Tuesday, 11 November 2014

એક હતો અનંત. કાલ્પનિક સત્ય...

કોઈએ ભ્રમમાં ના રહેવું .... 
કાયમ અનંત ની વાત કરવાની આદત જો પડી છે... 
તો આજે મારી વાત કરવા  ઈચ્છતો હતો  
મગર આદતવશ અનંતની થઈ ગઈ ... 
એ માર્યા પછી પણ મારો પીછો નથી છોડતો.... 
આખી વાત ફરી કહેવાની મને ફુરસત નથી તેથી, 
ખૈર જેમ જેમ આગળ વધશો, 
તેમ તેમ બધુ સ્પષ્ટ થઈ જશે... 
પહેલા કરતા પણ વધુ સ્પષ્ટ થઈ જશે.. 
વર્ષો પહેલાની આ વાત છે. 
આ એ દિવસની વાત છે જ્યારે, 
અનંત ખૂબ મુંજાયેલો હતો... 
શિયાળાની થર થર હાડ ધ્રુજાવતી ટાઢ 
'ને ઘોર અંધારી રાત... 
મોડેથી જ્યારે રાત પણ પોઢી ગઈ હોય ત્યારે... 
મધરાતે કંબલ ઓઢી સુમસાન સાંકળી ગલીમાં ઠેબા ખાતો નથી અને ખાતો હું મહોલ્લામાં છેક ખુણે આવેલા ખંડેર પર રાબેતા મુજબ લઈને ગયો...
ઠંડીના કારણે દરવાજો ઠાલો બંધ કરેલો હતો ... 
હળવેકથી દરવાજો હડસેલી હું ભીતર પ્રવેશ્યો 
 ત્યારે મે જોયું કે,
ફાનસના આછા અજવાળે .... 
(જોકે લાઇટ તો હતી જ પણ અમને ત્રણેયને ધુપસળી ની સુગંધ અને 
ફાનસનું અજવાળું વધુ પસંદ હતું ) 
 ફાનસના અજવાળે એ બન્ને સામ સામે બેઠા છે .  
અને અજ્ઞાની અનંતને  કશુક સમજાવી રહ્યો છે. 
મે ભીતર જઇને જોયું તો, 
અનંત ઉદાસ વદને બેઠો હતો... 
મારી ખાલી પડેલી ખુરશી પર 
સ્થાન ગ્રહણ કરતાં મે પૂછ્યું . 
શું ચાલે છે  અજ્ઞાની.? 
કેમ અનંત આજ ઉદાસ છે ?
અનંત કશુજ ના બોલ્યો એટલે અજ્ઞાનીએ કહ્યું ,
 આજે ફરી એનો કોઈ પ્રેમ સંબંધ વિચ્છેદ ના આરે આવીને ઊભો છે.! 
એટલે અનંત મનમાં ને મનમાં 
ચૂપ ચાપ મુંજાય રહ્યો છે. 
 મે ખૂબ પૂછ્યું ત્યારે અજ્ઞાની માંડ માંડ બોલ્યો કે, 
આજે અનંતના પ્રેમનો અંતિમ દિવસ છે...! 
ચાયની પ્યાલી ભરતા ભરતા મે પૂછ્યું એ કોણ છે ? 
અને શા માટે તને છોડે છે ? 
એ તને છોડે છે.? કે પછી, તુજ એને છોડવા માંગે છે..? 
અનંતને ઉદાસ જોઈ મને ધ્રાસ્કો પડ્યો હોય, 
મે એક સામટા અનેક પ્રશ્ન પૂછી નાખ્યા .. 
પણ અનંત મૌન છે . 
મે અને અજ્ઞાનીએ ચાયની એક એક પિયાલી ઉપાડી લીધી પણ, અનંત જાણે ચાયની પિયાલી તરફ એનુ ધ્યાન જ ના હોય એમ ઉદાસ ચહેરે ખુરશી પર કાળો ધૂસો ઓઢીને ટૂંટિયું વાળી વિચારમાં ખોવાયેલો બેઠો છે.  
મે કહ્યું યાર ઠંડી ખૂબ છે ચાય ઠરી જશે 
લે ચાય પી પછી નિરાંતે બધી વાત કરીયે. 
મે એના ધૂસામાં સંકોરેલા બન્ને હાથ માથી  
એક હાથ બહાર ખેંચી ચાયની પિયાલી
અનંતના હાથમાં થમાવી દીધી....  
અજ્ઞાની સામે જોઈ મે પુછ્યું આખરે વાત શું છે.? 
ચાયની ચુસ્કી ભરતા ભરતા અજ્ઞાની બોલ્યો. 
પરિયા અનંતે હજુ એ સંબંધ તોડ્યો તો નથી 
પણ તોડ્યા પહેલા મારી સલાહ માંગે છે . 
એ કહે છે કે એનો જેની સાથે સંબંધ છે તે, 
એક અલૌકિક અને પવિત્ર સંબંધ છે . 
ચાયની ચૂશ્કી ભરતા હું હળવું હસ્યો મે કહ્યું .. 
યાર અજ્ઞાની અત્યાર સુધીમાં અનંતના ક્યાં સંબંધ અપવિત્ર હતા તે આ હોય ... 
 પ્રેમની નજર ક્યારેક નારીની નાભી નીચે નથી જતી. 
અનંત તો કાયમ મન હ્રદયથી પવિત્ર જ રહ્યો છે .
કોઈ પણ છોકરી એ જ્યારે પણ અનંતના પ્રેમના આવેગમાં આવી આવેશમાં આવી અનંતને 
અપવિત્ર કરવા પ્રયાસ કર્યો છે. 
 ત્યારે પણ અનંત ખુદને બચાવતો રહ્યો છે. 
એ જાણવા છતાં કે મનના મીલન બાદ 
તનનુ મીલન થવું એ પણ અપવીત્ર તો નથીજ 
મગર લગન પહેલાં હરગીઝ નહીં. 
એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી ... 
અનંતના તમામ સંબંધો પવિત્ર રહ્યા છે.! 
મે અનંત સામે જોઈને પૂછ્યું. 
પણ અનંત મને એ તો કહે કે તારો અને એનો સબંધ પવિત્ર 
જ છે, તો આખરે એની સાથે 
સંબંધ તોડવાનું કારણ શું ? 
અનંત ચાય પીતો રહ્યો પણ કશું જ બોલ્યો નહીં
 એટલે અજ્ઞાનીએ મારા આવ્યા પહેલા, 
અનંતે અજ્ઞાનીને કરેલી વાત,અજ્ઞાનીએ મને કહી. 
ચાયની ખાલી પિયાલી ટીપોય પર મુક્તા 
અજ્ઞાની એ વાત શરૂ કરી... 
હાં , તો પરિયા વાત જાણે એમ છે કે, 
અનંત કહે છે કે,એ જેને ચાહે છે તે કોઈ 
સામાન્ય વ્યક્તિ નથી.! 
જોકે ચાહવું કે ચાહતું રહેવું એ પણ આમ તો જોકે 
કોઈ ગુનો નથી જ..! 
મે વાતમાં સૂર પુરાવતા અને સમર્થન આપતા કહ્યું . 
સાચી વાત છે કોઈને ચાહવું કે પ્રેમ કરવો 
એ બિલકુલ ગુનો નથીજ.!
ગુનો ત્યારે બને છે જ્યારે તમે કોઇની ઈચ્છા વિના 
અડપલા કરી તેને પરેશાન કરો...
બેશક એમ કરવુ ગુનો છે.! 
અગર સામેના પાત્ર ને કોઈ પરેશાની ના હોય, 
તો પછી આવો સંબંધ પાસે ના હોવા છતાં 
યુગો સુધી નીભાવી શકાય છે. 
અજ્ઞાની કહે હું પણ એજ કહું છું. 
પણ અનંત કહે છે કે, 
જો મારા કારણે કોઈ વ્યક્તિ ની  
સ્થુળ કે શુક્ષ્મ પ્રગતિમાં યા આત્માની ઉન્નતિમાં 
બાધા આવતી હોય, 
તો પ્રેમથી એનાથી આઘા ચાલ્યું જવું જોઇયે ...     
મે અનંત ને પૂછ્યું શું તને ખરેખર એવું  લાગે છે કે, 
તારા કારણે એની તું વીચારે છે એ મુજબ એની 
પ્રગતિ કે ઉન્નતિમાં બાધા આવે છે .? 
અત્યાર સુધી ધાબળામાં સંકોરઈ નીચું ઘાલીને  મૌન બેઠેલા અનંત ધીમેકથી પણ દ્રઢતાથી બોલ્યો 
'હાં'
પછી પાછો મૌન થઈ અનંતે ફરી પોતાને 
કાળા ધાબળામાં સંકોરી લીધો. 
એટલે અજ્ઞાનીયે મને કહ્યું. 
પરિયા આજે અનંત મો નૈ ખોલે કૈંજ નૈ બોલે.
અનંતે તારા આવ્યા પહેલાં મને 
જે કૈ પણ વાત કરી છે, તે હું તને કહું છું. 
મે કહ્યું હાં યાર તું જલ્દી કહે 
મારા ધબકારાય કાબૂ બહાર જાય છે. 
અજ્ઞાની દાઢી પર આગળા પસરાવતા 
મૂછમાં હસતાં મને કહે , 
પરિયા અનંત ઉદાસ અનંત મૌન અનંતની પીડા  
અને, ધબકારા તારા વધે છે બૌ કેવાય... 
મે જરા ગુસ્સે થઈ અજ્ઞાની ને કહ્યું
યાર્ર ધબકારા તો તારાય વધી જવા જોઇયે.... 
 તેમ છતાય તું આમ શાંત અને નિશ્ચિંત કેમ બેઠો છે  એજ મને સમજાતું નથી... ! 
હું ગુસ્સે થઈ ગયો.
યાર મારો એકલાનોજ નહીં 
અનંત આપણાં બેઉનો ભાઈબંધ છે...! 
એનું સુખ એ જેમ આપણું સુખ હોય છે તેમ 
એનું દૂ:ખ પણ આપણું દૂ:ખ હોવું જોઇયે ... 
અને એ ન્યાયે તને પણ અનંતની આવી મન સ્થીતી 
 જોઈને દૂ:ખ થવું જોઇયે.! 
એના બદલે હું અનંતના દૂ:ખે દુખી થાવ છું 
તો, 
તું બેફિકરાઈ થી નિશ્ચિંત થઈ હસે છે.!? 
તને શરમ નથી આવતી...? 
હું સમજુ છું પરિયા..., 
તારો મારા પરનો ગુસ્સો 
અને અનંત ને લઈને દૂ:ખ બન્ને વાજબી છે . 
તું એમ ના સમજ કે મને અનંતનુ મૌન, 
અનંતની ઉદાસી અકળાવતી નથી ! 
મારી ભીતર પણ ખળભળાટ થઈ ગયો છે 
જ્યારથી મે અનંત ની વાત સાંભળી છે.. ! 
પણ મારે સ્વસ્થ રહેવું પડે છે પરિયા..., 
મારે સ્વસ્થ રહેવું પડે છે.! 
અજ્ઞાની નો સ્વર ભારે થઈ ગયો. 
અજ્ઞાનીના ચહેરા પર ભારોભાર 
વેદના ડોકાવા લાગી. 
દાઢી પર હાથ ફરાવતા ભારે સ્વરે અજ્ઞાનીએ કહ્યું. 
મગર યાર અગર આપણે ત્રણેય દૂ:ખી અને ઉદાસ થઈને બેસી રહીએ તે કેમ ચાલે ! 
 અનંત મૌન છે અનંત ઉદાસ છે તો આપણે તેને સમજાવવો પડશે.! 
આપણે જ ઉદાસ અનંતને ફરી આનંદમાં લાવવો પડશે. 
એ આનંદમાં રહેશે તોજ આપણે 
પણ ખુશ રહી શકીશું તું સમજતો કેમ નથી..! 
અજ્ઞાની 
ગુસ્સે થઈ ગયો... 
એના ગુસ્સામાં કારમી વેદના હતી. 
તારી વાત સાચી છે યાર માફ કરજે દોસ્ત 
હું તારા વ્યવહારને ગલત સમજી બેઠો. 
અજ્ઞાની હળવેકથી નિશ્વાસ સહ બોલ્યો. 
ખૈર ...
મે પુછ્યું. બોલ અજ્ઞાની પૂરી હકીકત શું છે.. ? 
અજ્ઞાનીએ કહ્યું. 
પરીયા હકીકત એ છે કે અનંત કહે છે કે, 
એના કારણે પહેલા પણ કોઈ 
કલાકારની  કલા રૂંધાઈ છે. 
અને આ પણ હકીકત છે કે, 
જ્યાં સુધી કોઈ વ્યક્તિ મુક્ત હોય છે-
 ત્યાં સુધી જ તે તેની મરજી મુજબના 
આકાશમાં ઊડી શકે છે. 
એક બાર જીવનમાં બંધન આવી જાય પછી  
ઉડવું પહેલા જેટલું આસાન નથી હોતું.
અજ્ઞાની અનંતની વાત કરે છે. 
હું મૌન રહી સાંભળું છું .
અનંત પણ મૌન છે. 
પરિયા આ સંસારના બંધનો  
કલાના જીવને ઉડતા રોકે છે ... 
ઘણી વાર તો કોઈ સમજદાર સાથી પોતાના જીવન સાથીને કે જે કલાનો જીવ હોય છે 
એને ઉડવાને આઝાદી  પણ આપે છે . 
તો પણ સંસારના અન્ય બંધન અને  એ સાથીની જવાબદારી એને ઉડવા નથી દેતી. 
આ સંસારમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. 
એક સમજદાર છે જે પોતાના  
શોખ અને કલાને  ત્યાગીને સંસારમાં સમાધાન કરીને જીવન બસર કરી નાખે છે,અને બીજા એવા લોકો પણ છે, જે 
તે માત્ર ને માત્ર પોતાનોજ વિચાર કરે છે. 
અને પોતાના અધૂરા ઓરતા પૂરા કરવા અન્ય જવાબદારીથી દૂર થઈ ને સંસારમાં અશાંતિ પેદા કરે છે. 
આ સંસારમાં એકવાર બંધાયા પછી બંડ પોકારી  
જ્યારે કોઈ ઉડવા મથે છે. 
ત્યારે  સંસારમાં સરવાળે કઈ બચતું નથી. 
 અને વધારામાં જીવનમાંથી સુખ શાંતિની 
બાદબાકી થઈ જાય છે  !  
પરિયા  આ સંસારમાં  એવા જીવન સાથી ખૂબ ઓછા છે જે એક બીજાને સંપૂર્ણ સમજી શકતા હોય . 
બન્ને ના શોખ રસ રુચિ એક સરખા હોય, 
એવા ભાગ્ય શાળી બહુ ઓછા હોય છે. 
જેને જેને પોતાને અનુરૂપ એવા જીવન સાથી 
નથી મળતા એ લોકો પછીથી , 
યાતો સમજદારી પૂર્વક જે છે તે સ્વીકારી લ્યે છે , 
અથવા એવો રાહ પસંદ કરે છે, 
જે કોઈને અડચણ રૂપ ના હોય ... 
છતાં પોતાને અને અન્યને પણ આનંદમાં રાખી શકે ... 
ઘણા એવા શોખ ઘણી એવી સાધના હોય છે...
 જેના માટે  આકાશ તરફ ઊડવાને  
બહાર નથી જવું પડતું. 
મગર એના થકી ઘરમાં રહીને પણ 
આકાશથીયે ઊંચે જઈ શકાય છે ... 
ઉડીને આકાશની ની પેલે પાર જઈ શકાય છે... 
પોતાની સાથે સાથે અન્યને પણ 
એ દિશામાં લઈ જઈ શકાય છે .. 
જો એની સાથે એ રસ્તે ચાલવાની કોઇની  તૈયારી હોય,
આ એક એવો રસ્તો છે પરિયા કે, 
સંસારમાં રહીને પણ ઘરનાં એક ખૂણામાં બેસીને પણ .. 
ઊંચે આકાશમાં ઉડી શકાય છે,
અને ખુદને આનંદમાં રાખી શકાય છે.! 
અજ્ઞાનિની આ વાત સાંભળીને 
મારી ભીતર પ્રશ્ન ઉઠ્યો.! 
એટલે મે અજ્ઞાનીને પૂછ્યું. 
શું ખરેખર એવો કોઈ મારગ છે ? 
કે એ રસ્તે ચાલીને માણસ ખુદને 
અને અન્યને પણ આનંદમાં રાખી શકે ?  
અજ્ઞાનીએ  દ્રઢતા પૂર્વક કહું . 

"હા..!" છે...! 
પરિયા ચોક્કસ એવો મારગ છે. 
પણ ! એ મારગ પર ચાલવું, 
જેવા તેવાનું કાચા પોચાનું કામ નથી.! 
એ મારગ ખૂબ કઠિન છે પરિયા ખૂબ કઠિન !  
પણ જો એક વાર ચાલવાનું શરૂ થઈ જાય તો ... 
પછી એ રાહમાં આવતા કાંટા કાંકરા 
દૂ:ખ પીડા કાઇજ અસર નથી કરતાં.! 
આ વાત કરતાં કરતાં અજ્ઞાની જાણે કોઈ ત્રીજી દુનિયામાં ચાલ્યો ગયો હોય એમ લાગ્યું ..  
એ ભાવાવેશમાં જ એ બોલ્યો .... 
&&&
એ મારગ એવો છે પરિયા જ્યાં હર હાલમાં આનંદ બસ આનંદ પરમ ચરમ અખંડ અનંત છે અખંડ આનંદ... 
અજ્ઞાનિની વાત સાંભળી હું અવાક થઈ ગયો....
 હું વિચારમાં ગરકાવ થઈ ગયો ... 
અજ્ઞાની પણ મૌન છે. 
અનંત પણ ચૂપ છે.
ખંડરમાં કઈક અલૌકિક શાંતિ છવાઈ ગઈ... 
થોડીવાર એમજ ખામોશ પસાર થઈ ગઈ .... 
તારે પાણી પીવું છે ? 
મને તરસ લાગતાં પાણીનો ગ્લાસ ભરતા ભરતા મે અજ્ઞાની ને પૂછ્યું. 
હાં, થોડું પા, 
અનંત તને પાણી આપું..? 
અજ્ઞાનીને પાણી આપતા આપતા 
મે અનંત ને પણ પૂછ્યું. 
હાં ..! 
એ બંને ને પાણી આપી મે પણ પીધું. 
અને પછી..? 
ખામોશી  તોડતા મે અજ્ઞાનીને 
અનંતની વાત આગળ વધારવા કહ્યું . 
હાં, તો  સાંભળ પ્રિયા. 
અનંતને એવું સમજાવવા લાગ્યું કે, 
એના કારણે એ જેને ચાહે છે તેની, 
અધ્યાત્મીક ગતિ પ્રગતિ મંદ પડે છે. 
અનંત અલૌકિક દુનિયાની એ યાત્રીને 
અડચણ રૂપ બની રહ્યો છે તેવુ 
અનંતને મહેસુસ થાય છે.
આ પહેલા પણ તે એક ભૂલ કરી ચૂક્યો છે .
અનંતે એવું પણ કબૂલ્યું છે કે, 
મેં એને પહેલાં પણ ખૂબ પરેશાન કરી છે ... 
એટલી હદે પરેશાન કરી છે કે પેલી જે પહેલા મારા માટે 
સતત આશીર્વાદ અને પ્રાર્થના કરતી હતી તે હવે બદદુઆ દેવા લાગી છે.! 
@@@@@@

રેવાદે ને પરિયા શું કહું તને ખૂબ સમજાવ્યો છે મે આને 
મે એમ પણ કહ્યું જો તને એવું લાગતું હોય  કે તે ભૂલ કરી છે તો માફી માંગી લે ..! 
તો એમાં પણ આ ભાઈ બહાદુરી કરે છે કે, 
ભૂલ થઈ તો થઈ 
હવે સજાની બીકે હું માફી નૈ માંગુ.! 
વધારામાં આ ભૈ એમ પણ કહે છે કે, 
ના તો હું મારી ભૂલોની માફી માંગુ છું.! 
ના તો મારા ગુનેગારોને માફી આપું છું.!
હવે તુંજ કે' પરીયા... 
 આનો કોઈ ઈલાજ ખરો... ? 
મે કહ્યું હાં.! 
અજ્ઞાની એ પુછ્યું શું.? 

મે કહ્યું સમય... 
મે અનંતને આ પણ સમજાવ્યું કે ભઇલા.. 
  
જે  આકાશ માર્ગે આનંદ સભર ગમન કરવા ઇચ્છતું હોય .... 

એને ધરતી પરના બધા સુખ તુચ્છ લાગે છે...   

અને આપણાં આવડા આ ભાયબંધને ધરતી પર જ સ્વર્ગ દેખાય છે ... 

એ એવું જ માને છે કે જો જીવનમાં એક સમજદાર સંપૂર્ણ સમર્પણ ભાવના સભર 

જીવન સાથી  યા તો કોઈ સહ યાત્રી મળી જાય તો  સ્વર્ગ આ ધરતી પર જ ઉતરી જાય ... 

પણ એવું રૂડું ભાગ્ય તો આપણાં ત્રણેયમાથી એકેયનું  નથી જ ..! 

એ વાત હું અને તું પણ જાણે જ છે, સમજે જ છે,  પણ આ અનંત છે કે માનવા તૈયાર નથી .... 

પેલી એને આકાશ માર્ગે ઉડાડવા ચાહે છે .. 
અને આ ભાઇ એને ધરતી તરફ ખેંચે છે...

બોલ હવે તુજ બોલ પરિયા આ સંબંધ શક્ય છે ખરો.... ?  

ના !

બસ,  હું અનંત ને એજ કહું છું જોકે એ મારા ચિંધેલા માર્ગે જ ચાલ્યો છે .. 

પણ આજે પાછો એ વાતને લઈને જ ઉદાસ થઈ રહ્યો છે મનમાં ને મનમાં મુંજાઈ રહ્યો છે..! 

એ તો બધુ સમજ્યા અજ્ઞાની પણ અનંતે  પેલી વિષે કશું કહ્યું ? 

કે એ શું ઈચ્છે છે ..! 

હાં એ તો મે પહલા જ પૂછી લીધું ... 

મે પ્રથમ તો એજ પૂછ્યું કે તને એના પ્રત્યે જેવી લાગણી ને પ્રેમ છે -

શું એને પણ તારા પ્રત્યે એવો જ પ્રેમ અને લાગણી છે .. ?  

તો, એ શું કહે છે ? 

આ પ્રશ્નના જવાબમાં એ , ના સમજાય એવિ એક્જ વાત વારે વારે  રટ્યા કરે છે .. 

કઈ...? 

એજ કે... 

"પૈગંબરમાં ખુદાની સહી નથી હોતી . "

મે આશ્ચર્ય સહ પૂછ્યું ,

એટલે શું..? 

એજ તો મને નથી સમજાતું . 

મે એને ઘણું કહ્યું તું કહેવા શું ચાહે છે મને સમજાવ તો ખબર પડે... 

પણ એ કહે છે એ તને નૈ સમજાય .... 

એક કામ કર પરિયા એકવાર તું પણ પૂછી જો ,

કદાચ તને કહે, અથવા જે કહે એમાં તને કઈ સમજાય તો, 

મે અનંતને પૂછ્યું  અલ્યા એ... શું તારી એ પેલી  જે છે એ પણ તને તારી માફક... 

હું આગળ કશું પૂછું એ પહેલા જ એણે એજ રટણ કર્યું.. 

"પૈગંબરમાં ખુદાની સહી નથી હોતી . " બસ...! 

હું ગુસ્સે થઈ ગયો , મે કહ્યું  અલ્યા સહી ના હોય તો કાય નૈ ... 

પણ તું શું કહેવા માંગે છે એ તો સમજાવ ... 

 મો ફુલાવી એ બોલ્યો ... 

ઇ તમને કોઈને નૈ સમજાય તમે તમારું કામ કરો... 

હું અજ્ઞાની સામે અજ્ઞાની મારી સામે જોવા લાગ્યો... 

મે અજ્ઞાનીને કહ્યું આનો ઉકેલ સમય જ આપી શકે .... 

આ વાક્ય ઉકેલવાનું તારું કે મારૂ કામ નૈ ... 

ચાલ સમય પર છોડી દૈ... 

અજ્ઞાની કહે હાં બીજું તો શું થાય છૂટકો જ નથી... 

પછી એણે કહ્યું  પરિયા...  

"અજ્ઞાની" છેક સુધી એ નથી સમજાતું કે.. 
હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત . 

"અજ્ઞાની" 

અજ્ઞાનીના આ શબ્દો મે નોંધી લીધા ... 

અનંતે ગુસ્સે થઈને કહ્યું જે થાય તે ચૂકતે થાય કે ચડત ... 

મને કાય ફેર નથી પડતો..... 

 આમેય હિસાબ પૂરા થઈ જાય એના કરતાં અધૂરા રહે એ વધુ સારું.. 

પાછું આ ધરતી પર આવવા તો મળે .. 

અત્યાર સુધી ચૂપ બેઠેલા અનંતમાં કોણ જાણે  ક્યાથી પાવર આવ્યો ....

અચાનક શું ચાનક ચડી તે ધાણી ફૂટ બોલવા લાગ્યો ... 

મે કહ્યું અક્કલ વગરના લોકો મોક્ષ માટે  તરફડે છે .

જાત જાતના ખેલ કરે છે ને તું...! 

એ એ લોકોની મરજીની વાત છે .... 

મારે મારી મરજીથી મતલબ લોકો શું કરે છે શું કામ કરે છે બધી મને ખબર છે સમજ્યો ...! 

લ્યા મૂંગો રે... અડધી રાતે ઊંચા સૂરમાં બોલમાં કોક મારશે... 

થોડી વાર પહેલા જેને બોલવા મજબૂર કરવો પડતો હતો ... 

એ અનંતને  હવે ચૂપ રહેવાનું મારે કહેવું પડ્યું ...   



પછી અજ્ઞાનીએ  અનંતને સમજાવતા કહ્યું ... 


જો હિસાબ સમજાય તો સંસય દૂર થઈ જાય. 
અને આ જીવન આનંદથી ભરપૂર થઈ જાય.

તમે ખૂબ ચાહો તો  પણ કોઈ પાસે ના આવે 
'ને તમે ના ચાહો તો પણ કોઈ દૂર થઈ જાય. 

આખરે બધુ ભીતરની ઈચ્છા પર નિર્ભર હોય છે . 
ઈચ્છા જો દ્રઢ હોય તો મિલન જરૂર થઈ જાય.   

એજ તો ખૂબી છે જીવનની અચાનક કોઈ આવે -
નજીક, અને અચાનક જ એ ખૂબ દૂર થઈ જાય .

આટલું કહી પોતાની વાતમાં બખૂબી  અનંતનું નામ ઉમેરી -

અનંતને સમજાવતા કહ્યું ...   

"અનંત" કદિ કોઈને એ હદે પરેશાન ના કરજે  
કે પ્રાર્થના કરનાર શ્રાપ દેવા મજબૂર થઈ જાય . 

"અનંત"
@@@@@@@@@@@@@@@@@@@@

અજ્ઞાનિની વાતના અંતે  ખૂબ સમજાવટના અંતે ... 

અનંત બોલ્યો ... 

"અનંત"સમજી સમજીને  સમજના અંતે મને -
એટલું  સમજાયું કે, કશું જ સમજવાનું ન  હતું .

"અનંત"

હું એ છું જે નથી . 
હું જે છું એ નથી. 

"અનંત"

હું કઈ સમજી ના શક્યો કે એ શું કહેવા માંગે છે અંતે થાકીને મે એ લોકોની રજા લીધી ... 

અનંત ને કહ્યું  ઓલું પછી કેજે હો પેયગંબર વાળું ... 

જા..! જા..! હવે ઘેર જઈને સૂઈજા આવતા ભવે સમજાવીશ... 

હું કંબલ બરાબર ઓઢી સુમસાન ગલી પસાર કરી ઘર ભણી ચાલ્યો...    
*બ્લાસ્ટ* 
દુ:ખ ની વાતો કરવામાં પણ "અનંત" 
અલૌકિક સુખ મળતુ હોય છે. 
એમાં પણ જો સાંભળ,નાર 
કોઈ નારી યાને સ્ત્રી હોય, 
તો દુ:ખ ની વાતો કરતા કરતા 
સુખ બેવડાતુ જાય છે. 
"અનંત" 
હાં હું સ્વર્ગ માં એની સાથે વાતો કરૂ છું. "અનંત" 
એ મારી સાથે વાતો કરે ત્યારે સ્વર્ગ જેવુ લાગે છે. 
"અનંત" 

કાલ્પનિક સત્ય એટલે એવુ સત્ય 
જેના યુવાન યુવતીઓ સપના જુએ છે.! 
અર્થાત્ 
ફીલ્મો મા બે પ્રેમી જેવુ સુંદર જીવન જીવતા હોય છે. 
તેવુ જીવન જીવવાની હરેક યુવક યુવતીઓ કલ્પના કરે છે. 
મગર વાસ્તવમાં જેવુ ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે, 
એવુ પ્રેમાળ જીવન તો એ ફીલ્મી પ્રેમીઓ પણ નથી જીવતા અને ના તો વાસ્તવમાં ફિલ્મી કલ્પના કરનાર 
યુવક યુવતીઓ જીવે છે. 
મગર 
જેવું ફીલ્મો માં લોકો જુવે છે.
અનંત વાસ્તવમાં એવુંજ જીવન જીવી છે.! 
અર્થાત્ જીવી ગયો.! 
એટલે જ કાલ્પનિક સત્ય 
એવુ શીર્ષક અનંતે પોતાની આત્મકથા ને આપ્યું છે. 
*બ્લાસ્ટ*
એટલે પછી મેં ભાઈબંધ અનંત ને કહ્યું, પુછ્યું. 
યાર્ર આ દુનિયા નાં લોકો ફીલ્મો બતાવે છે એવી કલ્પના ને હકિકત માં જીવવા મથામણ કરે છે અને એક તું છે કે દુનિયા ના લોકો જે જીવન જીવવા ઝંખે છે એવું જીવન તું આ મહોલ્લાની ભીતર જીવે છે તેમ છતાં અંત માં એને કલ્પના મા ખપાવી નાખે છે એનું કારણ શું.?
અનંતે કહ્યું,,, 
ક્રમશઃ 








No comments:

Post a Comment