Monday, 22 December 2014

અજ્ઞાની ની અવળી વાણી માથિ...




ડુપ્લિકેટ.....:)

બ્લાસ્ટ  :- :) :) :) 

:) વત્સ... સોરી , વત્સિની.. ખુલાસો  > ( વત્સ પુલિંગ વત્સિની સ્ત્રી લિંગ..)< ખુલાસો પૂરો... :) 

હાં તો... વત્સિની જી તમારા સઘળા પ્રશ્નો મે બરાબર ધ્યાનથી વાંચ્યા છે ...

મજાક>> ( હુય માણસ ભેરો રહી રહી ને માણસ જેવો બેરો ને નકટો થઈ ગયો છું.) <<મજાક પૂરી...:) 

હાં તો... વત્સિની જી તમારા સઘળા પ્રશ્નો મે બરાબર ધ્યાનથી વાંચ્યા છે ...!

મસ્ત છે, તમારું ને લોકોનું રંજન થઈ શકે,  

'ને બધા ભેગા મળી ભીડ ભંજન થઈ શકે, એવા મજાનાં છે . 

પણ... !  આમાનો એક પણ પ્રશ્ન નવો નથી...! 

હજુ ઘણા નવા પ્રશ્નો ઉઠશે અને ચોક્કસ ઉઠશે ... 

પણ ખ્યાલ રહે ! વત્સિની જી કે....    

આવા બધા અઘરા , સરળ સવાલોના જવાબ બહારથી ક્યારેય નહીં મળે...


બહાર શોધવા જશો તો વધુ ગૂંચવાશો .... 

કેમકે જે પ્રશ્નોનાં જવાબ હું નથી આપી શકતો...  

એ તમને પામર લોકો પાસે કેમના મળશે ક્યો ..:) 

માટે હે દેવીજી મારુ માનો તો ભીતર શોધ આદરો...  

કદાચ જવાબ મળી જાય .... 

અને ના મળે તોય શું ફર્ક પડે છે...! 

એમ તો મનેય ઘણા પ્રશ્નો થાય છે માણસ વિષે બોલો ...:) 

પણ મે કોઈ દાડો તમને કોઈને પ્રશ્ન કર્યા ... ? :)

અને તમે કર્યા તો ભલેને કર્યા ... :)

આ સવાલો , જવાબો, 

જવાબમાં ફરી ઉઠતાં સવાલો , 

ફરી એ સવાલોના જવાબો , 

ફરી નવા સવાલો , ફરી નવા જવાબો... 

નવા રૂપે  જૂના , જૂના રૂપે નવા સવાલો ...

બસ સવાલ કરવાની અને જવાબ દેવાની રીત માત્ર બદલાશે .... 

આ ફરી ફરીને  નવી રીતે પૂછાતા એજ જૂના સવાલો ... 

અને ફરી ફરીને એજ જૂની રીતે અપાશે નવા નવા  જવાબો... 

આ આવાગમનની યુગોથી નિરંતર ચાલતી પ્રક્રિયા છે ... 

અને એ આમજ નિરંતર ચાલ્યા કરશે જીવન જ્યાં સુધી અટકશે નહીં.. ! 

અને જીવન પણ ક્યારેય અટકવાનું નથી જ એ નિશ્ચિત છે ... 

એના પુરાવા રૂપે આપણે સૌ છીયે જ ને... 

અગર જીવન અટકવાનું હોત તો ક્યારનું અટકી ગયું હોત,  

એવું થયું હોત તો  આપણે ના હોત ને ...! 

અને આપણે પણ જ્યારે જીવથી જઈશું ત્યારે પાછળ કોઈ જીવન મૂકીને જ જઈશું ને...!  
    
બાકી બધુ હિશાબ છે,  હિશાબ મુજબ ચાલે છે ...! 

કોઈ ગુનાહ માફ નહીં થાય...  
હિશાબમાં બાદ નહીં થાય... 

આ અખિલ બ્રહમાંડમાં હું  પણ હિશાબનો જ એક હિસ્સો છું ... 
"અજ્ઞાની" લોક મુખે યુગોથી ચર્ચાતો હું માત્ર એક કિસ્સો છું...

માટે હે  દેવીજી મને ક્ષમા કરો.... 

હું તમારી જ માફક સમયના બંધનમાં જકડાયેલો છું ...

હાં ...! હું પણ તમારીજ માફક હિશાબમાં બંધાયેલો છું... 

માટે સમયની રાહ જુવો એ આવશે ત્યારે તમને મને બધાને,,,  

આ રોજ ઉઠતાં પીડા દાયક પ્રશ્નોના જવાબ જરૂર આપશે .... 

અને સમય આવ્યે સઘળી પીડામાથી મુક્તિ પણ આપશે ....( મૃત્યુ..) .:)

હાસ્તો... :)

તમે આવા બધા સવાલોથી અકળાયેલા હો અને કદાચ એમાથી તમને મુક્ત કરવા-

સમય ના પણ આવે તો શું થયું ! 

એ નહીં આવે તો મૃત્યુ તો ચોક્કસ આવશે જ ... :) 

એ બધાને બધી જ પીડા અને પ્રશ્નોમાથી છોડાવશે એમાં શું હે ! ..:) 

પણ દેવી જી યાદ રહે ! 

જન્મ અને મૃત્યુ પણ સમય પહેલા નથી આવતા... 

અર્થાત :-  

"અજ્ઞાની" માનવ જન્મ સમય પહેલા નથી જ થતો ...
 અને મૃત્યુ ..! હાં મૃત્યુ પણ સમય આવ્યે જ થાય છે... 

લો, એ પણ સમયના ગુલામ નીકળ્યા હવે... ? ? ? :)    

ડુપ્લિકેટ.....:)

બ્લાસ્ટ  :- :) :) :) 

  
બોલ! પુરુષોતમ દાસ કી..... 

જય.....  જોરથી બોલવું ફરજિયાત નથી....! 

મનમાં બોલોશો  તો પણ  મને સંભળાશે ... 

અને,  નહીં બોલો તો પણ ... :)  :) :)  

“अज्ञानी”
 इबादत तेरी खाली लौट ना आये तो क्या करे बेचारी

तू उसे भेजता है वहा जहा खुदा नहीं रहेता...

बच्चे तू खुदाको ऊपर आशमानमे ढूंढता है ...

जबकि खुदा तेरे खुदमे भीतर ही रहेता है...

"अज्ञानी" 

No comments:

Post a Comment