Thursday, 1 August 2013

"અજ્ઞાની" ની અનુભવ વાણી....

જીવનમાં કઈક શીખવા સમજવા માટે જિજ્ઞાસા જરૂરી છે.

અને તે પણ છેક ભીતરથી, કેવળ ઉપર છલ્લી નહીં.

જેની ભીતર કઈ શીખવા સમજવાની જિજ્ઞાસા જ ના હોય,

તેને ગમે તેટલું સમજાવો શીખવો બધુ જ 'પથ્થર પર પાણી'

પણ જેનામાં ખરી જિજ્ઞાસા હોય ,

તેને જો...

થોડું સમજાવો ઘણું સમજી શકે છે.
થોડું શીખવાડો ઘણું શીખી શકે છે.

પણ જો ખરી જિજ્ઞાસા હોય તો, તો, અને તોજ....!

અજ્ઞાની....  

No comments:

Post a Comment