ખબર નૈ કેમ !!!
આજ તો
આમ તેમ જ્યા જોઉં ત્યાં
ઘોઘી જ ઘોઘી
દેખાય છે
હમણે થોડીવાર પેલ્લા
ફિલમમાં દેખા દીધી 'તી ...
મારી તો એક આંખ
આપોઆપ બંધ થઇ ગઈ
ખબર નૈ કેમ। .!
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
No comments:
Post a Comment