છેલ્લા સાડા ત્રણ વર્ષ ના કોર્ટના અનુભવ બાદ મને એવુ સમજાય છે કે કોર્ટ, ઠોસ પુરાવાઓથી સાબીત થઈ ગયેલા ગુનેહગાર ને લાંબી એવં ગુંચવણ ભરેલી કોર્ટ પ્રક્રિયા દ્વારા, સાબિત થઈ ગયેલા ગુનેહગાર ને પોતાને નીર્દોશ પુરાવાર કરવાનો અવસર આપે છે. અને આ કારણે એક નીર્દોશ, ગુનેહગાર સાબિત થઈ જાય છે અથવા તો ખરો ગુનેહગાર છુટી જાય છે.
કાયદાની ગુંચવણ ભરી ભાષા કલમો પેટા કલમો આ બધુ જાણે એક ગુનેહગાર ને નીર્દોશ સાબિત કરવા બનાવી હોય યા છટકબારી માટે બનાવી હોય એવુ લાગે છે. કદાચ નીર્દોશ માટે પણ ઉપયોગી હોય શકે પરંતુ મોટા ભાગે તો વકિલોજ તેનો દુરૂપિયોગ કરે છે, પોતાના ગુનેહગાર ક્લાઈન્ટ બચાવવા માટે.!
ખરેખર ઉપરોક્ત કારણોસરજ ગુનાહખોરી ઘટવાને બદલે વધે છે.
અન્યથા પહેલીજ વારના ઠોસ પુરાવાઓથી ગુનેહગાર સાબિત થઈ ગયેલા ને કોઈ અવસર આપવાનો ન હોય બલ્કે સીધી સજા ફટકારી દેવાની હોય,એવુ મારૂ દ્રઢપણે માનવું છે.
અગર ઉપરોકત જણાવ્યા મુજબ કાયદાઓ, કાયદાની ગુંચવણ ભરી ભાષા, કલમો, પેટા કલમો આ બધુ ન હોય અને સીધી સરળ અસરકારક ભાષા તેમજ ઓછી કલમો હોય તો નક્કર એવં જડપી કાર્યવાહી થકી જડપી ન્યાય થઈ શકે અને ગુનેહગારો પણ કોઈ પણ ગુનાહખોરી કરતાં પહેલાં સો વાર વિચાર કરે.
આમ અજાણતા કે આવેશમાં આવી થતા ગુનાહ સીવાયના ગુનાહ અટકી જાય.
મોટા ભાગના ગુનાહ અમુક લોકો માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ સાધવા અથવા પોતાનો સ્વાર્થ ન સધાય ત્યારે પોતાના અહં ને સંતોષવા ખાતર ગુનાહ કરતા અચકાતા નથી..!
ઉપરોક્ત મુજબ નીયમો હોય તો આવા ગુનાહિત માનસીકતા ધરાવતા લોકો દ્વારા આચરવામાં આવતા ગુનાહો તેમજ ગુનેહગારોનુ પ્રમાણ સદંતર ઘટી જાય એવુ મારૂ નમ્ર પણે માનવુ છે.
જો કે મને એ પણ ખબર છે કે, મારા માનવા ન માનવાથી ગુલામ રહેવા ટેવાયેલા અને જનતાને ગુલામ સમજતી સરકારો ને કે આ દેશને કૈંજ ફર્ક પડવાનો નથી..!
"કતીરા"
No comments:
Post a Comment