એકજ સવાલ ના સો જવાબ હોય શકે છે.
એ સો જવાબ સામે ફરી હજારો સવાલ થઇ શકે છે.
એ હજારો સવાલના લાખો જવાબ હોય છે....
"અજ્ઞાની" બસ આમને આમ એજ કારણે,
તમામ મોટા ગ્રંથો લખાયા છે..!
"અજ્ઞાની"
જેમ જીભ અને જઠરને સ્વાદ સાથે સંતોષ એને થાય છે જે ભોજન ચાવી ચાવીને ખાય છે.!
એમ આંખોથી ચાવી ચાવીને પુસ્તક વાંચો તો આતમને "અનંત" અલૌકિક તૃપ્તિ થાય છે.!
"અનંત"
વાંધો ઉઠાવવા જેવા હવે આપણા સંબંધો નથી.!
તેથી તારા વાંધા સામે હવે મને કોઈજ વાંધો નથી.!
વાંધાને સમજી શકે એ વાંધો ઉઠાવાને લાયક છે.
મગર તારામાં એવી ઊંડી સમજણનો છાંટો નથી.!
તેથી તારા વાંધા સામે હવે મને કોઈજ વાંધો નથી.!
"અનંત"
"અનંત" સમજણ હોય એને કહેવુ શું.
અને જે સમજેજ નહીં એને કહેવુ શું.!?
" અનંત"
પછી કૈંજ જોવા દેખાડવા, સમજવા સમજાવવા, લખવા બોલવા, વાંચવા વીચારવાનુ એને નથી હોતું.
એ બધુ એ યુગો પહેલાં કરી ચૂક્યા હોય છે. "અજ્ઞાની" એ લોકો બહારથી ભીતરથી ચારેકોરથી ખૂબજ શાંત થઈ ચુક્યા હોય છે.!એના જીવનમાં માત્ર ને માત્ર પરમ ચરમ અખંડ અનંત અલૌકિક શાંતિ પથરાઈ ગઈ હોય છે.! અને તે ક્ષણે ક્ષણ હર હાલમાં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદની મસ્તી માં જીવતા હોય છે.!
પછી એ જે કરતા હોય છે એ, એ કરતા નથી હોતા..!
"અજ્ઞાની"
જો ઓલીપાની વ્યક્તિ સમજે તો
અને આ પા ની વ્યક્તિ જો સ્વીકારી શકે તો
મોટા ભાગની "અનંત" સમસ્યાઓનો સુખદ આવી જાય...
"અનંત"
અન્ય ને ખુશ રાખવાની સાથેજ ખુદને
"અનંત" સુખ પ્રાપ્ત થતુ હોય છે..!
અન્ય ને જો રાખશો ખુશ
તો આપોઆપ
પામશો "અનંત" સુખ
"અનંત"
વર્ષો પહેલા....
એક ભાઈબંધે મારા ભાઈબંધ અનંત પાસે પોતાની તકલીફ રજુ કરી ભાઈબંધ અનંતે એને એ તકલીફ માંથી બહાર નીકવાનો મારગ બતાવ્યો સાથે સાથે થોડી સલાહ પણ આપી જે પેલા ભાઈબંધને માફક ન આવી એને એ ભાઈબંધે અનંતની સીધી સાદી વાતો નો પોતાની મન મરજી મુજબ અલગજ અને સાવ ગલત અર્થ નીકળ્યો અને એ નારાજ પણ થઈ ગયો...
અકલે પછી ભાઈબંધે અનંતે એને પ્રેમથી કહ્યું.
ભૈલાઆઆઅ...
મારો ઈરાદો ક્યારેય કોઈને દુભાવવાનો હોતો નથી. તેમ છતાં અગર મારી કોઈ પણ વાતથી તને માઠુ લાગ્યુ હોય તો ક્ષમા કરજે...!
અને પછી અનંતે એના હીતમાં સલાહ આપતા પહેલા સ્પષ્ટતા કરતા કહ્યું. જો કે તે માંગી તો નથી તેમ છતાં હું તને આપુ છું.
વણ માંગી વિષેશ સલાહ..!
કે, કોઈ પણ સમયે કોઈની પણ પાસે માર્ગદર્શન માંગશો ત્યારે...
સૌ કોઈ પોતાના દ્રષ્ટિકોણ તેમજ અનુભવ અનુસાર સલાહ સૂચન અથવા માર્ગદર્શન આપશે..!
માનવુ કે ન માનવુ એ બાબતે તમારે સ્વતંત્ર રહેવુ જોઈએ
તમારા નીર્ણય પર તમારો ખુદનો અધિકાર રાખી અને નીજ મરજી મુજબ આગળ વધવું જોઈએ...
કોઈ કૈ પણ કહે
આપણે આપણી સમજણ અને સંજોગોને આધીન નીર્ણય લેવો જોઈએ અને ઊતમ કાર્ય કરવુ જોઈએ...🙌
આવુ કાં'ક વર્ષો પહેલાં...
ખંડેર મધ્યે...
ચાયની ચુસ્કી ભરતા ભરતા બંને ભાઈબંધો કહેતા હતા.. 🤫
"અનંત"
સારૂ પરીણામ આવશેજ એ વીશ્વાસ સાથે વીપરીત સંજોગોને થાળે પાડવાનો પ્રયત્ન કરવોજ જોઈએ પ્રયાસ કર્યો પછી પણ કદાચ ધાર્યું પરિણામ ન આવે તો નીરાશ થયા વિના વીચારશો તો સંતોષ જરૂર થશે કે તમે તમારા તરફથી પુરા પ્રયત્નો કર્યા હતા.
અને સાથે સાથે એ પણ સ્વીકારી લેવુ કે તમારાથી જરૂર કોઈ કર્મ એવું થયું છે જેના કારણે તમે તમામ પ્રયાસ પછી પણ સફળ થાવ છો.!
સાવ પ્રયત્ન ન કરવા કરતા કૈ પ્રયત્ન કરનાર મહાન છે.
"અજ્ઞાની"
જ્યારે તમે કહો છો કે, હું જાણું છું ત્યારે ઘણુ બધુ વધુ જાણવાથી વંચીત રહી જાવ છો.
જ્યારે કોઈ કૈં પણ જણાવતુ હોય ત્યારે, અગર તમને એમ લાગે કે તમે એ પહેલેથી જાણો છો તો પણ અજાણ રહી થોડી ધીરજ રાખી સાંભળી લેવામાં સમજદારી છે. એમ કરવાથી બની શકે એની પાસે થી કોઈ એથી વીશેષ પણ એવી જાણકારી પ્રાપ્ત થાય જે તમે જાણતા ન હોવ
જાણું છું એમ કહેવા સમજવા કરતા જાણતો નથી અથવા જાણવા માંગુ છું એમ કહેવામાં નુકસાન બીલકુલ નહીં થાય, બલ્કે ફાયદો સો ટકા થશેજ.!
જ્યારે તમે કહો છો કે, હું જાણું છું ત્યારે ઘણુ બધુ વધુ જાણવાથી વંચીત રહી જાવ છો.
"અજ્ઞાની"
No comments:
Post a Comment