Saturday, 2 October 2021

કૈ જુદુ પડે નહી ભૂ, ભ, કે વ

ગઈ કાલ પર આજ

આજ પર આવતી કાલ

અને આવતી કાલ પર

આવતો ભવ નીર્ભર હોય છે .!

અર્થાત્

ભૂતકાળ પર વર્તમાન

વર્તમાન પર

ભવિષ્ય નીર્ભર હોય છે.!

જન્મ બાદ જેમ પુર્વ જન્મની યાદોનુ

વીસ્મરણ થઈ જાય છે તેમ

અગર કોઈ સંજોગે  કોઈ કાળે

વીસ્મૃતી થઈ જાય તો વાત જુદી છે.! 

અન્યથા... 

ભુતકાળ ના ઓછાયા આજ પર 

આજના આવતી કાલ પર પડતાજ હોય છે.!

જે ક્યારેક ક્યારેક માણસ માત્રના

વાણી વર્તન કે વ્યવહાર મા દેખા દેતા રહે છે!

આવુ વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું.

જ્યારે ચાય પીતા પીતા ચર્ચા થઈ ત્યારે... 

મે બંને સામે દ્રશ્ટી કરી પુછ્યું કે, 

લોકો સતત કહ્યા કરે છે

આધ્યાત્મિક વીદો પણ સમજાવ્યા કરે છે

કે ભુતકાળ ભુલો

ભવિષ્યની ચિંતા ના કરો

બસ વર્તમાનમાં જીવો

તો શું આમ કરવુ થવુ શક્ય છે ખરૂ.?

મારા સવાલનો જવાબ આપતા અનંતે કહ્યું.

પરીયા આ બધા પીડાથી બચવાના મારગ છે

રસ્તા છે.! મંજીલ નથીજ.!

આ કેવળ સાધન છે!

સાધના નથીજ.!

બરોબર છે...!

પરીયા અનંતની વાત બીલકુલ સાચી છે.!

આમ કહી અજ્ઞાની એ ઉપર મુજબ કહ્યું.!

ક્રમશઃ 

No comments:

Post a Comment