તા ૧૭/૧૨/૨૦૨૧ ના રોજ જીલ્લા સ્વાગત કાર્યક્રમ ડિસેમ્બર ૨૦૨૧ અંતર્ગત કલેકટર ઓફીસ મા અમોએ આપેલી અરજીના અનુસંધાને, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ને કલેક્ટર કચેરી દ્વારા આપેલ પત્ર સંદર્ભે,
તા ૨૨/૧૨/૨૦૨૧ ના રોજ અમોને નગર પાલિકા ચીફ ઓફિસર શ્રી ગીરીશ ભાઈ સરૈયા એ બપોરે ત્રણ વાગ્યે રૂબરૂ મળવા બોલાવ્યા હતા.
અમો ર્રાઇટ ત્રણ વાગ્યે હાજર થઈ ગયા હતા.
જ્યારે સાહેબ ૩/૧૫ વાગ્યે હાજર થયા હતા.
આ સંદર્ભે સામાવાળા ને પણ બોલાવવામાં આવ્યા હતા
જેઓ ૩/૩૦ વાગ્યે હાજર થયા હતા.
એ સમયે હાજર રહેલા વ્યક્તિઓ.
સામાવાળા :- બાબુભાઈ મેમણ, રૂખસાર બહેન બાબુભાઈ મેમણ તેમજ
મોરબી નગર પાલિકા ઉપ પ્રમુખ માનનીય શ્રી જયરાજ સીંહ,
નગર પાલિકા સર્વેયર શ્રી જયદિપ ભાઇ સોરઠીયા, નગરપાલિકા ચીફ સાહેબના પી.એ શ્રી ધીરુભાઈ સુરેલીયા,
નગર પાલિકા પવડી ખાતેના શ્રી હિતેષ ભાઈ રવેશીયા
તેમજ વેપારી શ્રી રસીકલાલ.પ્રભુદાસ.મજેઠીયાની હાજરીમાં ચીફ ઓફિસર શ્રી દ્વારા તટસ્થ નીર્ણય લેવામાં આવ્યો છે.
શ્રી ચીફ ઓફિસર સાહેબે મને ઉપરોક્ત સૌની હાજરીમાં મારા પ્રશ્નનો વીષે પુછતા મે ખુબજ નમ્રતા સાથે કહ્યું હતું કે,
"સાહેબ મે અરજી દ્વારા મારા તમામ પ્રશ્નો જણાવેલ છે.!"
તેમ છતાં સાહેબે પુછતા અમોએ છેલ્લી અરજીમાં જણાવેલ સામાવાળા વીરૂધ્ધ અમોએ કરેલ ફરીયાદની હકીકત બયાન કરી હતી.
પછી સાહેબે સામેવાળા ને પણ સાંભળ્યા હતાં.
જેમાં સામે વાળાએ બે બુનિયાદ અને પાયા વીહોણી દલીલો કરી હતી.
બંને ને સાંભળ્યા બાદ ચીફ ઓફિસર શ્રી ગીરીશ ભાઈ સરૈયા એ યોગ્ય નીર્ણય લેતા નગર પાલિકા ની જગ્યા પર નુ દબાણ દુર કરી નવેરૂ ખુલ્લુ કરવા તેમજ મારી બારી આગળ કરેલી દિવાલ
મારી દિવાલ મા આવેલ માળીયુ, મારી દિવાલ મા આવેલ દરવાજો આ તમામ દબાણ જે નગર પાલિકા ની જગ્યામા કરેલ છે તે તોડવાનો અને નવેરૂ કબ્જે કરવાનો આદેશ પવડી વિભાગના શ્રી હિતેષ ભાઈ રવેશીયા ને આપ્યો હતો.
યોગ્ય ન્યાય મળવાથી મારો ન્યાય પરથી ડગી ગયેલો વીશ્વાસ પુનઃ સ્થાપિત થયો છે.!
ત્રણ મહિનાના અંતે આપ સાહેબ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી એ બદલ આપ શ્રી ને ખૂબ ખૂબ ધન્યવાદ..!
તેમજ ચીફ ઓફિસર શ્રી ને પણ લાંબા સમયના અંતે યોગ્ય નીર્ણય લેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ..!
ચીફ ઓફિસર સાહેબે નગર પાલિકા ની જગ્યા નુ તેમજ મારી બારી આગળ કરેલી દિવાલ નુ એ સીવાય તમામ દબાણ દુર કરવા તેમજ નગર પાલિકા નવેરાની હદ પુરી થતી હોય ત્યાં દિવાલ કરી સામેવાળા નુ મુખ્ય હલણ જે આથમણી દિશામાં આવેલ રોડ પર છે. તે મુજબ કરી સામેવાળા નુ નગર પાલિકા ના નવેરામા ગેરકાયદેસર રીતે થતી અવરજવર કાયમી ધોરણે બંધ કરવાનો તત્કાલ આદેશ આપ્યો,
પરંતુ સામેવાળાએ થોડો સમય માંગ્યો , અને એ મુજબ ચીફ ઓફિસર સાહેબે દિવસ ૧૦ વધારાનો સમય આપ્યો છે.
જે ખરેખર આપવો જોઈએ નહીં.
કેમકે સામેવાળાને નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા તા ૨૦/૧૧/૨૦૨૧ ના રોજ જે આખરી નોટિસ આપેલી તેમા સ્પષ્ટ દિવસ ૧૦ મા દબાણ દુર કરવા જણાવ્યું હતું અન્થા નગર પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવશે તેવુ સ્પષ્ટ જણાવ્યું હતું.
એ પ્રમાણે સમય અવધિ તા:- ૩૦/૧૧/૨૦૨૧ ના પુરી થઇ ગઇ છે, તે ઉપરાંત આજે તા:- ૨૨/૧૨ /૨૦૨૧ છે. એ હિસાબે નોટિસની અંતિમ મુદત ઉપરાંત દિવસ ૨૨ દિવસ થઇ ગયા હોય, સામાવાળાને વધારાનો દસ દિવસ નો સમય આપવો યોગ્ય નથી.
ખૈર
હું આપ સાહેબ ને નમ્ર વિનંતી કરૂ છું કે,
આવતીકાલે તા:- ૨૩/૧૨/૨૦૨૧ ના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આપ સાહેબ ના આદેશ મુજબ અમો તેમજ ચીફ ઓફિસર સાહેબ રૂબરૂ આવવાના છીએ, એ દરમિયાન કલેકટર કચેરી દ્વારા ચીફ ઓફિસર ને આદેશ કરી નગરપાલિકા દ્વારા આપેલ દસ દિવસ ની મુદત કેન્સલ કરી ને તત્કાલ પગલા લેવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે.
અથવા ચીફ ઓફિસર સાહેબને સામાવાળાએ આપેલ બાંહેધરી ના આધારે, ચીફ ઓફિસર સાહેબે અમોને આપેલી બાંહેધરી મુજબ સમય દિવસ ૧૦ એટલે કે તા:- ૧/૧/૨૦૨૨ સુધીમાં જો સામાવાળા દબાણ દુર ન કરે તો પોલીસ બંદોબસ્ત સાથે જવાબદાર અધિકારીની હાજરીમાં ડીમોલેશ કરી શ્રી કલેકટર કચેરી તેમજ અરજદાર ને જાણ કરવામાં આવે,
એવો આદેશ શ્રી નગર પાલિકા ચીફ ઓફિસર સાહેબને કલેકટર કચેરી દ્વારા આપવા આવે તેવી નમ્ર વિનંતી.!
અરજદાર :- પરેશ. મોહનલાલ. કતીરા.
સત્યમેવ જયતે
જય ભારત
જય હિન્દ
વંદે માતરમ્
મોનં. ૯૪૨૬૯૯૮૬૭૩
મોનં. ૮૩૨૦૦૫૬૩૭૦
No comments:
Post a Comment