Saturday, 9 March 2013

અજ્ઞાનીની અવળી વાણી..

જ્યારે કઈ ગુમાવીએ છીએ, 
ત્યારે હોય છે ઘણુંયે મળતુ.

"અજ્ઞાની" કમનસીબે ત્યાં જ !
આપણું ધ્યાન નથી પડતું .
*****************
"છાસ વારે બનતી દુ:ખદ ઘટના 
કેમ રોકવી તે વિચારવું જોઈએ ......."
*****************


""અનંત"બધાની સાથે રહેવું .
પણ કોઈના ભરોસે ના રહેવું""
*****************

શું આપ જાણો છો  ઇશ્વરે આપ ને શા માટે  અવની પર મોકલ્યા છે
કઈક ખાસ અન્યથી કઈક અલગ કામ કરવા .........જી .. હા..
તો કરો ! થશે જે ધારશો તે  થશે .

તમારે બસ ધારી લેવાનું બાકી બધુ એના પર છોડી દેવાનું.. 
જેણે તમને અવની પર મોકલ્યા છે કઈક ખાસ કામ માટે .....
એણે જેને જેને ખાસ કામ માટે અવની પર મોકલ્યા છે ..

તે બધાનું ધ્યાન રાખ્યું છેતમારું પણ રાખશે ... 
વિશ્વાસ- શ્રદ્ધા રાખો બસ ....
***********


"ઘણાને સારામાં ખરાબ શોધવાની આદત હોય છે , "અનંત "
અને ઘણા  ખરાબ  માથી પણ સારું શોધવાની ક્ષમતા ધરાવે છે "
બધી વાતમાં સારું શોધવું સારા "હકારાત્મક" વિચારની નિશાની છે .
***************
જો સમજી શકો તો...!
~~~~~~~~~~~~~~
"બીજાની ભૂલો શોધવામાં સમય બગાડવા કરતાં , 
એ સામને પોતાની ભૂલો સુધારવામાં વાપરવો "
"અજ્ઞાની"

ભૂલ...! 
હાં ભૂલ તો માણસ માત્રથી થાય છે , થતી જ હોય છે ! 
પણ !
જ્યારે...  
ભૂલ થઈ છે તે જાણ થઈ જાય તો પછી સ્વીકારી લેવામાં , 
સુધારી લેવામાં , અને ફરી ભૂલ ના થાય તેનું જ્ઞાન, ધ્યાન -
રાખવું એમાં  જ સમજદારી હોય છે . 
"અજ્ઞાની"

  
 

****************

મીઠા વેણ ગ્રહણ કરવા કટુ કાને ના ધરવા

પંખી નજરે ચણ ચડે કાંકરા એને ના ચણવા
"અજ્ઞાની "


No comments:

Post a Comment