Monday, 24 November 2025

જીવ અલગ જીવન અલગ...


વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે ભીતર ના અનંત ઊંડાણે ડુબકી લગાવી ત્યારે આવું કાં'ક એના મનની સપાટી પર આવ્યુ હતું અને પછી અનંતે લખ્યું હતું કે, 

જીવ અલગ- જીવન અલગ, 

"અનંત" અલગ મન ની દુનિયા. 

જેની સાથે છે તેની સાથે નથી કોઈ.

જેની સાથે નથી તેની સાથે હર કોઈ.

અર્થાત્ : 

જે પાસે છે તેની સાથે નથી કોઈ. 

છે જે દૂર તેની સાથે છે હર કોઈ. 

"અનંત" 

*બ્લાસ્ટ* 

વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાનીએ કહ્યું હતું કે, 

સુખ દુઃખ નું કારણ સમજણ નો ભાવ અભાવ હોય છે. 

જેટલી સમજણ ઓછી એટલુ ઓછું સુખ. 

સમજણ જેટલી વધુ એટલુ ઓછુ દુ:ખ.! 

જેટલી સમજણ વધુ એટલુ વધુ સુખ.!

સમજણ જેટલી ઓછી એટલુ વધુ દુ:ખ.! 

વધુ સમજણ ઓછુ દુ:ખ. 

ઓછી સમજણ વધુ દુઃખ.

વધુ સમજણ વધુ સુખ. 

ઓછી સમજણ વધુ દુઃખ. 

"અજ્ઞાની" 




No comments:

Post a Comment