જો ને !એક ભવમાં કેટ કેટલા
ભાવ બદલાય છે.
ક્ષણ ક્ષણ અહી ! માનવીના
સ્વભાવ બદલાય છે.
હસતાં હસતાં રડી પડે ! ને
રડતાં રડતાં હસી પડે ,
ઘટના બદલાતા, આખે આખો બનાવ
બદલાય છે.
ખરે ખરા કલાકાર છે, કળી ના શકાય,કોણ સુખી,
કોણ દૂ:ખી, પળ પળ ચહેરાના, હાવ ભાવ બદલાય છે.
પ્રસંગો પાત બદલે છે મહોરા, સૌ ઉપર ઉપરથી ,
ભીતરથી ક્યાં અહી કદી કોઈ
સાવ બદલાય છે ?
જ્યારે ખુદના વાણી, વર્તન અને વ્યવહારમાં બદલાવ આવે છે.
ત્યારે આપો આપ કોઈનો આપણી પ્રત્યેનો
લગાવ બદલાય છે.
અંતર ધીરે ધીરે ઘટતું ગયું, એક જ ગામમાં બોલી,
બોલાય અનેક. કે' છે, બોલી બાર ગાવ બદલાય છે.
પાણી જ્યાં દેખે ત્યાં જ જાય પંખી, પ્યાસ બુજાવવા ,
પાણી સુકાતા પંખી, નદી, નાળા,તળાવ બદલાય છે.
ખરા સંતના સાનિધ્યમાં ,ભવ બદલાય જાય ક્ષણમા,
"અનંત” ભીતરના પણ સઘળા જૂના
ભાવ બદલાય છે.
"અનંત"
પાણી જ્યાં દેખે ત્યાં જ પંખી જાય પ્યાસ બુજાવવા
પાણી સુકાતા પંખી, નદી, નાળા,તળાવ બદલાય છે.
પ્રસંગો પાત બદલે છે મહોરા ઉપર ઉપરથી સૌ.
ભીતરથી ક્યાં અહી કદી કોઈ સાવ બદલાય છે ?
હસતાં હસતાં રડી પડે ! ને રડતાં રડતાં હસે છે.
ઘટના બદલાતા આખે આખો બનાવ બદલાય છે.
જ્યારે તારા પ્રત્યે કોઈના લગાવમાં બદલાવ જણાય, ત્યારે... તું ભીતર ઝાંક્જે .
“અનંત” નિજના વાણી,વર્તન,વ્યવહાર થકી જ !કોઈના લગાવમાં બદલાવ આવે છે . 
.jpg)

.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment