વર્ષો પહેલાં...
મારી અક્કલ વગરની અને
સાવ બુધ્ધિના બારદાન જેવી હરકતો
અને એ સીવાય મે કરેલી ભુલો
બદલ મને ભાઈબંધ ખૂબ જ વઢ્યો...
અકલે મને બૌ માઠુ લાગ્યુ
અકલે દિવસો સુધી હું ખંડેર પર ન ગયો..
પણ મને ભાઈબંધને મળ્યા વિના ચાલ્યુ નહીં.
ખંડેર પર ન જવાથી ખુબ બૈચૈની થવા લાગી.
અકલે પછી હું પાછો ચાય લૈને ખંડેર પર ગયો...
આવ આવ પરીયા...
બૌ દિવસ પછી આવ્યો...
ખૈર...
અમને તું આવ્યો તેનો આનંદ છે.
ચાય પીતા પીતા અજ્ઞાની એ કહ્યું.
પરીયા મને ખબર છે કે
તારી અક્કલ વગરની અને
સાવ બુધ્ધિના બારદાન જેવી હરકતો
તરફ તારૂ ધ્યાન દોર્યું અને તું ઘણી વખત જે
ભુલો કરે છે તે બાબતે તને ઘઘલાવી નાખ્યો
એ તને જર્રાય થી ગમ્યું...
પણ યાદ રાખજે પરીયા...
*બ્લાસ્ટ*
જાણે અજાણે કે જાણી જોઈને
તમારાથી થતી ભુલો તરફ
હક્ક થી વઢી ને તમારૂ ધ્યાન દોરનાર
તમને રોકનાર ટોકનાર
અગર કોઈ પણ સબંધે
તમારા જીવનમાં હોય તો,
જાતને ભાગ્યશાળી ગણી
ઈશ્વર ને ધન્યવાદ કહેજો
તમારા જીવનમાં તમને
કોઈ હક્કથી
વઢનાર સદસ્યને મોકલવા બદલ.
"અજ્ઞાની"
જેના જીવન માં
હક્ક થી વઢનાર કોઈ નથી
તેઓ આગળ જતાં વંઠી જતા હોય છે.
અને જીવનની રાહમાં ભટકી જતા હોય છે.
"અજ્ઞાની"
હક્ક થી એજ લડે વઠે
જે તમારી નજીક હોય,
અને,
સદૈવ તમારૂ ભલુ ઈચ્છતા હોય.
દુશ્મન તો તમે ભુલો કરો ને ભોગવો
એમાંજ રાજી હોય છે.!
"અજ્ઞાની"
પછી તે રાતે
ચુપચાપ ચાય પીતા પીતા મે અજ્ઞાનીએ
કહેલી વાત સાંભળી સ્વીકારી...
અને, સાંગોપાંગ
મન હ્રદય અને જીવનમાં ઉતારી ...
હું ઘર ભણી ચાલી નીકળ્યો...
*બ્લાસ્ટ*
મારૂ કર્મ, કાર્ય, કર્તવ્ય,
હરેક ગલત રાહ પર
જાણે અજાણે ચાલતી વ્યક્તિને
પરમાર્થ ભાવે સારો અને સાચો મારગ
બતાવવાનું માત્ર છે.!
પછી બતાવેલ મારગે
ચાલવુ ન ચાલવુ
તે તેમની મરજી પર છોડીને આપણે
આગળ વધી જવાનુ હોય છે.
માટે
જાણે કે અજાણતાં
ભુલ કરતી વ્યક્તિને
સમય સમય પર સમયસર
રોકવી ટોકવી જરૂરી છે.
અન્યથા એ ભાન યા અભાન અવસ્થામાં
ભુલો કરતી વ્યક્તિ એમજ સમજશે કે,
એ જે કરે છે તે સારૂ છે સાચુ છે કે બરોબરજ છે.
એમ સમજી જીવનમાં સતત ભુલો કર્યો કરશે.
જેના માઠા પરિણામો સમય જતાં
તેને ખુદને તો ભોગવવાજ પડશે.!
પરંતુ કમનસીબે તેમની સાથે
કોઈ પણ સંબંધે જોડાયેલ
વ્યક્તિ ને પણ...! ભોગવવા પડે છે.!
માટે
અગર જો તમે એમનુ મન હ્રદયથી
ભલુ ઈચ્છતા હોવ તો,
જાણે કે અજાણતાં
ભુલ કરતી વ્યક્તિને
સમય સમય પર સમયસર
રોકવી ટોકવી જરૂરી છે.
"અજ્ઞાની"
પ્રયાસ કરવો એ મારૂ કર્મ છે..!
મારો જન્મસિદ્ધ અધિકાર છે..!
અને નૈતિક ફરજ પણ છે.!
જે હું "અનંત" સતત નીભાવી રહ્યો છું.!
અને આ ભવ અંત સુધી નીભાવતો રહીશ..!
ભવોભવ મન હ્રદયથી તેમજ પુર્ણ પ્રેમ ભાવથી..!
આટલુ કહી "અનંત" અંતર ધ્યાન થઈ ગયો...
*બ્લાસ્ટ*
કહેવાની અને કહી દેવાની ઉતાવળમાં
માણસ સાંભળવા અને સમજવાની
ક્ષમતા ગુમાવી બેસે છે.
તેથી ગેરસમજ વધે છે.
"અજ્ઞાની"
તમે કહો ફોડો અને હું ફોડી નાખુ
તો પછી આપણા બંનેમાં ફર્ક શું.?
કદાચ તમારી ક્ષમતા હોય, કદાચ,
વીષ્ફોટ સામે જાતને સુરક્ષિત રાખવાની
જો કે શક્યતા એ પણ ઓછી છે.!
છતાં હોય, પણ જેની નથી એનું શું..?
મારે તો એવાઓ વીષેજ વીચારવાનુ હોય ને..!
"અનંત "
હર એક સવાલ જવાબ સાથે જ જન્મતા હોય છે.
No comments:
Post a Comment