Wednesday, 26 February 2014

આ સહેલું તો નથી જ ! "અનંત" ની રચનાઓ માંથી....

વર્ષો પહેલા ભાઈબંધે લખેલું/કહેલું કે, 
"તરસ"


કઈજ ના બોલીને બોલવાનું. 
બંધ હોઠે હ્રદયને ખોલવાનું. 

મનો ચિત શાંત હોય જ્યારે  !
બસ ત્યારેજ !મૌન તોડવાનું . 

તરસ ને વધવા દેવી સતત. 
ઝાંઝવા પાછળ નહીં દોડવાનું. 

પામવું હોય જો જીવનમાં કશું તો, 

પકડવાનું નહીં બલ્કે છોડવાનું . 

એ ખુદ આવી દેશે ટકોરા 'અનંત'
તારે બસ દ્વાર હ્રદયનું ખોલવાનું .  

"અનંત"

No comments:

Post a Comment