Tuesday, 13 March 2018

બેડ રૂમ

જે જગ્યા જાતને ઠરવાની અને જોડીદારને ઠારવાની છે . 

અર્થાત ... 

જે જગ્યા ઠારવા ઠરવાની છે  તે જગ્યા જ ..!

ઘણા પરણેલાઓના જીવનમાં આગ લગાડતી હોય છે .! 

એમાં વાંક એ જગ્યાનો હરગિઝ નથી  ..!

પણ હાં એ જગ્યા , પોતાનું  અંગ્રેજી નામ અકલે કે ,

અંગ્રેજોએ આપેલું નામ સાર્થક કરે છે ..! 

જી હાં એ જગ્યાને અગ્રેજોએ નામ આપ્યું છે ,

"બેડ રૂમ" 

અકલે કે એના મૂળ અર્થમાં એને સુવાની જગ્યા કહેવાય છે ..!

અને સુવા માટે બે જણા સાથેજ હોય એ જરૂરી નથી જ્યાં સુધી કુંવારા હોય, 

લગ્ન પછી ફરજિયાત છે..! 

એક પથારી પર સાથે સૂવું .

સૂતા પછી ની પ્રક્રિયા પ્રાકૃતિક છે ..! 

પણ ..! 

પ્રેમથી અને સંમતિથી  બન્ને ના મૂડ ને આધીન ..! 

અર્થાત ફરજિયાત નથી બલ્કે એક બીજાની ફરજ છે કે , 

બન્ને એક બીજાને  પરમ સુખ આપે..!
મન અને તનને ચરમ સુખ આપે..! 

અરસ પરસ સમજ સમેત છોડી શરમ માંગે .!  
તોજ બન્ને "અનંત' સુખ પામે ..! 

ખૈર ... 

એવું નથી થતું તેથી આવું થાય છે ..!  

"બેડ રૂમ" 

એ જગ્યા જ્યાં એક સ્ત્રી અને એક પુરુષનું શરીર કોઈ પણ જાતના સંકોચ વગર ... 

કોઈ પણ સ્થ્તિમાં સાથે સૂઈ શકે છે ..! 

કોઈ પણ સ્થ્તિતી અર્થાત ... 

કપડે સમેત યા કપડે બગૈર...  

જો કે આપણી સંસ્કૃતિ  એને  સાચા અર્થમાં સાચા નામથી નવાજે છે ..! 

આપણી ભાષામાં એ જગ્યાને અકલે કે બેડ રૂમને 

સુંદર નામે   "શયન કક્ષ "કહેવાય છે ..! 

જોકે ખાલી "શયન કક્ષ " 

બોલવાથી  નામમાં , શબ્દોમાં કે પછી એ જગ્યામાં જીવ નથી આવતો . 

એ નામ , એ શબ્દ એ જગ્યાને જીવંત કરવા ... 

એક વધુ શબ્દ ઉમેરવો પડે , તો એ જગ્યા જીવંત થઈ જાય ... 

 ચાલો હવે તમે નહીં તો હું 

એ શબ્દ ઉમેરીને એ જગ્યાને જીવંત યાની જીવતી કરું છું ..! 

" સહ શયન કક્ષ " 

અહી માત્ર નામ જુદું છે જગ્યા તો એજ અગ્રેજી નામ વાળીજ છે ..! 

બસ ફર્ક એટલોજ છે કે હવે એ જગ્યા જીવંત થઈ ગઈ છે નામ પ્રમાણે .... 

અને પેલી મ્રુત હતી બેડ હતી એના નામ પ્રમાણે ,,,, 

શયન કક્ષ માં સાથે સૂતા  બે અલગ આકારના શરીર.... 

એની અલગતાને કારણેજ આકર્શિત થતાં હોય છે ..! 

અને એટલેજ એક સાથે સૂતા હોય છે ... 

હાં કોઈ કોઈ આપણી સમજ આપણી દ્રષ્ટિ મુજબ એબ નોર્મલ 

અકલે  કે કઈક ખામી  યુક્ત ... 

જોકે એ પણ આમ તો  જોકે એ  પોતાનામાં એક અલગજ ખૂબી થી ભરેલા હોય છે ..! 

આપણો સમાજ, આપણી સમજ અને આપણી દ્રષ્ટિ થી પર 

એ પણ પ્રાકૃતિક જ હોય છે આમ તો જો કે , 

અકલેજ આપણને એ સમજાતું નથી ..! 

ખૈર ... એ એક અલગ ચર્ચાનો વિષય છે .. !

તો એવા એબ નોર્મલ જે હોય "આપણી સમજ દ્રષ્ટિ મુજબ .."  

તેવા સ્ત્રી સ્ત્રી અને પુરુષ પુરુષ સિવાય ... 

સહ શયન કક્ષમાં એક સ્ત્રી અને એક પુરુષ જ સાથે શયન કે પછી 

શયન સહ સમાગમ કરતાં હોય છે ..! 

પ્રકૃતિ ને આધીન ..! 

પણ મોટા ભાગના સહ શયન કક્ષ લગ્ન બાદ 

કોઈના વહેલા તો કોઈના મોડા 

" બેડ રૂમમાં" તદબીલ થઈ જતાં હોય છે " 

કેમકે ઠરવા ઠારવાની એ જગ્યા માં બંને શરીર સળગે છે ..! 
લડે છે ,ઝગડે છે ,અને જીવન ને માત્ર ને માત્ર ઢસડે છે ..!  











અને પછી પ્રેમ સિવાયની .... 

યાતો એમ પણ કહી શકાય કે,

 પ્રેમ વિનાની આગમાં સળગતા સળગતા સળંગ રાતો ગુજારતા થઈ જાય છે ... ! 

આવું શું કામ થાય છે ..?

ક્યારે થાય છે ..!? 

આવું ત્યારે થાય છે , જ્યારે સહ શયન કક્ષમાં 

 માત્ર શરીર સાથે સુવા લાગે છે ..! 

ખૈર .... 

આવી બધી વાતો પણ વર્ષો પહેલા અમે ત્રણેય ભાઈબંધો ...  
અધરાતે મધરાતે ખંડેરમાં ચાયની ચૂસ્કી ભરતા ભરતા કરતાં.... 



બ્લાસ્ટ :- 

એ લોકો ને જીવનમાં શું ખૂટતું હતું આખરે...?

 જેમણે આત્મ હત્યા કરી આયખું ટૂંકાવી નાખ્યું ...?

એ લોકો પાસે રૂપ હતું યૌવન હતું અઢળક ધન દોલત હતો 

અસિમ વૈભવ હતો તેમ છતાં ..!

એ જેને ચાહે તેને પામી શકે તેમ  હતી/હતા છતાં ..!!!?

ખૈર વર્ષો પહેલા જે નહોતું કહ્યું તે આજે  હું કહી દઉં એ ,

જે ભાઈબંધે વર્ષો પહેલા ચાયની ચૂસ્કી ભરતા ભરતા કહ્યું હતું  ... 


ઉન લોગો સે ગિન્તી ઉલ્ટી હો ગઈ ... 

સેક્સ  જે સાવ છેલ્લે આવે છે .! 

પ્રેમ પણ ત્રીજા ક્રમે આવે .! 

જ્યારે... 

એક વહાલ ભરી "હુંફ"

 સૌથી  પહેલા ક્રમે આવે છે ..! 

જો કે ,ઉલ્ટી ગિન્તી મોટા ભાગે પુરુષો એ કરી એટલેજ .! 

એ અસહ્ય થતાં એણે મોતને વહાલું કર્યું.

 યાતો એમ પણ કહી શકાય કે,  

મોતને વહાલ કર્યું .

જ્યારે જીવતો જાગતો જાણ વહાલ ના કરી શક્યો એને ત્યારે ... 

એણે મોતને વહાલ કર્યું ... 

અપવાદ રૂપ પુરુષ પણ છેતરાયા માટે તેઓ પણ 

સાવ ઓછી ઉમરમાં ઊંઘી ગયા હમેશા માટે ઊંઘની ગોળી ખાઈને  ..! 

એક પ્રશ્ન જે ઘણાને થાય છે ! 

મને પણ વર્ષો પહેલા થયેલો ... 

કેમકે આવું બધુ કે  આવી બધી ઘટના યુગોથી બને છે બનતીજ રહે છે ..!  

એક નાની ઉમરની સ્ત્રી જ્યારે મોટી ઉમરના પુરુષ સાથે  લગ્ન કરે છે...! 

ત્યારે ... 

અને કોઈ કોઈ તો મોટી ઉમર સાથે સાથે પરણેલા પુરુષ સાથે પણ લગ્ન કરે છે ..!

અને ક્યારેક તો જેના બાળકો પણ પરણવા લાયક થઈ હોય ...

એવા મોટી ઉમરના પરુષ સાથેય.... 

 નાની ઉમરની કૂવારી છોકરી લગ્ન કરતી હોય છે..! 

અપવાદ રૂપ મોટી ઉમરની સ્ત્રી સાથે .... 

નાની ઉમરના કૂવારા પુરુષો એ લગ્ન કર્યા હોય એવા કિસ્સા પણ મોજૂદ છે ! 

પણ ત્યારે બે પ્રકારના લોકોને  મનમાં એકજ પ્રશ્ન ઊઠે કે ... 

સ્સાલ્લું એવું તે શું કે આવી સુંદર રૂપાળી ,કૂવારી, ધન દૌલત ,

નામ શોહરત વિલાસ વૈભવ બધી રીતે શક્ષમ  હોવા છતાં ..!

એક મોટી ઉમરના પરણેલા પુરુષ સાથે  એ છોકરી શા માટે લગ્ન કરતી હશે ..? 

( અમે શું મરી ગયા છીએ ) આવું પણ ઘણા મનોમન ત્યારે બોલતા હશે ..! 

જ્યારે  કોઈ કૂવારી છોકરી પરણેલા અને તેનાથી મોટી ઉમરના પુરુષને પરણે  ... 

ત્યારે... 

બે પ્રકારના લોકોને  મનમાં પ્રશ્ન ઊઠે છે  ...

પ્રકાર 1 જિજ્ઞાસા વત .

પ્રકાર બે 2 તમે લઈ ગ્યાં અમે રહી ગ્યાં . 

અને એક ત્રીજો વર્ગ પણ છે જે માત્ર ટીકાકાર અને ઈર્ષાળુ હશે ..!

જે વખાનો માર્યો કે મોકાનો માર્યો અકલેકે પોતાને મોકો ના મળ્યો હોય એવો વર્ગ .

બાકી જો એની સાથે કોઈ કૂવારી સંબંધ બાંધવા  આવે તો બધી ટીકા બંધ !

ખૈર ... 

પણ મોટી ઉમરના યા પરણેલા પુરુષ સાથે કૂવારી છોકરી શા માટે લગ્ન કરતી હશે ...?

આ સવાલનો જવાબ ભાઈબંધે વર્ષો પહેલા આપી દીધો હતો ... 

જે મે વચ્ચે સહ સ્વીકાર કહી દીધો છે..! 

જવાબ એજ છે કે ગિન્તી ઉલ્ટી કરી ..!

કોઈ પણ એક વ્યક્તિએ બહોળા પ્રમાણમાં પુરુષ ... 

હું હોવા છતાં..!  

યાતો પુરુષ હોવાના નાતેજ હું એ સ્વીકારીશ કે ,

ઉલ્ટી ગિન્તી ની શરૂઆત પુરુષ કરે છે ..!

જ્યારે સ્ત્રી કઈક જુદુજ ઝંખે છે ..! 

એ કદાચ સીધું ગણીત કરે છે અર્થાત સ્ત્રી 

પુરુષ પાસે વહાલ ભરી હુંફ ઝંખે છે ..! 

પહેલા નહીં તો પછી મળશે એ આશમાં એ પેલાની ઉલ્ટી ગિન્તી મુજબ 

પ્રથમ જ સર્વશ્વ સોપી દ્યે છે ..!  

બાકી લોકો કહે છે એ મુજબ સ્ત્રી પતી પાસે પિતાનો પ્રેમ કે પિતા તુલ્ય પ્રેમ

કે  વહાલ ઝંખતી હોય છે , 

 એટલે એ મોટી ઉમરના પુરુષ સાથે લગ્ન કરે છે .! 

એ વાતમાં કઈ માલ નથી માત્ર મંઘડત કલ્પના છે ..! 

વહાલ માત્ર પિતાજ કરી શકે કે પછી ,

વહાલ કરે એ પિતા તુલ્ય હોય એ મનને છેતરવાની વાત છે ..! 

પ્રેમ વહાલ હુંફ પતી તરીકે રહેલો પુરુષ પણ કરી શકે છે ..! 

અને સ્ત્રી માત્ર  પુરુષ પતી પાસે પતિપણાનું જ વહાલ પ્રેમ કે હુંફ ઝંખતી હોય છે..!

નહીં કે પિતા તુલ્ય... 

પુરુષની ઝંખના પણ એવિજ હોય છે ..! 

એવી અકલે સ્ત્રી જેવી ..! 

સ્ત્રી જેવી અકલે સ્ત્રી જેવી એમ નૈ... 

મને જે કેવું છે એ કેતા નથી આવડતું.... 

 પણ હું એમ કહેવા ચાહું છું કે ..!

પુરુષ પણ સ્ત્રી પાસે યાને પ્રેમિકા કે પત્ની પાસે,

  વ્હાલ સમેત પ્રેમ અને હુફ  ઝંખતો હોય છે ..!    

તમે સ્વીકારો ના સ્વીકારો એના સાથે , 

હવે, જે હયાત છે એને યાની કે,

 મારે કે પછી,

 જે હયાત નથી એવા મારા ભાઈબંધોને કાય ફર્ક પડતો નથી...!   

બ્લાસ્ટ :-

આ રીતે ગૂઢાર્થમાં પણ ભાઈબંધ અનંતે વર્ષો પહેલા એજ સત્ય ઉજાગર કરેલું . 

વર્ષો પહેલા એક રાત્રે જ્યારે અમે રાબેતા મળ્યા ત્યારે...  
મારાથી એકવાર ભૂલ ભૂલમાં ભૂલથી બોલાઈ ગયું કે , 

યાર સ્ત્રીને સમજવી બૌ અઘરી હોં ..! 

ત્યારે અનંતે વ્યંગ કરતાં કહ્યું . 

પરીયા ક્યાં વાંચીને આવ્યો તું આવું..? 

મે કહ્યું . 

અનંત મે વાંચ્યું તો નથી પણ લોકો એવું કહેતા હોય છે . 

અચ્છા તો તું પણ આખરે એવા લોકોએ વાંચેલું વંચાય વંચાય ને ચવાય ગયેલું

અને પછી જાણે પોતેજ લખ્યું હોય એમ બોલાયેલુંજ  

મારી સામે બોલીશ ..? અનંત મારા પર ગુસ્સે થયો . 

મે કહ્યું . અનંત હું શું કરું લોકો તો એમ પણ કહે છે કે ,

સ્ત્રીને બનાવનાર ઈશ્વર પણ બનાવ્યા પછી સ્ત્રીને સમજી નથી શક્યો . 

હવે આટલું સાંભળ્યા પછી હું બીજું શું બોલું . 

જો કે મને તો કાય બીજું બોલતા આવડતું પણ નહીં . 

પણ અનંત કઈક બોલે દુનિયાથી અલગ એમ વિચારીને મે કહ્યું 

અનંત તો તું શું માને છે ..! 

ત્યારે અનંત બોલ્યો ... 

હાં પરીયા એ હકીકત છે કે સ્ત્રી એક પહેલી છે ..! 

એટલેજ .! 

મને બ્રહ્માણ્ડના દર્શન થાય છે સ્ત્રી માત્રમાં... 
મને તો સ્ત્રી મસ્ત મજાની પહેલી લાગે છે..!

મતલબ ને બાજુ પર મૂકીને  જો સમજવા ચાહો,
"અનંત"  તો સ્ત્રીને સમજાવી સાવ સહેલી છે .!   

મારે ઉપરથી ગયું અકલે મે અનંત ને પૂછ્યું . અર્થાત ..? 

ત્યારે અનંતે ખુલાસો કરતાં કહ્યું . 

પરીયા પુરુષો સ્વાર્થી હોય છે , 
પુરુષ પાંખંડી હોય છે. 

એ પોતાની સ્ત્રીને નહીં સમજે , નહીં સમજી શકે..!

કારણ કે , સમજવી નથી હોતી  

પણ બીજાની સ્ત્રીને સમજવા દોડી જશે અને સમજી પણ શકશે .. 

મે કહ્યું એનું કારણ શું અનંત..? 

ત્યારે અનંતે સાવ ટૂંકમાં કહ્યું ... 

નવો સ્વાદ અને જૂનો  સ્વાર્થ... 

પછી હું ઊંઘી ગયો.... 


















Sunday, 22 December 2013


બસ આ પહેલો અને છેલ્લો પ્રયાસ ....


જી" Pravin Miyatra તે મોકલવેલ લેખ વાંચ્યો. 'ને મને લાવ થયું હું પણ જરા સંશોધન કરું.

 તું તો જાણે જ છે કે હું લખું છું પણ હું લખતો નથી પણ આજે મને થયું લાવ હું પણ જરા આંગળા અજમાવું 


મને નથી લાગતું કે વાત જામે .. ખેર ના જામે તો પણ મને ક્યાં ફર્ક પડે છે હે ..!


પ્રયાસ કરવામાં શું જાય છે .... 

હું કઈ પણ લખીશ "અનંત" કે અજ્ઞાની વચ્ચે આવ્યા વિના નહીં જ રહે તો ... 


તો કેમ હું પ્રથમ જ પ્રેમ થી એ બન્ને ના  થોડા વિચાર ના લઉં  બરાબરને ... ?   


તો અનંત એમ કહેતો કે આમ તો બધુ જ અરસ પરસ જ હોય છે ...

કોને કહ્યું  કે કાયમ ભમરા અને પતંગિયા જ ફૂલોનો રસ ચૂસવાને, ફૂલોની આસ પાસ ભમે છે.'? 

"અનંત" ફૂલો પણ પોતાની માદક માદક મહેક  દ્વારા  ભમરા અને પતંગિયાને આકર્ષતા હોય છે . 

આકર્ષણનો નિયમ બધે એક સરખોજ લાગુ પડે છે પ્રવીણ...   કેમકે એ પ્રાકૃતિક છે.  


જેને જિજ્ઞાસુ અને વેજ્ઞાનિકો સતત સમજવા મથતા રહે છે.


અને  ક્યારેક તો માત્ર  છાપા વહેંચવા પણ આવા તારણો છ્પાતા રહે છે. 

અને એ જે  કોઈ જે પણ કરે છે. જે થઈ રહ્યું છે. આખરે એ પણ પ્રકૃતિનો એક ભાગ જ છે.



હવે જોજે અહી પણ હું જે આગળ કહેવાનો છું તેમાં પણ એજ નિયમ લાગુ પડે છે. આકર્ષણ..... 

લોકોને આવા તારણો કારણો જાણવામાં રસ હોયજ છે. 


તેથી સમજદાર છાપા વાળાઓ એવા લેખો સંશોધનો છાપે છે કે.


 જેનાથી વાંચક તુરંત આકર્ષાઈ જાય .... 

મારૂ માનવું છે કે અગર પ્રકૃતિ અને પ્રકૃતિના  નિયમને  સમજી શકાય તો... 

બાકી બધુ સમજવું સાવ સરળ છે. 


પ્રકૃતિના નિયમોને મોટે ભાગે કલાના જીવ વધુ સમજી શકે છે. સ્વીકારી શકે છે. 


કલાકાર કોઈ પણ હોય  લેખક,  શાયર, સંગીતકાર  ચિત્રકાર, ફોટો ગ્રાફર કે પછી  ફિલ્મ મેકર હોય. 

આ બધા કલાકારો પ્રકૃતિ તેમજ પ્રકૃતિગત પોતાને થતી અનુભૂતીઓ અને એમાથી ઉઠતી સંવેદનાઓને 

પોતાની કળા દ્વારા આબેહૂબ રજૂ કરતાં હોય છે. જે કલાકારો જેટલા પ્રકૃતિમય બની પ્રકૃતિમાં ઊંડા ઉતરી 

પોતાનું સર્જન કરે એટલુ જ એમનું સર્જન ઊંડું અને આબેહૂબ રજૂ કરી શકે છે... 


સર્જકો માત્ર પોતાની જ નહીં બલ્કે તે  આમ લોકોની સંવેદના પણ સમજી શકતા હોય છે.


અને પોતાના સર્જનમાં એ આમ લોકોની પીડા વાણી લેતા હોય છે . 

 અને તેથી જ ઘણી વાર એવું બનતું હોય છે કે..

 કોઈ પ્રેમી શાયર પોતાની પ્રેમીકાને સંબોધીને કઈ કહેતો હોય છે .

 ત્યારે એની ભીતરથી એવા શબ્દો ફૂટે છે કે ..

પછીથી ઘણા પોતાની પ્રેયસીને એમના શબ્દો દ્વારા નવાજતા હોય છે...

 પોતાની લાગણી એ,  કોઈ લેખક કે શાયરના શબ્દો દ્વારા વ્યક્ત કરતાં હોય છે.    

કેમકે આવું બધુ એના જેવુ  લખતા બોલતા આમ લોકોને નથી આવડતું હોતું. 


પોતાની પત્ની કે પ્રેયસી અથવા પોતાનો પતિ કે પ્રેમી,


 તેની સાથે કેવો વહેવાર કરે તો ગમે,

 એ ખુદ સમજતા તો હોય છે પણ કહેતા નથી આવડતું હોતું. 

 તેથી લોચા મરાય છે , ને આગળ જતાં પસ્તાય  છે , છૂટા પડી જાય છે , 



અથવાતો સમાધાન કરી જીવન ભર રિબાય છે.. 



ઘણા સમજુ લોકો વિવિધ કલાકારોના 

શબ્દો , ગીત, સંગીત કે ચિત્રો દ્વારા પોતાની લાગણીઓ  

પોતાના પ્રિય પાત્ર સમક્ષ વ્યક્ત  કરતાં હોય છે ॰ 


કોઈએ જાણે પોતાના માટે જ એ  શબ્દો પ્રયોજ્ય હોય


 એવું એ લોકો અનુભવી શકે છે. સર્જકોનું સર્જન એટલુ ઊંડું હોય છે કે  

જોનાર સાંભળનાર વાંચનારને એમ થઈ જાય બસ હું આજ ઈચ્છતો હતો , 

અથવા  મારે આજ કહેવું હતું ,  હું આમજ કહેવા માંગતો હતો આવું આવું ઘણું બધુ. 


આમ આદમી જે નથી કરી શકતો. જે નથી કહી શકતો,

 એ બધુ કલાકાર સહજતાથી સમજી સમજાવી શકે છે.


"અજ્ઞાની" એ લખ્યું છે કે  કોઈ પણ કલાકાર,  કલાકાર એટલે કે સર્જક

જે  ઈશ્વર તેમજ પ્રકૃતિની બિલકુલ નજીક હોય છે, 

કેમકે એ પણ સર્જન હાર છે , 

અને કલકરો પણ કલા દ્વારા નીત નવું સર્જન કરતાં હોય છે.  

પ્રકૃતિને સમજવા માટે બારીક નજર સાચો દ્રષ્ટિ કોણ તેમજ,

પ્રકૃતિ સહજ સત્યને શ્વિકારવાની પણ તૈયારી જોઇયે. 


આખરે બધી જગ્યાએ એકજ સિધ્ધાંત એટલેકે આકર્ષણનો સિધ્ધાંત લાગુ પડે છે.


અને પુરુષ પુરૂષથી આકર્ષાય એવું તો કઈક ગરબડ હોય તોજ શક્ય છે .

અહી એ સ્પષ્ટતા જરૂરી છે કે 

પુરુષ પુરુષ સાથે મિત્રતા હોવી કે ગમવું એ જુદી વાત છે ..

અને સ્ત્રી સાથે આકર્ષણ હોવું એમાં બડો તફાવત છે.

અને આકર્ષણ એ જ એક માત્ર કારણ જ છે કે અહી અઢળક વસ્તી છે.

'ને વધતી જ જાય છે.

સ્ત્રી કે પુરુષ વચ્ચે કેવળ શારીરિક આકર્ષણ જ નથી હોતું . 

બીજું એથી પણ કઈક વિશેષ હોય છે. 

જેનું શબ્દોમાં વર્ણન કરવું કદાચ શક્ય નથી.

હા કઈક અજીબ કઈક વિશેષ તો છે જ એનો પુરાવો આપી શકું

અગર જો પુરુષ કે સ્ત્રીને કેવળ શારીરિક આકર્ષણ જ હોય .

અથવા  હોત તો એવા અસંખ્ય દાખલા મળી આવશે કે...

 એ બધુ મળતું હોવા છતાં. 

કોઈ સ્ત્રી કે પુરુષ પોતાના જીવનથી કે જીવન સાથીથી સંતુષ્ટ ના હોય.

(હાં મન મારીને કોઈ જીવન પસાર કરી નાખે એ વાત નોખી છે.)

આખરે એ પુરાવા આપવા મારે તને ફિલ્મી દુનિયાની સફર કરાવવી પડશે . 

કેમકે ત્યાંથી અસંખ્ય પુરાવા પ્રાપ્ત થઈ શકશે.

મહાન કલાકાર ગુરુદત . મીના કુમારી પરવીન બોબી . 

આ થઈ ફિલ્મી દુનિયાની મહાન હસ્તી એ સિવાય પણ અનેક હશે ..

પણ આ એવિ હસ્તીઓ છે કે 

જેમાથી કોઈએ શરાબ , કોઈએ ઘેનની દવા ખાઈને કે 

કોઈએ સાવ એકાંતમાં પાગલ અવસ્થામાં જીવન ટૂંકાવ્યું.છે 

આ કલાકારો ફિલ્મી દુનિયામાં આવીને નામ દામ ખૂબ કમાયા હોય છે .

 એ જે ચાહે તે ચપટી વગાડતા મળી શકે એ હદે તે દૌલત કમાયેલા હોય છે.

શું એમને ચાહે તો..! ચાહે તે જીસ્મ ના મળી શકે??? 

મળતા પણ હોય જ છે અને એ માણતા પણ હોય છે  તેમ છતાં.!

એ બધા કઈક અજીબ પીડા લઈને આ દુનિયા છોડી ગયા. 

 પુષ્કળ નામ દામ બધુ હોવા છતાં...!

 તેઓને કઈક અજીબ ભૂખ હતી...

 અજીબ તલપ હતી....

 અને એ જે ભૂખ જે તડપ હતી તે શારીરિક તો હરગિઝ નહોતી. 

તો શું હતી એ ભૂખ ? શાની હતી એ તડપ.???

આ વાતનો જવાબ પણ છે જ ...! 

પણ જવાબ આપી એ મસ્ત સવાલની લિજ્જત બગાડવી મને નહીં ગમે.

" હર એક સવાલ જવાબ સાથે જ જન્મતા હોય છે"

એવું પણ બને કે મારી ભીતર ઉઠેલા સવાલનો જવાબ તારી પાસે હોય કે 

તારી ભીતર ઉઠેલા સવાલનો જવાબ મારી પાસે પણ હોય શકે...

કે પછી આપણને બંનેને ઉઠતાં સવાલોનો જવાબ ક્યાક બીજેથી જ મળે .

આમાં પણ એક જવાબ છુપાયેલો જ છે. જો શોધતા આવડે....!

બધાની ભીતર એક સમજી શકાય. છતાં ના સમજી શકાય. 

ચંદ શબ્દોમાં જેને વર્ણવી ના શકાય. 

એવી  કાયમ અધૂરી અવ્યક્ત રહેતી.

અદભૂત અલૌકિક ઝંખના છુપાયેલી હોય છે.

આ એક એવિ ઝંખના છે. કે 

આ મૃત્યુ લોકના માનવી જેને યુગોથી, 

 જુદી જુદી રીતે વ્યક્ત કરવા પ્રયાસ કરે છે. 

ને તેમ છતાં સંપૂર્ણ પણે એ લાગણી કોઈ જ વ્યક્ત કરી શકતું નથી.

જ્યારે માનવીની ભીતર કોઈ ઝંખના નથી રહેતી તે સાવ નિર્જિવ સમાન થઈ જાય છે.

સંસાર છોડી સાધુ થવું એ પણ એક જાતની ઝંખના જ છે ... 

"ઝંખના વિનાનું જીવન પણ ક્યાં જીવન હોય છે. "?

માટે જ મને એમ પણ થાય છે કે. 

ઘણા પ્રશ્નો અનૂતર રહે એમાં જ એની મજા હોય છે .

 લિજ્જત હોય છે આનંદ હોય છે. મસ્તી હોય છે.

"નામ વગરના સંબધ જેવી "

અને હું એ અલૌકિક મસ્તીમાં જીવું મને એ ગમે.

અંતમાં અનંત લિખિત બ્લાસ્ટ :-


उम्रभर मिटती नहीं  "अनंत" ये दो भूख. 
ईक प्रेमकी इच्छा और दूजी प्रेमिकी हूंफ.

"अनंत"  



उम्रभर मिटती नहीं  "अनंत" ये दो भूख. 
ईक प्रेमकी इच्छा और दूजी प्रेमिकी हूंफ.

"अनंत"  



Monday, 30 July 2012


હર એક સવાલ જવાબ સાથે જ જન્મતા હોય છે..!








Pravin Miyatra  તે મોકલવેલ લેખ વાંચ્યો. 

'ને મને થયું કે , લાવ હું પણ જરા સંશોધન કરું. 

 તું તો જાણે જ છે કે હું લખું છું,પણ હું લખતો નથી.   

પણ કોણ જાણે કેમ ! 


 આજે મને થયું લાવ હું પણ જરા કલમ સિખે આંગળા અજમાવું . 

જોકે મને નથી લાગતું કે મને ફાવે ને વાત જામે ..! 

ખૈર ...  


ના જામે તો પણ મને ક્યાં કશો ફર્ક પડે છે . 

બસ મને મજા આવવી જોઇયે ..:)

અને મને જો મજા આવતી હોય તો મારુ પ્રયાસ કરવામાં શું જાય છે હે  .!

આમ ક્યારેક આવું કામ કરતાં મજા આવે છે. ને બસ હું મજા લઉં છું. તું પણ લે..!  
  
પણ હાં ! મારાથી કઈ પણ લખાશે  "અનંત" કે અજ્ઞાની તો વચ્ચે આવશે જ .!


એ આવ્યા વિના નહીં જ રહે તો ...  

તો પછી કેમ ના  હું પ્રથમ જ પ્રેમ થી એ બન્ને ના  થોડા વિચાર ના લઉં.  
  
તો અનંત એમ કહેતો કે ... 

આમ તો બધુ જ અરસ પરસ  હોય છે ... 

બેઉ તરફ એક સરખી જ તરસ હોય છે... 

એ નાદાન છે જે  માત્ર ભમરાને જ વગોવે છે. 

અરે..ભઈ ફૂલોને પણ ભમરામાં રસ હોય છે.   

ઈચ્છા આખરે ઈચ્છા જ હોય છે. હોય ફૂલની કે- 

ભમરાની . બન્નેમાં એક સરખી જ તડપ હોય છે.   

ભમરો ગમેતે ફૂલ પર નહીં ! ગમે ! તેજ ફૂલ પર મંડરાય છે.   

એવું નથી કે માત્ર ભમરો જ  મંડરાય  છે ફૂલની આસપાસ.। 

અમસ્તા કઈ ભમરા નથી જ મંડરાતા મનગમતા ફૂલ પર .

ફૂલો પણ પ્રસરાવતા હોય છે , ભીની ભીની માદક સુવાસ.  

જેટલી ભમરાને ફૂલોની જરૂરત,ફૂલોને- 

પણ ભમરાની એટલિજ ગરજ હોય છે...   

આમ તો બધુ જ અરસ પરસ  હોય છે ... 

બેઉ તરફ એક સરખી જ તરસ હોય છે... 




 વ્યક્ત કરવાની રીત માત્ર નોખી નોખી બાકી પ્રેમ તો પ્રેમજ હોય છે.  

નર ને નારી હોય કે ભમરોને ફૂલ બધે બધુ સેમ સેમ એમજ હોય છે.  

દીવસભરની રજડપાટ ના અંતે.  

પ્રાણી માત્ર સહવાસ ને એકાંત ઝંખે.   

કોઈને ગુફા. કોઈને દર તો કોઈને ઘર હોય છે. 

અને એ એકાંતમાં એક માદા ને એક નર હોય છે.  

જીણી કિડીને પૂછો કે પૂછો જાડા હાથીને.   

પ્રાણી માત્ર ઝંખે છે એક જીવન સાથીને.  

પ્રકૃતિમાં બધુ જ સરખું .બસ વ્યાખ્યા જુદી જુદી- 

લોકો આપે છે. બસ,એટલોજ માત્ર ફરક હોય છે...  

આમ તો બધુ જ અરસ પરસ  હોય છે ... 

બેઉ તરફ એક સરખી જ તરસ હોય છે... 

"અનંત" સહજ વાત સહજતાથી સ્વીકાર તો મજા છે.  

કોઈ પ્રાણીમા દંભ નથી . માનવીમાં કેટલા બધા છે.  

જે સહજતાથી ના સ્વીકારે પ્રકૃતિની લીલાને .... 

જીવન એમના સાવ કરતાં સાવ નીરસ હોય છે....  

આમ તો બધુ જ અરસ પરસ  હોય છે ... 

બેઉ તરફ એક સરખી જ તરસ હોય છે... 

"અનંત" 

* બ્લાસ્ટ *

"અનંત" શરીરના નોખા નોખા અવયવોની -

નોખી નોખી નોખી નોખી તરસ હોય છે ... 







કોને કહ્યું  કે કાયમ ભમરા અને પતંગિયા જ ફૂલોનો રસ ચૂસવાને, 


ફૂલોની આસ પાસ ભમે છે.'?  

"અનંત" ફૂલો પણ પોતાની માદક માદક મહેક દ્વારા ,


ભમરા અને પતંગિયાને આકર્ષતા હોય છે .  

આકર્ષણનો નિયમ બધે એક સરખોજ લાગુ પડે છે પ્રવીણ.. 


કેમકે એ પ્રાકૃતિક છે.   
  
જેને જિજ્ઞાસુ અને વેજ્ઞાનિકો સતત સમજવા મથતા રહે છે.  
  
અને  ક્યારેક તો માત્ર  છાપાવાળા છાપા વહેંચવા પણ આવા તારણો છ્પાતા રહે છે.  

જોકે એ જે  કોઈ જે પણ કરે છે. જે થઈ રહ્યું છે. આખરે એ પણ પ્રકૃતિનો એક ભાગ જ છે. 
  
હવે જોજે અહી પણ હું જે આગળ કહેવાનો છું તેમાં પણ એજ નિયમ લાગુ પડે છે. "આકર્ષણ....."  

લોકોને પણ આવા તારણો કારણો જાણવામાં જ રસ હોય છે.  

તેથી સમજદાર છાપા વાળાઓ એવા લેખો સંશોધનો છાપે છે કે. 
  
જેનાથી વાંચક તુરંત આકર્ષાઈ જાય ....  

ને છાપા ટપોટપ વહેંચાય જાય...

વાચકની ભૂખ સંતોષાય અને 

છાપા વાળા પણ  કમાય જાય....  

મારૂ માનવું છે કે અગર પ્રકૃતિ અને પ્રકૃતિના  નિયમને જો  સમજી શકાય તો...  

બાકી બધુ સમજવું સાવ કરતાં સાવ સરળ છે.  
  
પ્રકૃતિના નિયમોને મોટે ભાગે કલાના જીવ વધુ સમજી શકે છે. 


સ્વીકારી શકે છે.  
  
કલાકાર કોઈ પણ હોય  લેખક,  શાયર, સંગીતકાર ,


 ચિત્રકાર, ફોટો ગ્રાફર કે પછી  ફિલ્મ મેકર હોય.  

આ બધા કલાકારો પ્રકૃતિ અને ઈશ્વરની  ખુબજ નજીક હોય છે. 

કલાકારો  પ્રકૃતિગત પોતાને થતી અનુભૂતીઓ અને ,


એમાથી ઉઠતી વેદના સંવેદનાઓને  

પોતાની કળા દ્વારા આબેહૂબ રજૂ કરતાં હોય છે. 


જે કલાકારો જેટલા પ્રકૃતિમય બની પ્રકૃતિમાં ઊંડા 
  
ઉતરી પોતાનું સર્જન કરે છે એટલુ જ એમનું સર્જન ઊંડું અને આબેહૂબ રજૂ કરી શકે છે...  


સર્જકો માત્ર પોતાની જ નહીં બલ્કે તે  આમ લોકોની સંવેદના પણ સમજી શકતા હોય છે. 
  
અને પોતાના સર્જનમાં એ આમ લોકોની ખુશી કે પીડા વણી લેતા હોય છે .  
  
 અને તેથી જ ઘણી વાર એવું બનતું હોય છે કે.. 
  
 કોઈ પ્રેમી જો શાયર હોય અને પોતાની પ્રેમીકાને સંબોધીને કઈ કહેતો હોય છે . 
  
 ત્યારે એ લખે છે અને જ્યારે એ લખે છે ત્યારે એની ભીતરથી એવા શબ્દો ફૂટે છે કે .. 
  
પછીથી ઘણા પ્રેમીઓ પોતાની પ્રેયસીને એમના શબ્દો દ્વારા નવાજતા હોય છે... 
  
પોતાની લાગણી એ કોઈ લેખક કે શાયરના શબ્દો દ્વારા વ્યક્ત કરતાં હોય છે.     

કેમકે આવું બધુ એના જેવુ  લખતા બોલતા આમ લોકોને નથી આવડતું હોતું.  

પોતાની પત્ની કે પ્રેયસીને અથવા પોતાનો પતિ કે પ્રેમી, 
  
 તેની સાથે એ કેવો વહેવાર કરે તો ગમે, 
  
 એ ખુદ સમજતા તો હોય છે પણ કહેતા નથી આવડતું હોતું.  
  
 તેથી લોચા મરાય છે , ને આગળ જતાં પસ્તાય છે , છૂટા પડી જાય છે ,  
  
અથવાતો સમાધાન કરી જીવન ભર રિબાય છે..  
  
ઘણા સમજુ લોકો વિવિધ કલાકારોના  
  
શબ્દો , ગીત, સંગીત કે ચિત્રો દ્વારા પોતાની લાગણીઓ   
  
પોતાના પ્રિય પાત્ર સમક્ષ વ્યક્ત  કરતાં હોય છે ॰  

કોઈએ જાણે પોતાના માટે જ એ  શબ્દો પ્રયોજ્યા હોય, 
  
 એવું એ લોકો અનુભવી શકે છે. સર્જકોનું સર્જન એટલુ ઊંડું હોય છે કે ,   

જોનાર સાંભળનાર વાંચનારને એમ થઈ જાય બસ હું આજ ઈચ્છતો હતો ,  

અથવા  મારે આજ કહેવું હતું ,  હું આમજ કહેવા માંગતો હતો આવું આવું ઘણું બધુ.  

આમ આદમી જે નથી કરી શકતો. જે નથી કહી શકતો, 
  
 એ બધુ એક કલાકાર સહજતાથી સમજી સમજાવી શકે છે. 


વર્ષો પહેલા જ્યારે અમે ત્રણેય ભાઈબંધો અધરાતે મધરાતે એ જર્ઝરિત 



મહોલ્લામાં મળતા ત્યારે બૌ બધી ટાઢા પોરની હાંકતા ...



કૈ કેટલાય વિષય પર અમે ત્રણેય નિજાનંદ ખાતર વાતો કરતાં ... 


એક દિવસ વાત વાતમાં જ્યારે કલા અને કલાકારો વિષેની વાત નીકળી ત્યારે ... 


અજ્ઞાની એ કહ્યું કે ...   
  
કલાકાર  કોઈ પણ હોય. 


ગીતકાર ,સંગીતકાર , ચિત્રકાર, મૂર્તિકાર, કવિ, લેખક કે શાયર જે પણ હોય .  


એ પ્રકૃતિ તેમજ ઈશ્વરની બિલકુલ નજીક હોય છે. 

 કેમકે એ પણ સર્જન હાર છે , અને કલકરો પણ કલા દ્વારા નીત નવું સર્જન કરતાં હોય છે.  


પ્રકૃતિના રંગ-ઑ-મિજાજને એક કલાકારથી બહેતર ભાગ્યેજ કોઈ સમજી શકે... 



આવું વર્ષો પહેલા "અજ્ઞાની" એ કહેલું... 
  
પ્રકૃતિને સમજવા માટે બારીક નજર સાચો દ્રષ્ટિ કોણ તેમજ પ્રકૃતિ સહજ- 

 સત્યને શ્વિકારવાની પણ તૈયારી જોઇયે.  
  
આખરે બધી જગ્યાએ એકજ સિધ્ધાંત એટલેકે આકર્ષણનો સિધ્ધાંત લાગુ પડે છે. 
  
અને "પુરુષ પુરૂષથી આકર્ષાય એવું તો કઈક ગરબડ હોય તોજ શક્ય છે ." 
  
અહી એ સ્પષ્ટતા જરૂરી છે કે  
  
પુરુષ પુરુષ સાથે મિત્રતા હોવી કે ગમવું એ જુદી વાત છે .. 

અને સ્ત્રી પુરુષ વચ્ચે આકર્ષણ હોવું એમાં બડો તફાવત છે.

અને આકર્ષણ એ જ એક માત્ર કારણ છે કે અહી અઢળક વસ્તી છે.

જે હજુયે સતત વધતી જ જાય છે.

સ્ત્રી કે પુરુષ વચ્ચે કેવળ શારીરિક આકર્ષણ જ હોય એવું જરૂરી નથી ...

ને સ્ત્રી કે પુરુષ  શારીરિક આકર્ષણથી થકી  જ આકર્ષાતા હોય એવું પણ નથી જ !

બીજું એથીયે વધુ ઘણું બધુ એનાથી પણ કઈક વિશેષ હોય છે. 

જેનું શબ્દોમાં વર્ણન કરવું કદાચ શક્ય નથી.

હા કઈક અજીબ કઈક વિશેષ તો છે જ એનો પુરાવો પણ હું  આપી શકું

અગર જો પુરુષ કે સ્ત્રીને કેવળ શારીરિક આકર્ષણ જ હોય.

અથવા  હોત તો ! એવા અસંખ્ય દાખલા મળી આવશે કે...

જે  જાણ્યા પછી આ ભ્રમ ભાંગી જશે...!

બંગલા,ગાડી,ધન,દૌલત . ઇજ્જત અને નફામાં સુંદર પતિ, અથવા પત્ની મળવા છતાં..!

કોઈ સ્ત્રી કે પુરુષ પોતાના જીવનથી કે જીવન સાથીથી સંતુષ્ટ ના હોય એવું પણ બને , કેમ?

“ હાં મન મારીને કોઈ જીવન પસાર કરી નાખે એ વાત નોખી છે.”

આખરે શારીરિક આકર્ષણ કરતાં પણ કઈક વિશેષ અને અજીબ...


 ભૂખ ,તડપ,તરસ,તલબ જીવનમાં હોય છે .

જેના પુરાવા આપવા પ્રવીણ મારે તને ફિલ્મી દુનિયાની સફર કરાવવી પડશે . 


તો ચાલ મારી સાથે....:)

કેમકે ત્યાંથી એવા અસંખ્ય પુરાવા પ્રાપ્ત થઈ શકશે.


જેનાથી એ સાબિત થશે કે સ્ત્રી કે પુરુષ-

“અપવાદ બાદ કરતાં .” માત્ર શરીર ભૂખ્યા જ નથી હોતા ...

કઈક વીશેષ એમની ભૂખ તરસ ને તડપ અને તલપ હોય છે.. જેમકે ...   

મહાન કલાકાર ગુરુદત ,મીના કુમારી, અને  પરવીન બોબી . 

આ થઈ ફિલ્મી દુનિયાની મહાન હસ્તી એ સિવાય પણ અનેક હશે ..

પણ આ એવિ હસ્તીઓ છે કે  જેમાથી કોઈએ શરાબ કોઈએ ઘેનની દવા ખાઈને તો-

કોઈએ સાવ એકાંતમાં પાગલ અવસ્થામાં જીવન ટૂંકાવ્યું છે. 

આ કલાકારો ફિલ્મી દુનિયામાં આવીને નામ દામ ને ઇજ્જત ખૂબ કમાયા હોય છે .

 એ જે પણ ચાહે તે ચપટી વગાડતા મળી શકે એ હદે તે દૌલત કમાયેલા હોય છે.

તેમ છતાં....

શું એમને ચાહે તો..! ચાહે તે! જીસ્મ ના મળી શકે ??? 

મળતા પણ હોય જ છે , અને એ માણતા પણ હોય જ છે ! 


તેમ છતાં.!

એ બધા .! 


કઈક અજીબ ભૂખ,તરસ,તડપ ,તલબ અને પીડા લઈને આ ફાની દુનિયા છોડી ગયા. 

 પુષ્કળ નામ દામ બધુ હોવા છતાં...!

 તેઓની કઈક અજીબ ભૂખ હતી...


અજીબ પ્યાસ હતી.. 



અજીબ તડપ હતી...



અજીબ તલપ હતી....

હાં સુંદરતા સભર શારીરિક આકર્ષણ જરૂર હતું જ ! 

અને એ તો હોવાનું જ સુંદરતા સદીઓથી પ્રથમ સ્થાને બિરાજમાન રહી છે.

પણ એ લોકોની  જે ભૂખ, જે  તલબ, જે તડપ, જે તરસ હતી તે શારીરિક તો હરગિઝ નહોતી. 

તો શું હતી એ ભૂખ ? શાની હતી એ તડપ ? 


શાની  હતી એ તલપ ? 



કેવી હતી એ તરસ... .???

આ  એકોએક સવાલનો  જવાબ પણ મારી પાસે  છે જ ...! 

પણ જવાબ આપી આ મસ્ત સવાલોની લિજ્જત બગાડવી મને નહીં ગમે.

" હર એક સવાલ જવાબ સાથે જ જન્મતા હોય છે"

 "આમાં પણ ! હર એક સવાલનો જવાબ છુપાયેલો જ છે. !





જો શોધતા આવડે....!"


વર્ષો પહેલા જ્યારે અમે રાત્રે મળતા ત્યારે મે ચાયની ચૂસ્કી સાથે , 



 મે અનંત ને પૂછ્યું લ્યા પ્રેમની શરૂવાત ક્યાથી થાય ... 



કોઈને ચાહવા માટે જરૂરી શું ...? 



અનંતે ટૂંકમાં કહ્યું , 



જરૂરી ઘણું બધુ પણ શરૂઆત ગમવાથી જ થાય ...



મને મનમાં બીજો પ્રશ્ન થયો મે એને પૂછ્યું 



માત્ર ગમવાથી જ પ્રેમ થઈ જાય ..? 



એણે કહ્યું હાં થઈ જાય પણ એકલાને જ !



અને એને  પ્રેમ નહીં આકર્ષણ થયું કહેવાય ... 



જે એક ઉમરમાં એક બીજા પ્રત્યે સૌને થાય ... 



વાત માત્ર એક છોકરી ને એક છોકરાની છે !   



મે પૂછ્યું એવું કેમ ? 



તો એણે કહ્યું , કેમકે તે અગર કોઈને જોઈ અને એ તને ગમી એ નક્કી પણ ! 



એણે તને જોયો કે નહીં , અગર એને પણ તને જોયો,  તો  તું એણે ગમ્યો કે નહીં ! 



જ્યાં સુધી એ નક્કી થાય નહીં ત્યાં સુધી એકલાને જ  આકર્ષણ થયું કહેવાય ... 



જે એકલા એકલા મનમાં ચાહતના ભાવ પેદા કરે ,



અને તું એ આંખના આકર્ષણ મનોમન પ્રેમ સમજે તો ,



ભોગવવાની તૈયારી પણ તારે એકલાએ જ રાખવી પડે ..!  



મે કહ્યું યાર ટુકડે ટુકડે મને નૈ સમજાય આખે આખું સમજાવ .. 



ત્યારે અનંત બોલ્યો ... 



જો પરિયા વાત જ્યારે પ્રેમ સંબંધની જ હોય ત્યારે ... 



પ્રથમ આકર્ષણ જરૂરી ... 



અને સુંદરતા તરફ સૌ કોઈ આકર્ષાય ...



સિવાય કે ભૂંડ કે મચ્છર કે પછી આવા બધા જે ગંદકીમાં રહેવા ટેવાયેલા હોય ... 



પણ આમ તો જોકે એ ગંદકી પણ એના માટે આકર્ષક જ હોય એટલે એ એવા બધા 



ગંદકી તરફ આકર્ષાય કેમકે એના માટે એજ સ્વર્ગ સમાન હોય ,



જે આપણાં માટે નર્ક સમાન હોય ... 



મે કહ્યું યાર તુય કમાલ છે વાતની ગતિ 



માણસમાથી પ્રાણી તરફ લઈ જાય છે ! 



ક્યાથી ક્યાં વાત લઈ જાય છે ...



મૂળ પ્રશ્નનો જવાબ આપ ને યાર... 



અનંતે કહ્યું એ જરૂરી હતું ... 



જે  શરૂઆત એજ અંત હોય છે આખરી ... 



મને કઈ ટપ્પો ના પડ્યો ... 



પછી એણે વિગતવાર આગળ ચલાવ્યું ... 



સંભાળ પરિયા પ્રેમ થવા પાછળ નું કારણ ... 



પહેલું યુવા ઉમર અને પ્રાકૃતિક શારીરિક રાસાયણિક ફેરફાર ... 



પછી જે કઈ થાય એ બધુ એણે આધીન જ થાય ... 



જેમકે  વિજાતીય આકર્ષણ... 



 જે કદાચ સુંદરતા વિના શક્ય નથી ... 



મે પૂછ્યું અને પછી ? 



એણે કહ્યું , અને પછી ઘણું બધુ પણ ... 



પ્રથમ ગમવું અને ગમતાને ચાહવું ..



ગમ્યા વિના ચાહત શક્ય ન નથી..! 



એ સિવાય પણ બીજું ઘણું બધુ જરૂરી હોય છે ...! 



પણ પ્રયાસ થઈ શકે એ જોવા જાણવાનો કે એ જે આપણને ગમ્યું ... 


જેને આપણે ચાહીયે  છીયે એ બધી જરૂરિયાત પૂરી કરી શકશે કે નહીં ! 

બાકી માણસની જરૂરિયાત અને ઝંખનાનો કોઈજ અંત નથી ... 


અને જરૂરિયાત ક્યારેય કોઇની પૂરેપુરી સંતોષાતી નથી ... 



અને આ અસતોષ આ અધૂરપ જ ઉતમ સર્જનનું મહા કારણ... 



એ એની બધી વાત સાંભળી પણ એમાથી અડધી પણ હું સમજી ના શક્યો બોલો ..! 



આખરે વાત તો અહિજ આવી ને અટકી કે ...  

બધાની ભીતર એક સમજી શકાય, છતાં ના સમજી શકાય એવી,


અજીબ  ભૂખ,તરસ,તડપ,તલપ છુપાયેલી જ હોય છે...

ચંદ શબ્દોમાં જેને વર્ણવી ના શકાય, એવી  આ કાયમ અધૂરી અવ્યક્ત રહેતી-

અદભૂત અલૌકિક ઝંખના સૌ કોઈમાં છુપાયેલી હોય જ છે.

આ એક એવિ ઝંખના છે, જેને આ મૃત્યુ લોકના માનવી યુગોથી જુદી જુદી રીતે -

સમજવા સમજાવવા વ્યક્ત કરવા પ્રયાસ કરે છે...


મથતો રહે છે , લખતો રહે છે...  

'ને તેમ છતાં સંપૂર્ણ પણે આ લાગણીને આજ સુધી ...


કોઈ જ સમજી સમજાવી કે વ્યક્ત કરી શકતું નથી.

કેમકે આ લાગણી અનુભૂતિનો વિષય છે. બસ અનુભવેજ અનુભૂતિ થાય. 

જ્યારે માનવીની ભીતર કોઈ ઝંખના નથી રહેતી ત્યારે તે સાવ નિર્જિવ સમાન થઈ જાય છે.

સંસાર છોડી સાધુ થવું એ પણ એક જાતની ઝંખના જ છે , એમાએ અલૌકિક મજા છે. 


"ઝંખના વિનાનું જીવન પણ ક્યાં જીવન હોય છે ?”


હર એક સવાલ જવાબ સાથેજ જન્મતા હોય છે ..! 



મારી પાસે હર સવાલના જવાબ છેજ ! 



લેકિન ... 



અમુક અમુક સવાલો પણ મસ્ત લિજ્જતદાર હોય છે... 

માટેજ મને એમ પણ થાય કે. 


તો પછી શા માટે ? 



જવાબ આપીને હું એ મસ્ત સવાલોની લિજ્જત બગાડું ..! 


ઘણા પ્રશ્નો અનૂતર રહે એમાં જ એની મજા હોય છે .

 લિજ્જત હોય છે આનંદ હોય છે. મસ્તી હોય છે.

" અસ્સલ નામ વગરના સંબધ જેવી”

અને હું એ અલૌકિક મસ્તીમાં જીવું  છું.મને બસ આમજ જીવવું ગમે છે.

કોઈ વાંચે છે ,નથી વાંચતું , કોઈને ગમે છે, નથી ગમતું,

કોઈ ગમાડે છે ,નથી ગમાડતું .

હું બેફિકર છું. આ બધાથી હું પર છું.

બસ મને ગમે તે હું કરું . 

મને ગમ્યું તે ખરું..:)

અંતમાં અનંત લિખિત બ્લાસ્ટ :- 


उम्रभर मिटती नहीं “अनंत” ये दो भू:ख.

एक प्रेमकी इच्छा और दूजी प्रेमीसे हूंफ.

"अनंत"
















Comments

Pravin Miyaatra VAH...DOST....VACHHE EK PAN SPEED BREAKER NA HATA...SADASADAT VANCHI GAYO.....ANANT NE PAN KHBAR NAHI HOY KE TU AAVU AAVU LAKHI SAKE CHHE... 
See Translation


Katira Paresh Pravin Miyatra હા... હોં પ્રવીણ ક્યારેક ક્યારેક મારાથી આવી ભૂલ, ભૂલમાં થઈ જાય છે.... ! 



જોકે આ ભૂલ તને આભારી છે ... ! 

તોય એના જેવુ તો નોજ થાય હોં.... 


Pravin Miyaatra ....BACHCHAN BHAGVAN DADA NA DANCE STYLE NI COPY KARE CHHE......TO'Y ENA JEVO DANCE NATHI THATO...ANE TO'Y SADI NO MAHA NAYAK BANI BETHO CHHE!!!

Katira Paresh Pravin Miyatra... क्या यार तू भी...! चल मै चला, मुझे निंद्सी आने लगी.... 

Namrata Katira વ્યક્ત કરવાની રીત માત્ર નોખી નોખી બાકીપ્રેમ તો પ્રેમજ હોય છે.

Katira Paresh નર ને નારી હોય કે ભમરોને ફૂલ બધે બધુ સેમ સેમ એમજ હોય છે. 


Katira Paresh Pravin Miyatra 



बड़े चेनसे सोयाथा प्रवीन तू फिर जगाने आया.... 

बिता हुवा लिखा हुवा फिर पढ़ाने आया... 

इस कदर तेरा मेरी नींद उडाना अच्छा लगा.... 

ऐसा लगा जैसे..... 


No comments:

Post a Comment