વર્ષો પહેલાં ભાઈબંધે કહેલૂ કે,
હે અજ્ઞાની...
નબળી સબળી ક્ષણ તો,
સતત સૌના જીવનમાં આવેજ છે.!
પણ જ્યારે નઠારી ક્ષણ પકડાય જાય છે,
ત્યારે...
જીવનમાં અંધકાર છવાય જાય છે...
મગર, અગર જો,
સારી ક્ષણ સચવાય જાય તો,
નીત મસ્ત સવાર થાય છે...
અને,
જીવનમાં અનંત પ્રકાશ રેલાય છે...
યાદ રહે અંધકારને કીરણોનો સાથ નથી...
તેથી તે બસ બંધ જગામા સંકોચાઈ ને રહે છે.!
જ્યારે અનંત.....અજવાળું...!
ખૂણામાં હોય તો પણ..!
કીરણોનો સહારે દૂર દૂર સુધી તેનો
પ્રકાશ ફેલાઈ જતો હોય છે...
અજ્ઞાની અનંતની વાણી....
વર્ષો પહેલાં....
જાગી રાતોની રાતો...
આ બધી ભાઈબંધોએ કરેલી છે વાતો ..
બાકી,
મારે આ બધી વાતો સાથે,
દૂર દૂર સુધી નથી કોઈ નાતો ...
કારણ કે,
જ્યારે જેને માથે પડે છે..!
ત્યારે જ તેને ખબર પડે છે કે,
જ્યારે જાત પર વીતે છે ત્યારે....
આવી બધી ખીલોસોફી કૈ કામ નથી આવતી...!
હાં, તો.,
આ, તો,
હુ, તો,
બસ બે ઘડી સમય પસાર કરૂ એકલૂજ...
બાકી મારા જેવો....
ના, લાયક જગતમાં બીજો નૈ જડે રે લોલ...
અને,
ધરો એટલો ખરાબ પણ નથી..!
મગર નખશીખ સાચો કે સારો પણ નથીજ.!
ટુંકમાં તમે મને ઊંટ કહી શકો છો.!
જેના અઢારે વાંકા રેએએએએ..હોય....
*બ્લાસ્ટ*
તમે જે પણ ધારો
ખરાબ યા સારો
તમે જે પણ ધારો
વાંક્ક તમારો...
😊😊😊
बुरा जो देखन मैं चला,
बुरा न मिलिया कोय,
जो दिल खोजा आपना,
मुझसे बुरा न कोय।
कबीरा
https://www.facebook.com/share/1AJ2nH4Kfn/

No comments:
Post a Comment