પ્રકૃતિ ની લીલા અજબ છે પવલા ...
એ બધાને બધુ શીખવીને જ મોકલે છે,
યા તો સમય સમય પર બધુ શીખવી દે છે...
માનવ શીખે નાનકડી કીડી થી લઈને મસ મોટા હાથી ને.....
બચ્ચા કેમ પેદા કરવા ...
અને કેમ ઉછેરવા એ સિવાય બધુ બધુ ને બધુ જ !
જે જે , જેની જેવી જરૂરિયાત એ મુજબ -
બધુ જ જ્ઞાન ,પ્રકૃતિ જીવ માત્રને આપે જ છે ....
તેમ છતાં નાદાન લોકો ખુદ ઈશ્વરથી યે મહાન છે...
અને સૌથી હોશિયાર , બુધ્ધિમાન છે એવું સાબિત કરવા ...
ધમપછાડા કર્યા કરે છે ...
પ્રેમને ભૂલીને "સેક્સ" ને ચર્ચાનો વિષય બનાવી કોને શું કરવું શું ના કરવું ...
એવું એવું બધુ શિખવ્યા કરે છે.... ( એ બહાને સૌ પોતપોતાની વિકૃતિ સંતોષે છે )
પ્રકૃતિએ ક્ષણે ક્ષણનું અદભૂત જ્ઞાન પ્રાણી માત્રને આપ્યું છે..
કોઈ અચાનક કાંકરી ફેંકે 'ને અચાનકજ જેમ-
પલક આપોઆપ બંધ થઈ જાય બસ એમજ !
શું આ બાબતે ક્યારેય કોઈ માં એ પોતાની દીકરીને,
કે બાપે પોતાના દીકરાને કહ્યું, શીખવ્યું હોય છે, આ જ્ઞાન આપ્યું હોય છે ??
કે જો દીકરા/દીકરી કોઈ કાંકરી ફેંકે તો આંખ તુરંત બંધ કરી દેવી .. ?
બસ તો પછી...!
આટલું જ સત્ય છે....
બાકી બધુ સડેલી બુધ્ધિનું કે હલકી વૃતિનું પ્રદર્શન ....
ખેર એ સૌ લોકો પોત પોતાની બુધ્ધિ નું પ્રમાણ આપે છે....
'ને , મારે ને બુધ્ધિને તો બાર ગાઉં નું છેટું ...
બાકી તું સમજદાર છે પવલા... થોડામાં ઘણું સમજી જજે/ જશે ....
આ જો મારા ઘરના આંગણે ઉગેલા નાનકડા વૃક્ષમાં-
નાનકડી માદા પંખીએ પ્રસૂતિ પહેલા કરેલી તૈયારી ....
અને પછી ક્રમશ પ્રકૃતિગત ઉછરતા બચ્ચા....
કહો, કોણ એને શીખવવા ગયું હતું આ બધુ .... ?






No comments:
Post a Comment