વર્ષો પહેલા ભાઈબંધે લખ્યું / કહ્યું હતું કે,,,
કહી કહીને કશુંજ થતું નથી જે થાય છે, કહ્યા વગર થાય છે.
જેટલું દેખાય છે એટલું જ નથી ! જ્યાં તમારી નજર જાય છે.
એથીય ઘણું વધુ છે જીવન પણ ક્યાં તમારી નજર જાય છે.?
સમજણ આટલી ટૂંકી કેમ ? કોઈ કહે ત્યારેજ ખબર થાય છે .
કૈક, જીવતાને આજીવન ઝોંપડામાંયે જગા નથી મળતી.તો-
કોઈ મુફલિસની મર્યા બાદ આરસના મહેલમાં કબર થાય છે.
પાક્કા ગણતરી બાજોનું ગણિત પણ ક્યારેક ખોટું પડે છે અહી-
ઘણા બધા જીવતા મરે છે ! થોડા ઘણા મરીને અમર થાય છે.
ક્ષણભર ય થંભતી નથી વણઝાર. ક્ષણ ક્ષણ અહી અનેક આવે-
જાય છે. આ આવ જા માં રોજ લાખોની અવર જવર થાય છે.
કોઈ પોતાની અણઆવડત ના કારણે નીચે ઉતરે છે સતત,તો-
કોઈ વિરલો નિજ આવડતથી સતત ઉપર ને ઉપર જાય છે.
“અનંત” આ જીવન સફર ના કદિયે પૂર્ણ થઈ છે ના થશે, જ્યાં
પૂરી થયાનો ભરમ થાય છે ત્યાંજ શરૂ ફરી નવી સફર થાય છે.
બધુજ ગમતું ના બને, ના ગમતું જ્યારે કઈ પલભર થાય છે !
ત્યારે હું દુખી થયા વિના સમજુ છું, કે, હિશાબ સરભર થાય છે.!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
ના ગમતું જ્યારે કઈ પલભર થાય છે.!
હું સમજુ છું કે, હિશાબ સરભર થાય છે.!
"અજ્ઞાની"
બ્લાસ્ટ :- અનંત"
એ જીવી જાય છે ખરું જીવતે જીવ "અનંત"
જે અનંત પ્રેમમાં સતત તરબતર થાય છે..!
"અનંત"
https://m.facebook.com/story.php?story_fbid=516781069792549&substory_index=516781069792549&id=100002991311961&mibextid=Nif5oz
No comments:
Post a Comment