હું જ્યારે જ્યારે આ ગીત સાંભળું ત્યારે ત્યારે મારી આંખ તગતગે છે અને, તગતગતી આંખ સામે તરવરે છે પ્રેમાળ અનંત નો નીર્દોશ ચહેરો...
- બસ એ પણ દર્દ પ્રેમનુ હ્રદયમા ધરબીને ખબર નૈ ક્યાં નીકળી ગયો કહ્યા પુછ્યા વગર...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
No comments:
Post a Comment