વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
આ હકીકત સહજ સ્વીકારતા કહ્યું હતું કે,
આ પરમ ચરમ અખંડ અનંત સત્ય છે..!
જોનાર સાંભળ *નાર*કોય હોય,
તોજ સર્જન થાય અને,
તોજ સર્જક સર્જન કરી શકે,
"અનંત" કોઈને કોઈ માટે સર્જન કરે છે.
હર એક સર્જક.!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
No comments:
Post a Comment