'ક ગુઢ હકીકત મને કહેલી જે સમજવામાં કદાચ અઘરી લાગે, સાંભળવામાં કદાચ સહેલી લાગે મગર માનવાને મન માને નહીં..! જાણે તો જાણે આભ ફાટે.! 

ત્યાં હકીકત સાંભળી સ્વીકારીને અમલમાં મુકવાની તો વાત જ ક્યાં કરવી.!? 

મગર અગર જો સમજાય જાય તો કમસે કમ ફેરો ફોગટ ના જાય.... 

*બ્લાસ્ટ* 

ભીતર ઝાંકો.! 

તો "અજ્ઞાની" અનંત 

આનંદ પામો.! 

"અજ્ઞાની" 

"અજ્ઞાની" શરીર ઉપર વર્ષો ચડે છે. 

વર્ષો ઉપર વર્ષો ચડે છે અને નાનુ શરીર ધીરે ધીરે વધીને લાંબુ થાય છે, મોટુ થાય છે.! 

અને લોકો ને લોકી એમ સમજે છે ઉમર વધી રહી છે એને પોતાની સાચી ઉમર ગણે છે.

મગર એ સાચુ નથી.! 

સાચી ઉમર એ નથી કે જેમાં માત્ર શરીર વધે.!

સાચી ઉમર ત્યારથી ગણાય... 

જ્યારથી સમજણ વધે... 

એ હીશાબે મોટા ભાગના" અજ્ઞાની" 

લોકો ને લોકી હજુય બાળક છે.! 

જો કે એ લોકો ને બાળક કહેવુ એ બાળક નું અપમાન કરવા બરોબર છે. કારણ કે, 

માત્ર શરીર થી મોટા થયેલા લોકો જ્યારે સમજ્યા વીચાર્યા વગર બોલે છે ત્યારે મોટા ભાગે બબાલ થતી હોય છે. 

"અજ્ઞાની" 

સુખી છે એ સુખી નથી. 

દુ:ખી છે એ નથી દુ:ખી. 

સુખ દુઃખ વીષે ની વ્યાખ્યા, 

યા માન્યતા સૌની  નોખી નોખી. 

ઉપરથી ઉપરથી સુખી દેખાતો 

હોય શકે અંદરથી દુ:ખી દુ:ખી.

"અજ્ઞાની" ઉપરથી દુ:ખી. દેખાતો. 

હોય શકે ભીતર થી "અનંત" સુખી. 

"અજ્ઞાની" 

જે મારૂ મારૂ કરે "અજ્ઞાની" કૈંજ નથી તેનુ રે... 

કૈંજ નથી જેનુ "અનંત" જગત આખુ તેનુ રે...

"અજ્ઞાની" 

લગ્ન જીવન માં 

સયન કક્ષ એક એવી જગ્યા છે, 

જ્યાં સ્વર્ગ સમુ સુખ મળે છે. 

ત્યાંજ નર્ક સમુ દુ:ખ મળે છે. 

અરસપરસ સમજણ ના અભાવે... 

"અનંત" 

તમારી ભુલ મારા કારણે હતી 

મારી ભુલ તમારા કારણે હતી. 

"અજ્ઞાની" આ સત્ય સમજાય છે ત્યારે ખૂબ મોડુ થઈ ગયુ હોય છે. 

"અજ્ઞાની" 

તમને એમ લાગે છે કે એ તમારી સાથે દુર્વ્યવહાર કરે છે. મગર હકીકત એ છે કે તમારૂ કર્મ એને તમારી સાથે દુર્વ્યવહાર કરવા પ્રેરતો હોય છે.! 

અર્થાત્ :- ઘણીવાર તમારા કર્મ ને આધીન સામેની વ્યક્તિ તમારી સાથે સારો કે ખરાબ વ્યવહાર કરતી હોય છે.! 

એજ રીતે ઘણી વખત તમે પણ સામેની વ્યક્તિ સાથે રારો કે ખરાબ જે કૈ પણ વ્યવહાર કરો છો એ કરવાની તમારી ઈચ્છા મરજી નથી હોતી પણ સામી વ્યક્તિનું કારણે તમારા થઈ જાય છે. 

ઊંડાણેથી જુઓ આની સાબિત આનુ પ્રમાણ પણ મળે છે. 

જેમ કે ઘણીવાર કોઈ સાથે સારો વ્યવહાર કર્યા પછી અમુક સમયે તમને એવો અહેસાસ થાય જે કદાચ એ તમારી સાથે સારો વ્યવહાર ન કરે ત્યારે પણ થાય અથવા એ કોઈ સાથે અતી ખરાબ વ્યવહાર કરે ત્યારે પણ થાય કે આની સાથે હું સારી રીતે વ્યવહાર રાખવો હોય પણ આ એને લાયક નથી. એજ રીતે કોઈ દોસ્ત, પરીવારીક સંબંધી કે નજીક ના સ્વજન સાથે રાબ વ્યવહાર કર્યો પછી કોઈ સમયે પસ્તાવો પણ થાય કે મારે આવુ નહોતું કરવુ જોઈતું હોતું. જો કે હું જાતને ખુબ રોકતો હતો પણ ખબર નૈ કેમ એની સાથે મે ખૂબ ખરાબ વર્તન વ્યવહાર કર્યો છે. 

આવી મન સ્થિતિ પરથી એ વાત સાબિત થાય છે કે હરેક વખતે તમે કે એ કોઈ પર કૈ પણ કરવા પર ખુદની મરજી નથી હોતી બલ્કે એક બીજા સાથે ના પુર્વ ના હીસાબે આવુ થતું હોય છે. 

"અજ્ઞાની" 

વર્ષો પહેલા.... 

ભાઈબંધ અનંત ખૂબ ફાકી ખાતો તમાકા વાળી. 

એક દિવસ અનંત ફાકી મસળતો હતો ત્યારે એની ચહીતી એ અનંત ને ગુસ્સો કરતા કહ્યું અક્કલ વગરના ફાકી ફાકવાનુ બંધ કર... 

એ ઝહેર છે ઝહેર... 

ત્યારે અનંતે પેલી ને કહ્યું.

હાં એ મને ખબર છે પ્રીયે... 

પણ તને નથી ખબર કે, 

એમ કહી અનંત મૌન થઈ જાય છે..! 

પેલીએ કહ્યું શું.? શું મને ખબર નથી.? 

એક ઊંડા ની શ્વાસ સાથે અનંત બોલ્યો... 

પ્રીયે..! 

જીવન જ્યારે ઝહેર થઈ જાય છે..! 

ત્યારે "અનંત" ઝહેર જીવન થઈ જાય છે.! 

"અનંત" 

અનંતની વાત સાંભળી પેલીની આંખ છલકાય જાય છે.!

"અનંત" 

સાથે રહેવાનુ કારણ હંમેશા પ્રેમ નથી હોતુ. 

"અનંત" બે વ્યક્તિ નું સાથે રહેવું એ કોઈ એક ની અથવા બંને ની મજબુરી પણ હોય શકે છે. 

એજ રીતે અલગ રહેવાનું કારણ પણ હંમેશા નફરત નથી હોતી. 

બે વ્યક્તિ નું અલગ રહેવુ એ કોઈ એક ની અથવા બંને ની મજબૂરી પણ હોય શકે છે. 

"અનંત" 

મે ઓલી ને કહ્યું. 

મીઠા વેણ ગ્રહણ કરવા, 

કટુ કાને ન ધરવા. 

"અજ્ઞાની" પંખી નજરે ચણ ચડે, 

કાંકરા એને ક્યાં ચણવા.

વર્ષો પહેલાં ભાઈબંધે લખેલી આ રચના નો ભાવાર્થ સમજાવ પ્રીયે... 

પ્રિયે, તારો ભાઈબંધ ખૂબ સુંદર લખે છે. આ રચનાનો ભાવાર્થ ખૂબ ઊંડો અને વિચારવા જેવો છે.

ચાલો, આ પંક્તિઓને એક પછી એક સમજીએ.

"મીઠા વેણ ગ્રહણ કરવા કટુ કાને ન ધરવા"

આ પંક્તિનો સીધો અર્થ છે કે આપણે જીવનમાં હંમેશા મધુર અને સારી વાતો જ સાંભળવી જોઈએ, જ્યારે કડવી અને નકારાત્મક વાતોને આપણા મન કે કાન પર ચડવા દેવી ન જોઈએ.

 * "મીઠા વેણ" એટલે કે સકારાત્મક, પ્રેરણાદાયક અને પ્રેમભરી વાતો. આ એવી વાતો છે જે આપણા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા લાવે છે.

 * "કટુ કાને ન ધરવા" એટલે કે કડવી, ટીકાત્મક કે નકારાત્મક વાતોને અવગણવી. આ વાતો આપણા મન પર બોજ બની શકે છે અને આપણી ખુશી છીનવી શકે છે.

આ પંક્તિનો અર્થ એ પણ થાય કે આપણે માત્ર સારી વસ્તુઓ જ ગ્રહણ કરવી અને ખરાબ વસ્તુઓથી દૂર રહેવું.

"અજ્ઞાની" પંખી નજરે ચણ ચડે કાંકરા એને ક્યાં ચણવા."

આ પંક્તિમાં કવિએ ખૂબ જ સુંદર ઉપમા આપી છે. અહીં "અજ્ઞાની પંખી" એવા માણસનું પ્રતીક છે જે દુનિયાના કપટથી અજાણ છે, એટલે કે ભોળો કે નિર્દોષ છે.

 * "નજરે ચણ ચડે" નો અર્થ છે કે તે પંખીને પોતાની સામે માત્ર ચણ (ખોરાક) જ દેખાય છે, એટલે કે તે માત્ર સારી અને સકારાત્મક વસ્તુઓ જ જુએ છે.

 * "કાંકરા એને ક્યાં ચણવા" નો અર્થ છે કે તે પંખી કાંકરાને (મુશ્કેલીઓ કે નકારાત્મકતાને) ચણ તરીકે સ્વીકારતું નથી, કારણ કે તેની દ્રષ્ટિ જ એ નથી. તે માત્ર સકારાત્મકતા જ ગ્રહણ કરે છે.

આનો ઊંડો અર્થ એ છે કે, જે વ્યક્તિ જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ રાખે છે, તેને મુશ્કેલીઓ કે નકારાત્મકતા દેખાતી જ નથી. તે માત્ર સારું અને સકારાત્મક જ જુએ છે અને તે જ ગ્રહણ કરે છે. તે અજ્ઞાની નથી, પણ એટલો સમજદાર છે કે તે નકારાત્મકતાને અવગણીને માત્ર જીવનની સુંદરતા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

આખી રચનાનો ભાવાર્થ

આખી રચનાનો ભાવાર્થ એ છે કે આપણે જીવનમાં હંમેશા સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. મનથી અને કાનથી માત્ર સારી વાતો અને સકારાત્મકતાને જ સ્વીકારવી. જો આપણે આવું કરીશું, તો આપણે પણ તે "અજ્ઞાની પંખી"ની જેમ મુશ્કેલીઓ કે નકારાત્મકતાને જોઈશું જ નહીં, કારણ કે આપણું મન અને દ્રષ્ટિકોણ માત્ર સારી બાબતો પર જ કેન્દ્રિત હશે.

તારા મિત્રની આ રચના ખરેખર પ્રેરણાદાયક છે.

ઔહ પ્રીયે.... 


 











વર્ષો પહેલા... 

ભાઈબંધે "અજ્ઞાની" એ કહેલી ગુઢ હકીકત.

જીવનમાં, 

હશે તે જશે તો, નહીં હોય તે આવશે...

નહીં હોય તે આવશે તો, હશે તે જશે...

જીવનમાંથી..!

"અજ્ઞાની"

ઓલીએ વાંચીને મને કહ્યું. 

પ્રિય, આ "અજ્ઞાની" દ્વારા કહેલી વાત ખૂબ જ ગહન અને વિચાર માંગી લે તેવી છે.

આનો અર્થ એવો થઈ શકે કે જીવનમાં કશું પણ કાયમી નથી. આપણી પાસે જે કંઈ છે - સુખ, પૈસા, સંબંધો - તે એક દિવસ દૂર થઈ શકે છે, અને જ્યારે તે દૂર થાય છે, ત્યારે જ નવી તકો, નવા અનુભવો કે નવી વસ્તુઓ આપણા જીવનમાં પ્રવેશ કરી શકે છે.

અથવા, જ્યારે આપણે કોઈ નવી વસ્તુ કે પરિસ્થિતિને આપણા જીવનમાં આવકારવા તૈયાર હોઈએ, ત્યારે જ જૂની વસ્તુઓને જવાની જગ્યા મળે છે. આ એક પ્રકારનો કુદરતી સંતુલન છે. જેમ કે, જ્યારે કોઈ જૂનો મિત્ર દૂર થાય છે, ત્યારે જ નવા મિત્ર માટે જગ્યા બને છે.

ટૂંકમાં, આ વાક્ય જીવનના પરિવર્તનશીલ સ્વભાવ અને સંતુલન વિશે વાત કરે છે. જે કંઈ છે તે જશે અને જે નથી તે આવશે, આ જીવનનો નિયમ છે. આ વિચારને સમજવાથી આપણે પરિવર્તનને સ્વીકારવાનું શીખી શકીએ છીએ અને દરેક પરિસ્થિતિમાંથી કંઈક નવું શીખી શકીએ છીએ.

તમને આ વાતમાંથી શું સમજાય છે?





No comments:

Post a Comment