વર્ષો પહેલાં મારો ભાઈબંધ કહેતોજ કે,
ઈશ્વર સત્ય છે સત્યજ ઈશ્વર...
ઈશ્વર ખૂબ દયાળુ છે..!
ઈશ્વર ને માનનારાઓને હરેક સંજોગોમાં ઈશ્વર અચુક સહાય કરે છે.!
"અનંત" ઈશ્વરના ઘણા છુપા ઇશારા કે ઈરાદાઓ આપણે પામર માનવી સમજી શકતા નથી..!
તેથી દુ:ખી થઈએ છીએ,
પણ સાચી વ્યક્તિ ને ઈશ્વર ક્યારેય અન્યાય થવા દેતો નથી..!
એવુ આપણને મોડે મોડે અનુભવે સમજાય છે.!
પોતાને સાચો સમજતી વ્યક્તિ ખરેખર કેટલી સાચી છે,
એ જાણવા ઈશ્વર ચોક્કસ કશોટી કરેજ છે.!
અને જ્યારે અદ્રશ્ય ઈશ્વરની નજરમાં પોતાને સાચો સમજતી વ્યક્તિ ખરેખર સાચી ઠરે છે ત્યારે તેને સજ્જડ ન્યાય મળે તેવુ માર્ગ દર્શન અનંત ઈશ્વર આપે છે.!
એ પ્રમાણેજ મને તમને ઈશ્વરે માર્ગ દર્શન આપ્યુ હોય એવુ સતત સંઘર્ષ બાદ આવેલ અને આવનારા નીર્ણય પરથી સ્પષ્ટ થાય છે.!
વર્ષો પહેલાં ભાઈબંધે કહેલી વાત અનુભવે પરમ ચરમ અખંડ અનંત આનંદ આપે છે.
"અનંત"
ગઈ કાલ ને આપણે બદલી નથી શકતા"અનંત"
મગર આજ બદલવાનુ તો આપણાજ હાથમાં છે.!
"અનંત"
No comments:
Post a Comment