Thursday, 5 February 2026

જે અનંત પ્રેમમાં સતત તરબતર થાય છે..!


 વર્ષો પહેલાં ભાઈબંધે લખ્યું/કહ્યું હતું કે...

કહી-કહીને કશું જ થતું નથી, જે થાય છે એ કહ્યા વગર થાય છે;

જેટલું દેખાય છે એટલું જ નથી, જ્યાં તમારી નજર જાય છે.

એથીય ઘણું વધુ છે જીવન, પણ ક્યાં તમારી નજર જાય છે?

સમજણ આટલી ટૂંકી કેમ? કોઈ કહે ત્યારે જ ખબર થાય છે.

કૈંક જીવતાને આજીવન ઝૂંપડામાંય જગા નથી મળતી, તો-

કોઈ મુફલિસની મર્યા બાદ આરસના મહેલમાં કબર થાય છે.

પાક્કા ગણતરીબાજોનું ગણિત પણ ક્યારેક ખોટું પડે છે અહીં-

ઘણા બધા જીવતા મરે છે, થોડા ઘણા મરીને અમર થાય છે.

ક્ષણભર પણ થંભતી નથી વણઝાર, ક્ષણ-ક્ષણ અહીં અનેક આવે ને-

જાય છે; આ આવ-જામાં રોજ લાખોની અવર-જવર થાય છે.

કોઈ પોતાની અણઆવડતના કારણે નીચે ઉતરે છે સતત, તો-

કોઈ વિરલો નિજ આવડતથી સતત ઉપરને ઉપર જાય છે.

“અનંત”, આ જીવન સફર ના કદિયે પૂર્ણ થઈ છે ના થશે, જ્યાં

પૂરી થયાનો ભરમ થાય છે, ત્યાં જ શરૂ ફરી નવી સફર થાય છે.

બધું જ ગમતું ના બને, ના ગમતું જ્યારે કંઈ પલભર થાય છે!

ત્યારે હું દુખી થયા વિના સમજું છું કે, હિસાબ સરભર થાય છે!

— "અજ્ઞાની"

બ્લાસ્ટ

ના ગમતું જ્યારે કંઈ પલભર થાય છે!

હું સમજું છું કે, હિસાબ સરભર થાય છે!

— "અજ્ઞાની"

બ્લાસ્ટ :- અનંત

એ જીવી જાય છે ખરું જીવતે જીવ "અનંત",

જે અનંત પ્રેમમાં સતત તરબતર થાય છે..!

— "અનંત"

https://www.facebook.com/share/1TjZyGxifU/



No comments:

Post a Comment