Thursday, 28 February 2013

જીવનનું એક અંગ બની ગયું છે.


"જીવનનું આ પણ એક અંગ બની ગયું છે "
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

મારા પ્યારા દુલારા દોસ્તો... આજે કોણ જાણે

કેટલા વર્ષો પછી મે એક અજીબ બેચેનીનો

અનુભવ કર્યો જે અનુભવ મને ઘણા વર્ષો પહેલા 

થયેલો,એ અનુભવ આમ તો પીડા દાયક જ હતો

પણ! તે છતાં યાદગાર હતો. 

ઈશ્વરે માનવીને ત્રણ વસ્તુ આપી છે.. 

મન, શરીર અને આત્મા. 

અને આ ત્રણેય વસ્તુને જુદી જુદી ભૂખ આપી છે... 
ભુખ આપી છે તો ખોરાક પણ આપ્યો છે , 

“ભુખા પેટ ના ભજે ગોપાલા” “

તો આખરે એ ત્રણેય વસ્તુની ભૂખ સંતોષાય

એ પણ એટલુજ જરૂરી છે” ,

જોકે આમ તો માનવી ઘણી બધી ભૂખ લઈને ફરે છે. 

કોઈ પૈસાની કોઈ પ્રસિધ્ધિની. આવી તો બીજી

ઘણી ભુખ સદાય રહેતી હોય છે માનવીને.

પણ!,મારે અહી એ બધી ભુખ વિષે વાત નથી 

કરવી. 

તો આ ત્રણ વસ્તુનો ખોરાક શું ?

તો શરીરનો ખોરાક અન્ન,તેમજ જે પણ શારીરિક 
‘જે પણ’

(અહી ‘જે પણ’ નો અર્થ બધા સમજી શકે એમ 
છે માટે ખુલાશો નથી કરતો )

જરૂરિયાત હોય એ મનનો ખોરાક મનગમતી
પ્રવૃતિ,તો પછી આત્માનો ખોરાક શું ?હુ એજ

કહેવા માગું છું દોસ્તો કે આત્માનો ખોરાક છે હૂંફ

હાં હૂંફ જેનો અનુભવ પ્રત્યક્ષ થાય કે પરોક્ષ .

પણ સૌથી વધુ જીવનમાં એજ જરૂરી છે. 

અહી “અનંત”ની વર્ષો પહેલા લખેલી બે ત્રણ

હાઇકુ મુક્વાથી આ વાતને સમજવી સરળ પડશે.

(1) બાકી બધુ મળે માત્ર મળે ના હૂંફ શું કરૂ?

(2)મળે બધુ ના ‘હૂંફ મળે પીડા એ ઝૂંટવે સુખ. 

(3)સમ ઝંખના‘નર નારીની એક બીજાની હૂંફ 

તો “અનંત”ની આ ત્રણેય હાઇકુમાં, માનવી

જીવનમાં મન,અને શરીરને જેટલી જે પણ

ખોરાકની જરૂર હોય છે,ને આપવો પડે છે. 

તેટલોજ આત્માને પણ મળવો જરૂરી છે. 

હાં તો મે એ અનુભવ્યું છે કે પ્રત્યક્ષ નહીં તો

પરોક્ષ પણ અહી એટલેકે આ ફેસ બુક પર

આપણાં સૌના આત્માને એ હૂંફ મળે છે. 

અગર મારી આ વાત ગલત હોય તો પાછી

આપજો .યાને આ લખાણ ડિલીટ કરી નાખવાની 

છૂટ.પ
ણ જાણી જોઈને હું સતત ત્રણ દિવસ

આપ
સૌથી દૂર રહ્યો ત્યારે મને જે અધુરપનો

અહેસાસ થયો એ આપ સૌને ખુલ્લા દિલથી કહી

નાખ્યું. અહી સૌ કોઈને એક અલૌકિક હુંફનો

અહેસાસ કરે
 છે. 

વ્યસનનો બીજો અર્થ છે તલપ અને હર એક

માનવીમાં એ તલપ હોય છે. 

આને વ્યસન કરતાં ખોરાક કહેવો વધુ ઉચિત 

રહેશે. 

તો એમાં ખોટું પણ શું ?

શું આપણે મન ,અને શરીરની જરૂરિયાત પૂરી

નથી કરતાં ????

(એ બધા લોકો માટે,કે જેઓના આત્મા પણ આવી જ કઈક ભુખ ધરાવે છે )“

આ જગ્યા એટલે કે ”ફેસ બુક” 

એ બધા લોકો માટે આશીર્વાદ રૂપ છે.

જેને ખરી તલપ યાને ખરેખર આત્માની ભૂખ છે. 

અહી વર્ષો પહેલાં ભાઈબંધ “અનંતે” લખેલી 

રચના આજે આટલી ઉપિયોગી થશે 

એવું કદાચ એણે ક્યારેય કલ્પ્યું પણ નહીં હોય. 

કલાકાર કોઈ પણ! હોય અને કોઈ પણ વસ્તુમાં

પારંગત હોય આખરે એ જ ઈશ્વરની સૌથી

નજીક હોય છે.

એ પણ સર્જન સર્જનહાર છે અને આ પણ કરે છે

સર્જન. 

જેમાં છેલ્લે કોઈ નામ ના હોય ફક્ત એનો જ

 લેખક મને સમજાવો. 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

“અહી "અનંત" દૂર દૂર જે ભાસે છે. 

સાવ કરતાં સાવ એ હ્રદયની પાસે છે. 

"અનંત" 

હોય જે પાસે એ હોય કોણ સમજી ગયા કે ?



હોવું જરૂરી જીવનમાં કંઈક તો ઝંખના જેવુ. 

"અનંત"ઝંખના જ ના હોય તે વળી જીવન કેવું.? 

"અનંત" 

************************************* 

No comments:

Post a Comment