વર્ષો પહેલા...
"અનંત" હું એક પ્રાકૃતિક પુરૂષ છું.! પુરૂષ હોવાના તમામ અપલખ્ખણ મારામાં છે.!
"અનંત"
આકલુ કહી અનંતે લખ્યું હતું કે,
ખરા અર્થમાં લગન એટલે,
ક્ષણેક્ષણ
હોઠેહોઠનું
કસકસતુ ચુંબન
લસલસતુ ચુંબન
ચસચસતુ ચુંબન
ધગધગતું ચુંબન
અને,
બાંહે બાંહો નુ
લગોલગ આલીંગન
ચપોચપ આલીંગન
ચસોચસ આલીંગન
બથોબથ આલીંગન
એટલે લગન અર્થાત્ લગ્ન.!
યોગાસન ના તમામ આશન બેશક્ક હશે ઉત્તમ..!
મગર સૌથી ઉત્તમ છે સેક્સાસન..!
યા ની સંભોગાસન.!
અર્થાત્
સંભોગ એ સૌથી ઉત્તમ યોગ છે.!
પ્રેમ પામવા એવં પ્રેમ આપવાનો
આ "અનંત" અલૌકિક પ્રયોગ છે..!
"અનંત"
આ Katira Paresh ની માલિકી નો માલ છે ...!
હું ક્યાં કૌ છું કે તમે પરાણે બોલો ,
કમાલ છે કમાલ છે...!
જન્મ કુંડળી મુજબ, મારા દાદા એ
આપેલા અસ્સલ નામ સાથે...
પુરુષોત્તમ...
તમે કહેશો નામ માં શું બળ્યું છે ..!
તો હું કશીશ કે એતો એને જઈને પૂછો તો ખબર પડે
જેને નામ બોળ્યું છે... :!
કોઈ સાધુડો બાફી મારે કે પછી કોઈ ગ્રંથમાં લખી નાખે,
એટલે એજ પકડીને ચાલવું મને નૈ ફાવે...!
"નામ છે એનો નાશ છે..! "
આ વળી જૂનું ને જાણીતું બીજું તિકડમ... :)
એ સાચું હોય તોય મને ફિટ ના બેઠું...
હાં એ હકીકત છે કે તમારા જેવા અક્ક્લ્મઠ્ઠા જીવનમાં કાઈ ઉકાળ્યા વિના ઉકલી ગયા હોય એનો નામ સહીત નાશ થઇ જાય ...
જો કે તો પણ પોતાનો પરિવાર અને નજીકના લોકો તો નામ સાથેજ યાદ કરે ..!
બાકી "નામ છે એનો નાશ છે..! " એવી મૂર્ખાઈ ભરી વાતો કરનાર અને સાંભળનાર બંને ને કહેવાનું કે , યાર્ર નાશ તો માત્ર શરીરનો થાય છે ...
મગર એ શરીર તો તેમ છતાં નામથીજ ઓળખાય છે..!
હર એક શરીરનું સરનામું તેનુ નામ હોય છે..!
એટલે નાશ માત્ર શરીર નો થાય છે
બાપલી, યાઆઆઆઅ....
બાયડી ભાયડા બંને ને એક સાથે કૌ છું.!
નામ તો યુગો સુધી જીવે છે ...!
અને આ વાત હું દાવા પુરાવા સાથે સાબિત કરી શકું છું..!
સાવ અમસ્તું જ ફેકંફેક નહીં ..!
રીતસર ના આધાર પુરાવાઓ સાથે...
એવા આધાર પુરાવાઓ કે તમે ઇનકાર નહિ કરી શકો ..!
કારણ કે તમે એ બધા ને આજે નામ સાથે જ યાદ કરો છો અને નામ સાથેજ પૂજો છો .!
કારણ કે તમે એ બધા ને આજે નામ સાથે જ યાદ કરો છો અને નામ સાથેજ પૂજો છો .!
બાકી નામ વગરના ઘણા આત્મા ભટકે છે. આ અનંત ભ્રહ્માંડ માં... માત્ર હુજ નહીં !
અને એવાઓને એટલે કે મારા તમારા જેવાઓ કોઈ યાદ પણ નથી કરતુ .!
કારણ કે તમે નામ સમેત નાશ પામો છો .!
કારણ કે તમે નામ સમેત નાશ પામો છો .!
અર્થાત , તમારી સાથે નામ હોવા છતાં તમારા કારને એનો પણ નાશ થઇ ગયો .. !
જો કે તો પણ પોતાનો પરિવાર અને નજીકના લોકો તો નામ સાથેજ યાદ કરે ..!
તો લ્યો આ થોડા એવા લોકોના પુરાવા જેમના શરીર તો નાશ થઇ ગયા છે મગર નામ આજે પણ અમર છે ..!
ઇતિહાસ તો ગવાહ છે જ...!
તમેજ કહો શું ગાંધીજી જીવે છે ...?
ક્રુષ્ણ ઈશુ ખ્રિસ્ત અને મહોમદ પયગંબર પણ શું હયાત છે...?
તમે ના કહેશો, તો હું હા કહીશ...!
સાવ અમસ્તું જ ફેકંફેક નહીં આધાર પુરાવાઓ સાથે...
એવા આધાર પુરાવાઓ કે તમે ઇનકાર નહિ કરી શકો ..!
કારણ કે તમે એ બધા ને આજે પણ નામ સાથે જ યાદ કરો છો અને નામ સાથેજ પૂજો છો .!
કારણ કે તમે એ બધા ને આજે પણ નામ સાથે જ યાદ કરો છો અને નામ સાથેજ પૂજો છો .!
ઘણા બધા ગાયકો , સંગીત કારો , ચિત્રકારો કલાકારો શું આજે જીવે છે ... ?
નહીં ને..! તો પણ એને સૌ નામથી
યાદ કરીયે છીયે કે નૈ...?
શું આ ફેકંફેક લાગે છે ???
તો પછી શું ભલા માણસ... ભલી સ્ત્રી.. :)
આ તો માત્ર ઉદાહરણ આપ્યું આવા તો અઢળક દાખલા, દ્છેરષ્ટાંત ,ઉદાહરણો છે .!
જે એના નામ અને કામ સાથે તમારે જાતે યાદ કરી લેવાના .. મારી પાસે ટેમ નથી..!
પણ, ! મર્યા પછી પણ જીવવા માટે
એવું કઈક કામ કરવું પડે... !
કે મર્યા પછી પણ દુનિયા યાદ કરે અને એના માટે સાર્થક પોતાનું નામ કરવું પડે..!
બાકી તો રોજ સેંકડો ગાય,ભેસ , બકરા ,કુતરા,ભૂંડળા બિચારા....
એમનેમ ગુજરી જાય છે.. !
એમનેમ ગુજરી જાય છે.. !
તમને એ કોઈના નામ યાદ છે...?
હોય તો ,યાદ ,હોય ને !હે કે નૈ...! ?
હોય તો ,યાદ ,હોય ને !હે કે નૈ...! ?
ટોમી/રોમિ/પોમી/જીમી/ સિમી/ કાળી/ ધોળી/ ...
આવા અપવાદ નામ ધારી કુતરા કુતરી બિલ્લિને માત્ર...
એના માલિકો યાદ કરે છે ! તમે કે હું નહીં ..!
એના માલિકો યાદ કરે છે ! તમે કે હું નહીં ..!
હવે તો હૌ ક્યો ...!
મફતમાં કૈ આટલું ઓછું ના કહેવાય...
જોકે મફત આપ્યું છે તો પણ!
મને તો ઘણું બધુ મળ્યું છે.!
શું મળ્યું છે શું મળે છે ?
શું મળ્યું છે શું મળે છે ?
મારો ફેરો કેમ ફળે છે.?
એ હું કોઈને નૈ કૌ..!
થોડી વાર પહેલા હાથ લાગેલો
Katira Paresh ની માલિકી નો માલ ...
ભાઈબંધ અનંત કહેતો કે, ભાગ્યની વાત છે .!
કે મારા જેવા ના લાયકને આપ્યા વિના મળી જાય છે "અનંત" એમનેમ ...
બાકી કોઈ અભાગી જીવનભર આપ્યા કરે તોય મળે નહીં ચપટીકય પ્રેમ....
"અનંત"
પુરુષોતમૂ....
શબ્દો "અનંત"ના હોય "અજ્ઞાની"ના હોય કે
મારા ...
( જોકે મારા ક્યારેક્જ હોય છે... )
( જોકે મારા ક્યારેક્જ હોય છે... )
કતિરા સતત એમાં કરતો રહે છે સુધારા વધારા...
ત્યાં સુધી ! કે જ્યાં સુધી શબ્દો જીવંત ના થાય....
તો, જ્યાં સુધી કે શબ્દો જીવંત ના થાય અને,
રચનાને અનુરૂપ જોઈતા ભાવ ના આવે ,
ત્યાં સુધી મને મૌજ ના આવે,
ત્યાં સુધી મને મૌજ ના આવે,
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ ના આવે ..!
અને એના માટે હું ચોરેલા ચિત્રોનો પણ
ઉપિયોગ કરું છું !
જ્યાં સુધી આત્માને ના થાય હાશ....
ત્યાં સુધી હું કરતો રહું છું પ્રયાસ...
કલ્પના માં જ્યાં સુધી કંપન ઉત્પન ના થાય ...
ત્યાં સુધી આ કતિરાનું કાર્ય સંપન્ન ના થાય ...
અને ત્યાં સુધી રહે મન બેચેન ...
દિવસ રાત મને આવે ના ચૈન....
આ પ્રવૃતિ કરવામાં મને ખૂબ મજા આવે છે ,
અને, જ્યારે સંપૂર્ણ આત્મ સંતોષ થાય ત્યારેજ મને,
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આવે છે!
અને, જ્યારે સંપૂર્ણ આત્મ સંતોષ થાય ત્યારેજ મને,
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આવે છે!
આ મારો પોતિકો આનંદ છે,
નીંદા વગરનો નિજાનંદ છે.!
અને હું એમ કરું છું.. કેમકે હું મને પ્રેમ કરું છું...!
અને હું એમ કરું છું.. કેમકે હું મને પ્રેમ કરું છું...!
તો ,થોડા દિવસ પહેલા રચાયેલા ચુંબનમાં -
મને કશુક ખૂટતું હોય એવું લાગતું હતું...
મને કશુક ખૂટતું હોય એવું લાગતું હતું...
શબ્દોમાં અને ચિત્રમાં બંનેમાં મને મજા ના આવી ....
આ ત્રીજો પ્રયાસ...
હવે થઈ મને હાશ.... :)
મે ફૂલ માંગ્યું તો મળ્યું ચુંબન ,
'ને ચુંબન માંગ્યું તો...???
ચુંબન .... ચુંબન .... ચુંબન ...
તું મને ચુંબનનો ઢગલો આપ..!
બે શરમ બની મે સીધુજ ચુંબન માંગ્યું ,
કારણ કે,
તે દિવસે મે માંગ્યું હતું ફૂલ ... !
તો એણે મને આપ્યું 'તું
હોઠેહોઠ નું ચસ ચસતું ચુંબન..!
અકલે પછી તો,
મેય શરમ મૂકી દીધી....
‘ને, સીધુજ કહ્યું મને ચુંબન આપ .!
તો, એણે પથારી પર ફૂલોની પાંદડી પાથરી દીધી ...
પુરુષોતમ...
*બ્લાસ્ટ* કતિરા કૃત...
ફૂલોની પાંદડી છોકરી પથારી પર ક્યારે પાથરે...
શું એ કહેવાની જરૂર ખરી...?
બસ તો પછી.... :)
ત્રીજા વિશ્વની આ દુનિયા ...
યાને આ સોસ્યલ મીડિયા...
જે નિવૃત છે , જેની પાસે સમય બચે છે,
તેના માટે ખૂબ સારૂ છે..!
પણ જે પ્રવૃત છે જેની પાસે અન્ય કામ છે
તેના માટે અતિ નઠારું છે.!
કિંમતી સમય બગાડનાર છે.!
આ તો મારુ માનવું છે ...!
હું તો નવ પછી સાવ નવરો છું...!
લે, તમારી મને થોડી ના ખબર હોય.. :)
પુરુષોતમૂ ....
મે ફૂલ માંગ્યું તો એણે આપ્યું ચુંબન-
'ને ચુંબન માંગ્યું તો,
એણે પથારી પર પાથરી દીધી ફુલોની પાંખડી...
અને પછી તો,
હોઠેહોઠના ચસચસતું ચુમાંબન, બાહોથી બાહોના કસકસતા આલિંગન સાથે
કર્યું અમે પરમ ચરમ અખંડ અનંત અલૌકિક પ્રેમનું સમાપન...
( અસ્સ્લ ભૂખ તરસની માફક.!)
જે ફરી ફરી પાછી લાગે છે, લાગવાની છે અને લાગશે .. :)
પુરુષોતમૂ ....
@@@@@@@@@@@@@@@@
જો ! મે માત્ર આ ફૂલ માંગ્યું 'તું.
તો એણે આ આપ્યું તું..!
આ રીતે કસકસતું ચુંબન ...
'ને મે પછી મે જ્યારે બે શરમ થઈ ચુંબન માંગ્યું તો,
એણે પથારી પર ફૂલોની પાંદડી પાથરી દીધી બોલ.!
એમ્માં હું શું કરું..! :)
અને પછી એ પ્યારી એ પ્રેમથી
પ્રેમની પથારી પાથરી..!
અને પછી મે પણ એના આખાયે
તનબદન પર મારો પ્રેમ પાથરી દીધો.!
(અસ્સલ ભૂખની માફક ભુખ દિવસ માં
ત્રણ ત્રણ વાર લાગે
અને ભુખ્યો ભોજન માંગે..!
તો પ્રેમ ની ભુખ તો હોય છે અનંત...
સ્ત્રી હોય કે પુરુષ
દીન આખો થોડો થોડો માગે પ્રેમ..!
મગર રાત પડ્યે પ્રેમની ભુખ વધુ લાગે
તો ભરપેટ અર્થાત્
મન ભરીને તન ભરીને પ્રેમ માંગે..!
છતાં ભુખ પેટની હોય કે પ્રેમની
બીજે દિવસે, રાતે ફરી લાગતીજ હોય છે ! )
પ્રેમ અને સેક્સ એક સીક્કા ની બે બાજુ હોય છે પ્રેમ અને સેક્સ સ્ત્રી અને પુરુષ ની માફક એક જાના પૂરક હોય છે.
પ્રેમ એક અનંત યાત્રા છે.! જેમાં એક સ્ત્રી અને પ્રેમ ની એક પુરુષ ને સમજણ સાથે આજીવન ની યાત્રા માં એકબીજાનો હાથ પકડી સાથે સાથે ચાલવાનું હોય છે.!
કોઈ જ મંજીલ નથી હોતી. ઘણા ઘેલસફ્ફા /ઘેલ સફ્ફીઓ ઓ સેક્સ ને પ્રેમ ની મંજીલ સમજે છે.! એવાઓનુ લક્ષ્ય જ સેક્સ હોય છે.! જ્યારે કે સેક્સ એ હકીકત તો એ છે કે સેક્સ આ જીવનની અનંત યાત્રા માં માત્ર એક પડાવ હોય છે વિસામો માત્ર હોય છે ..!
આ જીવનની સહ યાત્રામાં થોડા થોડા અંતરે આવતા પડાવમાં લેવાતો વિસામો,વિશ્રામ ...
યાની સાથે મળીને ભોગવેલો ભોગ યાની સંભોગ ...
તનમન ને પ્રફુલ્લિત કરી નવી સ્ફૂર્તિ ,નવી તાજગી નવી ઉર્જા આપે છે.!
સંભોગ બાદ પ્રફુલ્લિત થયેલ મન સ્ફૂર્તિ ,નવી તાજગી નવી ઉર્જા આપે છે.! એજ ઉર્જા આગળની લાંબી સફર તય કરવાની નવી તાજગી અને શક્તિ આપે છે .!
ટૂંકમાં અનંત પ્રેમ ની યાત્રા નો કોઈજ અંત નથી હોતો..!
પ્રેમ ની યાત્રા પણ પ્રેમ ની જેમ અનંત હોય છે.
પ્રેમ ની અન્ય કોઈ જ મંઝિલ નથી હોતી.!
પ્રેમની મંજીલ માત્ર ને માત્ર પ્રેમ જ હોય છે.!
આ બધુ અસ્સલ ભૂખ જેવુજ સુખ કે દૂ:ખ હોય છે ..!
ભૂખ તો આખરે ભુખજ હોય છે ને...?
એક વાર જમ્યા પછી જીવનભર ભુખજ ના લાગે ,
એવું તો નથી જ હોતું ને...?
તો પછી...!
બાકી ઓશો ભલેને સેક્સના સંદર્ભમાં બાફી ગયા હોય કે,
એક વાર જે ભાવતું હોય જેની ભૂખ હોય તે ભરપેટ ખાઈ લ્યો...
પછી ઈચ્છા જ નહીં થાય...
અરે મારા ભાય ઓશો એવું ના હોય....
તમારા ચેલાઓ ભલેને તમારી વાત ઘેલાઓની માફક સ્વીકારે ... હું નૈ સ્વીકારું...!
હું એવા અંધ ભક્ત નથી કે થોડી કહેનાર કોઈ પણ હોય, અને કાય પણ કહે, અને હું મૂર્ખાઓની માફક એના પ્રભાવ માં આવી ને એ જે કહે તે
આંખ બંધ કરીને સ્વીકારી લૌ.
અંધ ભક્તો ની એજ તો નબળાય હોય છે.
કે તે પોતાની બુદ્ધિ ગીરવે મુકી કોઈ પણ સાધુ બાવા ના પ્રભાવમા તુરંત આવી જાય છે.!
પછી એ સાધુ બાવો જે કહે લખે બોલે તે
બ્રહ્મ વાક્ય ગણી એનાજ ગુણગાન ગાયા કરે છે.
અને પાચ તો એવા પ્કોરભાવમાં આવી જાય કે ખુદ નો ભાવ સ્ઈવભાવ પણ ભૂલી જાય
અને જ્યારે મારા જેવો કોઈ, અથવા સમજો ને હુજ
અગર ખુદના મગજ નો સાચો ઉપયોગ કરનાર
એ બાવાના કોઈ વાક્ય જેને તે બુદ્બાધિના બળદિયા બ્બરહ્તેમ વાક્ય ગણતા હોય, તેના એ વાક્ય વિષે જે ખરેખર વાંકુ ચુંકુ હોય એ બાબતે સીધું સટ્ટ અને ચોખ્ખું ને ચટ્ટ સંભળાવી દઈએ અને એ બાવા ના માનેલા બ્રહ્મ વાક્ય નું સીનસટ અર્થાત્ ઈનસટ કરે તો એ અંધા અને અક્કલ મઠ્ઠા વગર વીચાર્યે વીરોધ કરવા લાગે છે. !
ખૈર હું મગજથી દેખતો છું માટે કહું છું કે,
હાં એ વાત અલગ છે કે એ પછી એટલે કે,
સંભોગ બાદ મન અને તન
યાની શરીર....
યાની શરીર સાથે જોડાયેલા અંગેઅંગ
યાની તમામ અંગો
એટલાં હળવા ફૂલ થઈ જતાં હોય છે કે,
પ્રાર્થના માં કે ધ્યાનમાં બરાબર નું ધ્યાન લાગી શકે છે...!
પણ એ પછી ફરી ભૂખ તો લાગેજ છે ને.? કે નહીં...?
જોકે આવી ગાલાવેલી વાત
સૌ ગાંગલા એવં ગાલાવેલા
ખૂબ તાલાવેલી થી સાંભળી સાંભળીને
સૌને કહેતા ફરે ત્યારે મને, હસવુ નથી આવતુ
મગર અટ્ટહાસ્ય ઉપજે છે.
બાકી ભાઈબંધે તો વર્ષો પહેલાં જ કહ્યું હતું કે,
"અજ્ઞાની" શરીર ના નોખા નોખા અવયવોની
નોખી નોખી ભુખ નોખી નોખી તરસ હોય છે.
હાં એ વાત નોખી છે કે અવસ્થા એ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય શરીરની તો ભુખ ન લાગે ઉંઘ ન આવે ઉત્થાન ન થાય એવુ બને એ વાત નોખી છે..
બાકી તમામ રીતે તંદુરસ્ત તન મન હોય એ એકવાર ભાવતું ભોજન પેટ ભરીને કાય પછી હંમેશને માટે એનાથી ધરાય જાય એ વાત મા માલ નથી..!
જ્યારે ઓશોની વાત નિકળીજ છે તો ઓશો આશ્રમમાં આશ્રય લેવા જતાં ઓશો ઘેલા /ઘેલી વિષે પણ થોડું સત્ય ઉજાગર કરવાની મને મજા આવશે ...
જોકે ઓશો ભગતોને કે ભગતાણી ઓને કદાચ આ પોલ ખુલશે એ નૈ ગમે ..!
તો મ હું કોઈને ગમવા ગમાડવા નથી બેઠો ...
મને જે ગમે અને અંતરની આંખે જે દેખાય તે હું કહું છું ...
તો ઓશો ઘેલા અંધ ચેલા ચેલી તેના આશ્રમમાં લાખો લોકો કાઇ
"એકાદ બે અપવાદ બાદ કરતાં " ત્યાં યોગ કે ધ્યાનનું જ્ઞાન લેવા નહોતા જતાં...
મોટા મોટા કરોડ પતિઓ/પત્નીઓ. કે પછી
ફિલ્મી દુનિયાની નામી હસ્તીઓ ..
સેંકડો સ્ત્રી પુરુષો ત્યાં અઢળક રૂપિયા ની ફી ભરીને અથવા ત્યાં દાન કરીને ત્યાના દાતા બનીને માત્ર ને માત્ર ઓશો આશ્રમમાં
યોગ કે ઘ્યાન નું જ્ઞાન લેવા નહોતા જતાં બલ્કે...
એક ખાસ વજહ હતી ત્યાં જવાની ...
અને એ વજહ , એ કારણ એ હતું કે,
ધ્યાનના ભાગ રૂપે સંભોગથી સમાધિ
એવા રૂપાળા નામ સાથે ત્યાં રોજ ...
એક સમયે એક સાથે એક વિશાળ હોલમાં
સ્ત્રી અને પુરુષો ને સાથે મળીને ત્યાં કણે નાગાનાચ
કરવા મળતા અર્થાત્
નગ્ન થઈને હાં સાવ કરતાં સાવ
નિશ્વસત્ર થઈને મસ્તી થી નાચવા મળતું...
અને માત્ર નાચવાનું જ નહીં બલ્કે જેને જેની સાથે મન પડે તેની સાથે સેક્સ યાની સંભોગ કરવા પણ મળતું ...
આ એક અતિ આકર્ષક કારણ હતું જે સેક્સ ના શોખીન સ્ત્રી પુરૂષોને
ઓશો તરફ તેમજ તેના આશ્રમ તરફ ખેંચી જતું ...
જોકે હું ઓશો વિરોધી પણ નથી જ...
કે ના તો મને ઓશોની લગીરે ઈર્ષા આવે છે ...
કેમકે હું ખૂબ સારી રીતે જાણું છું કે,
એ એના હિસાબમાં હતું ...
જો કે હું એના વિષે જાજુ નથી જાણતો તો પણ કબુલ કરું છું, આત્મા થી સ્વીકારું છું કે,
એ ખુબ બુધ્ધિશાળી વ્યક્તિ હતા તેની તર્ક શક્તિ પણ ખુબજ સતેજ હતી ..!
પણ એનો અર્થ એવો હરગીઝ નથી કે હું પણ મૂર્ખાઓની માફક તેની તમામ વાત માર્રી બુદ્ધિની આંખે પાટો બાંધીને સ્વીકારી લઉં.
અને હાં સારા સારા લોકો /લોકી અને મોટી મોટી હસ્તી અને હસ્તીણીઓ ના કપડા જાહેરમાં ઉતરાવી નાખવા અને નાગડા પૂગળા કરી ને જાહેરમાં નચાવવા એ કાઈ જેવીતેવી વાત નથી.!
સારા સારા લોકો /લોકી અને મોટી મોટી હસ્તી અને હસ્તીણીઓ ના કપડા જાહેરમાં ઉતરાવી નાખવા અને નાગડા પૂગળા કરી ને ખુલ્લે આમ જાહેરમાં નચાવવા અને જાહેરમાં નાગા નાચ કરવા આકર્ષવા માટે પણ..! ખુદમાં એવું આકર્ષણ હોવું, વાણીમાં ચુંબકીય તાકાત હોવી ,
વિચારોમાં તર્ક શક્તિ અને અંતમાં આ બધુ જાહેર માં જાહેર "કરવા કરાવવાની "
હિમ્મત પણ જોઇયે....
એટલે કે ઓશોમાં આ બધુજ હતું ...
જેના જોરે એ ખુદ અઢળક સ્ત્રીઓને ભોગવી શક્યો ખુલ્લે આમ ...
એટલે ધર્મ ની આડમા કુકર્મ કરતાં આસારામ
જેવા અસંખ્ય ભોગી લાલો કરતાં ...
ઓશો સો દરજે સારો.!
કારણ કે એણે ખુલ્લે આમ જે કહ્યું તે કર્યું ...
બાકી તો પ્રકૃતિના નિયમથી વિરુધ્ધ જીવાય
તો તકલીફ તો પડેજ..!
અને એના નિયમ મુજબ જે હોવું જોઇયે
જે થવું જોઇયે એ ના થાય...
તો એ પણ એક જાતની બીમારીજ કહેવાય ...
દાખલા તરીકે કોઈને ભૂખ ઓછી લાગે
અથવા નાજ લાગે તો ,
તુરંત માણસ ડોક્ટર પાસે જઈને ફરિયાદ કરે છે કે,
સાહેબ આજકાલ ભૂખ બિલકુલ નથી લાગતી ...
ભૂખ લાગે એવિ કોઈ દવા ટેબલેટ લખી આલો ને... !
એજ રીતે અતિ ખા,ખા કરવાનું મન થાય,
એ પણ બીમારીજ કહેવાય ...
એ જાણવા છતાં કે ચરબીના થરના થર શરીર પર-
જામતા જાય છે ...
તો પણ ખા, ખા થાય છે તો,
સમજુ માણસ ડોક્ટર પાસે જશેજ !
તો પછી ...
આખરે તો આ બધી સમસ્યા શરીરમાં
સતત ફેરફાર થતી -
રાસાયણિક પ્રક્રિયાનુજ પરિણામ હોય છે..!
કોઈ પ્રક્રિયા વહેલી થાય તો પણ તકલીફ -
અને મોડી થાય તો પણ તકલીફ ...
મન એવં તનમા યાની શરીર માં આવા બધા ફેરફાર થવા પાછળ વાતવારણ અને ખોરાક સિવાય ...
વિચાર અને દ્રશ્ય પણ મોટો ભાગ ભજવે છે...
અપવાદ બાદ કરતાં, હર એક દરદની દવા અને ઈલાજ હોય જ છે ...!
કરવો , કરાવવો કે ના કરવો એ ,સૌની પોતાની ઈચ્છા અને મરજી પર આધાર રાખે છે .
પણ એક ના ભોગે બીજા ને દૂ:ખ આપવું એ પણ આમ તો અપરાધ જ કહેવાય ...
મતલબ કે તમારી કોઈ પણ બીમારી ના કારણે જો તમારું સ્વજન , કે સાથી પરેશાન થતું હોય ..
અને તમે માત્ર તમારોજ વિચાર કરો છો અને ઈલાજ હોવા છતાં નથી કરાવતા તો... તમે છાનો છુપો અપરાધજ કરો છો એમ સમજજો ...!
સાધુ બાવાઓની વાતમાં બૌ આવવું નૈ...
વ્યાસ પીઠ પર બેસીને દુનિયાને કામ,ક્રોધ ,લોભ,મોહ, ત્યાગવાની ,
અને બ્રહ્મ ચર્ય પાડવાની વાતો કરતાં એ બધા ભોગી લાલો જ હોય છે ...
કથા કરતાં કરતાં જેમની નજર સ્ત્રીઓના -
સુડોળ સ્તન પરજ ફરતી હોય છે ...
અને અવસર આવ્યે એ ભોગી લાલો -
ભોગ લીલા કરતાજ હોય છે ..!
પુરાવા આપવાની જરૂર ખરી ...?
આવા બકવાસ કરતાં ભોગીલાલો -
બકવાસ કરવામાં એટલા તલ્લીન થઈ જાય છે કે...
એ ડોબાઓ એ પણ ભૂલી જાય છે કે...
એમના પિતાશ્રીને પણ સંભોગનો મોહ
જાગ્યો હોય છે !
એને પણ મોહ વશ ભોગીલાલની માતૃશ્રી ,
એટલેકે ભોગીલાલના પિતાની પત્ની એટલે કે,
ભોગીલાલની માતૃશ્રી ને ભર પેટ ભોગવી હોય છે!
એ ભોગીલાલ ઉપરાંત બીજા પાંચ સાત એટલે કુલ
મળીને તેર ભોગી ભગિની સંભોગ કર્યા પછીજ
અને સંભોગ કરવાથીજ પેદા થયા હોય છે.!
અક્કલ વગરનાઓ એ ભૂલી જાય છે કે,
એના સિવાય એના પિતાના ભોગે
બીજા પાંચ સાત ભગિની અને ભોગી લાલ પણ છે !
અગર જો એ જે જ્ઞાન આમ તો જોકે અજ્ઞાન
આખા જગતને આપે છે , એજ જ્ઞાન એના પિતાને થયું હોત તો.!?
બીજા બધા તો ઠીક પણ એ પોતેજ આવા લવારા કરવા આ દીનીયામાં આવ્યા ના હોત...
જો એના પિતાશ્રીએ ક્રોધ કરીને ભોગીલાલને -
વઢી વઢિને ભણાવ્યો ના હોત તો તે પોતે -
અત્યારે ગામની હાલી ખાંડતો ના હોત...
જો કે આમાં પણ નેતાઓની જેમજ
ભણેલા કરતા અભણ જાજા ફાવી જાય છે.!
અગર એની માતાએ કામનો ત્યાગ કર્યો હોત તો -
એ પોતે ગામની ભામની બુધ્ધિ ભ્રષ્ટ ના કરતો હોત...!
વ્યાસ પીઠ પર બેસીને દુનિયાને કામ,ક્રોધ ,લોભ,મોહ, ત્યાગવાની ,
અને બ્રહ્મ ચર્ય પાડવાની વાતો કરતાં એ બધા ભોગી લાલો જ હોય છે ...
બાકી જે ખરા જોગી લાલો છે ,
એ તો ક્યારના જંગલમાં ચાલ્યા ગયા ...
એકજ ગુફામાં યુગો વિતાવી નાખ્યા...
આ જે જાહેરમાં ભટકે છે એ જોગી લાલ નહીં ..!
ભોગી લાલ હોય છે , ભોગીલાલ....
*બ્લાસ્ટ*
અંતમાં વર્ષો પહેલા અનંતે કહેલી વાત....
"અનંત" કહેતો કે,
સાચા પ્રેમીની નજર નારીની નાભી નીચે નથી જતી.
અને કામી ની નજર નારીની નાભી ઉપર નથી જોતી.
આટલુ કહી અભણ અનંતે ભણેલા ના ભેજામાં
સરખુ ઉતરે એ આશયે વીસ્તાર પુર્વક સમજાવતા
લખ્યું હતું કે,
પ્રેમમાં જે પુરુષની નજર ,સ્ત્રીની નાભીની
ઉપરના ભાગ પર ઠરે છે , ફરે છે તે...
નજરથી જે પુરુષ ની આંખો
માત્ર સ્ત્રીની નાભીના ઉપલા તમામ હીસ્સાને
સ્પર્શે છે તે સાચો સાચ પ્રેમી પુરુષ હોય છે..!
બાકી જે પુરુષની નજર સતત સ્ત્રીની નાભીની -
નીચેના ભાગ પર ફરે છે , ગંદી નજર કરે છે તે...
અને ગંદી નજરથી માત્ર સ્ત્રીની
નાભીના નીચેના હિસ્સાને નીરખે છે તે,
કામી પુરુષ હોય છે... !
અર્થાત્ નકામી વ્યક્તિ હોય છે એ.
કામી પુરુષના વિચાર સતત નાભી નીચેના હોય છે .
પ્રેમી પુરુષના વિચાર સતત નાભી ઉપરના હોય છે.
કામ યાની સંભોગ સુધી તો અંતમાં
બન્ને ને પહોંચવાનુજ હોય છે ...
મગર એકમા પવિત્ર પ્રેમ સાથે હોય છે.
બીજામાં માત્ર વીક્રુતી અને વાસના હોય છે.
પ્રેમ અને સેક્સ એક બીજાના પૂરક હોવા છતાં ..!
પણ પ્રેમી માટે પ્રથમ પ્રેમનું અને
પછીજ સેક્સ નું મહત્વ હોય છે...
પ્રેમી 💑 પ્રેમ સહિત અને પ્રેમ પછી
કામ યાની સંભોગ તરફ પ્રયાણ કરે છે .
જ્યારે મનના રોગી એવા ભોગી ને મન
શરીર સિવાય કશુજ મહત્વનુ નથી હોતું ...
"અનંત" આવુજ સ્ત્રી માટે પણ સમજી લેવાનું ..
માત્ર સ્ત્રી ના શરીર ભોગવી લેવામાં માનતા હોય,
સ્ત્રી ના મનમાં એવા પુરૂષનુ અસ્તિત્વ માત્ર ને માત્ર
શરીર સુધી સીમિત રહે છે.
એવા પુરૂષો ક્યારેય....
સ્ત્રી ના આત્મા ને સ્પર્શી નથી શકતા..!
જ્યારે કે પ્રેમમાં સ્ત્રી પુરૂષ બંને એ
એકબીજાને પ્રથમ અને આજીવન
આત્મસાત કરવા પડે છે.
આવા જીવન સાથી ભાગ્યે જ હોય છે.
કે જોવા મળે છે.
બાકી ભાઈબંધે તો વર્ષો પહેલાં જ કહ્યું હતું કે,
"અજ્ઞાની" શરીર ના નોખા નોખા અવયવોની
નોખી નોખી ભુખ નોખી નોખી તરસ હોય છે.
"અજ્ઞાની"
હાં એ વાત નોખી છે કે અવસ્થા એ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય શરીરની તો ભુખ ન લાગે ઉંઘ ન આવે ઉત્થાન ન થાય એવુ બને
એ વાત નોખી છે..!
બાકી તમામ રીતે તંદુરસ્ત તન મન હોય અને ધરાય જાય એ વાત મા માલ નથી.
"અજ્ઞાની"
&&&&&&&&&&&&&&&&&&&&&
પ્રેમ એ સફર છે અને સેક્સ માત્ર પડાવ ....
પ્રેમની અંતિમ મંજીલ સેક્સ હોય છે,
એવું ના કહી શકાય ....
કેમકે એ માત્ર પડાવ છે અને, પડાવ પર
કોઈ કાયમી મુકામ ના સ્થપાય ...
પ્રેમ અનંત યુગોનો પ્રવાસ છે.
આ પ્રવાસનો કોઈજ અંત નથી ...
અને પ્રેમના આ પ્રવાસ માં પ્રેમના આ સફરમાં
સ્ત્રી કે પુરૂષ કોઈ એકલું ચાલી નથી શકાતું ...
"અનંત"
*બ્લાસ્ટ*
જો નજર સામે સુંદર સ્ત્રી હોય અને
તો પણ કોઈ પુરુષ એનાથી આકર્ષિત ના થાય તો,
એ પુરુષ નૈ હોય બીજી કાં'ક હશે.
યા તો એ કોઈ માનશિક બીમારીનો શિકાર છે !
અથવા એનામાં કોઈ બીજીજ ખામી છે !
અથવા તો એ પુરુષ છેજ નહીં !
સ્ત્રી પણ નથી !
તો એ શું છે ?
સ્ત્રી કે પુરુષ સિવાય.?
એ ત્રીજુજ કઈક છે એમ સમજવું...!
અહી માત્ર સહજ આકર્ષણની વાત છે .
અટક ચાળા કરવાની વાત નથી ...
કે ના તો બળાત્કાર કરવાની વાત છે !
પુરુષ હોય અને પુરુષ વેળા ના કરે તોજ નવાઈ !
મગર !
ઈચ્છા વિના તો કોઈ પણની સાથે અડપલાં કરવા -
એ બળાત્કાર કર્યા બરાબરજ છે !
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે,
સુંદર સ્ત્રીને જોવી એ કોઈ અપરાધ નથીજ અગર
ન જુવો તો સુંદરતાનુ અપમાન થાય
અને સ્ત્રી નુ મન પણ દુભાય
માટે સુંદર સ્ત્રી ને નીર્દોષ નજરે જરૂર જોવાય
મગર સ્ત્રી ની ઈચ્છા વગર એને અડવુ
એ અપરાધ છે.!
માટે ખોટી ખીલોઠોકી સોર્રીઈઈ...
ફિલોફોફી સોર્રીઈઈ...
ફીલોસોફી કરવી નૈ ..!
પુરુષોતમૂ ..
સ્ત્રી વિના જે રહી શકે ,
જીવી શકે એ,
બીજું કઈક હશે ,પણ પુરુષ તો નૈયજ હોય....
આવું અનંતે વર્ષો પહેલા ત્યારે કહેલું જ્યારે...
રાબેતા મુજબ વર્ષો પહેલા અમે રાત્રે મળ્યા હતા...
જી હાં !
હું અનંત અને અજ્ઞાની વર્ષો પહેલા...
રોજ રાત્રે ખંડેર મધ્યે મળતા અને પછી...
ગરમીના દિવસોમાં મોડી રાત સુધી
ગરમા ગરમ ચાય પીતા પીતા ...
ટાઢા પોરની હાંકતા ...
બસ હાંક્યેજ રાખતા હાંક્યેજ રાખતા...
વાત વાતમાં પછી ક્યારેક ક્યારેક
ગરમા ગરમીમાં
ઉપર થઈ એવિ ગરમા ગરમ
વાતો પણ થઈ જતી...
"અપવાદ બાદ કરતાં "
જ્યારે એક,બે,કે ત્રણ પુરુષ દોસ્ત ભેગા મળે ત્યારે....
ભાગ્યેજ એવું બને કે,
એ લોકો વચ્ચે સ્ત્રી અથવા પ્રેમ વિષે વાત ના થતી હોય ...
આ રીતે જ્યારે બે,કે ત્રણ સ્ત્રી સખીઓ મળતી હશે
ત્યારે એ શું વાતો કરતી હશે ..?
એ મને શું ખબર કેમકે હું સ્ત્રી નથી...!
અનંતે જ્યારે ઉપર મુજબ વાક્ય કહ્યું પછી ....
ચાયની ચૂસ્કી સાથે મે અનંત ને પૂછ્યું કે ....
અનંત તો હવે તું મને એ કહે કે ....
અગર કોઈ પુરુષ સ્ત્રી વગર રહેતો હોય,
જીવતો હોય કે કોઈ સ્ત્રી પુરુષ વીના
એકલી રહેતી હોય તો ... ?
અનંત મુંજાયો....
ત્યારે દાઢી પર હાથ પસારતા પસારતા અજ્ઞાનીએ કહ્યું ...
પરિયા....
એ કદાચ મજબૂર હોય શકે ....
એ સીવાય ઘણી સ્ત્રીઓ પુરૂષ સાથે રહેવા છતાં
એકલી હોય છે.! એવુજ પુરૂષ માટે પણ સમજવુ.
અને, ઘણી એવી સ્ત્રીઓ જે પુરુષ સાથે
નથી રહેતી હોતી મગર
ગમતાં પુરૂષને પોતાની ભીતર
કેદ કરી ને જીવતી તેની સાથે
મૌજથી મન મરજી મુજબનુ જીવન જીવતી હોય છે.
જે તમામ રીતે અપુર્ણ હોવા છતાં
પુર્ણતા નો અલૌકિક અહેસાસ સાથે
જીવતી હોય છે.
કોઈ કોઈ પુરૂષ પણ
આટલુ વદી અજ્ઞાની મૌન થૈ ગયો....
તે દિવસે રાત્રે તો અમે આવી બૌ બધી હાંકેલી ....
પણ પછી બાજી બગડે એ પહેલા સંકેલી....
અમે ત્રણેય સૂઈ ગયેલા..
*બ્લાસ્ટ*
હું "અનંત" સંતોષ પુર્ણ જીવન જુવુ છું મગર મને
પ્રેમથી ક્યારેક સંતોષ નથી થયો અને થશેજ નહીં.
કારણ કે પ્રેમમાં સંતોષ એટલે જીવનનો અંત.
જીવનન અંત જીવ્યા પહેલા થાય એ મને મંજૂર નથી.
કારણ કે પ્રેમ છે તો જીવન છે.
"અનંત" પ્રેમ નથી તો કૈજ નથી...!
"અનંત"
બાકી ભાઈબંધે તો વર્ષો પહેલાં જ કહ્યું હતું કે,
"અજ્ઞાની" શરીર ના નોખા નોખા અવયવોની
નોખી નોખી ભુખ નોખી નોખી તરસ હોય છે.
હાં એ વાત નોખી છે કે અવસ્થા એ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય શરીરની તો ભુખ ન લાગે ઉંઘ ન આવે ઉત્થાન ન થાય એવુ બને
એ વાત નોખી છે..
બાકી તમામ રીતે તંદુરસ્ત તન મન હોય અને ધરાય જાય એ વાત મા માલ નથી.
"અજ્ઞાની"
* બ્લાસ્ટ*
"અનંત" મુર્ખ સાધુ બાવાઓ
જેના થકી આવ્યા જગતમાં
એને જ ગંદુ કહે છે ચંદુઓ.!
એક સ્ત્રી અને એક પુરુષે કરેલા
સંભોગ થી જન્મેલા
કેવા મન મેલા રે...ઘેલા કેવા મન મેલા...
"અનંત"
*બ્લાસ્ટ*
ઊલટાની ભુખ બમણી વધે ને તીવ્ર થાય..!
સપનામાં ભોજન કરવા થી પેટ ના ભરાય.!
સ્થુળ ને જાણ્યા વીના શુક્ષ્મ ને જાણી ના શકાય.!
"અનંત" સપનામાં સંભોગ કર્યે સંતાન ન થાય.!
"અનંત"
*બ્લાસ્ટ*
હું તો નજ માનું.!
ગમે તેવો જ્ઞાની કેમ ના હોય તેમની તમામ વાતો અક્કલ ના આંધળા થઈ માની લેવાની ના હોય, પછી વાત મારી હોય તોય શું..!? જો કે હું તો જ્ઞાની છુંજ નહીં.!
શું એકવાર ભર પેટ ભોજન લીધા પછી તમને ફરી ભુખ નથી લાગતી.? ભાવતી વાનગી પણ ભર પેટ ખાધા પછી શું કાયમી ધોરણે એ ખાવાનું બંધ કરી દેવામાં આવે છે.?
અરે સવાર બપોર રાત દિવસ તૈણ તૈણ વાર પેટ ભરીને ઠુસ્યા પછી પણ ક્યારેક ભુખ લાગે ત્યારે માણસ હોય કે માણસી અર્થાત્ નર હોય કે નારી કટકબટક કરતાં હોય છે. તો પછી આવી બકબક નો મતલબ શું..?
કે એકવાર ભરપુર ભોગવી લો પછી ભોગવવાની ઈચ્છાજ નહીં થાય..!
કહેતા ભી મુર્ખ
સુનતા ભી મુર્ખ
ઔર કરતાં તો મહા મુર્ખ
અર્થાત્
આવુ કહેનાર ને સાંભળનાર તો મુર્ખ છેજ..!
મગર કહેનાર નું માનીને કરનાર મહા મુર્ખ છે.!
હાં તબીયત માં લૌચા હોય જઠરમાં લૌચા વળતાં હોય તો ભોજન થી અરૂચી થાય...
પણ તો શું પછી એ કાયમ ખાધાપીધા વીનાનો ભુખ્યો મરશે .?
કે પછી ઈલાજ કરાવશે..?
ફરી સરખી ભુખ લાગે અને ફરી તૈણ ટેમ ખાય શકે.!
બસ આજ વાત સંભોગને લાગુ પડે છે.!
પ્રાણી માત્ર ને ઈશ્વરે આપેલી તમામ પ્રકારની ભુખ તરસ ને ભગતડા થવાની લ્હાયમાં અવગણનાર આ પૃથ્વી પર નું એક માત્ર પ્રાણી માણસ છે.!
એ સીવાય કોઈ એક તો પ્રાણી શોધી બતાવો.!
જે સંભોગની અવગણના કરતું હોય..
લ્યા મુર્ખ પામર "અજ્ઞાની" માનવી...
ઈશ્વર ને પામવા ઈશ્વરે આપેલ ભેટ નેજ અવગણશો.?
તો ઈશ્વર ને જાણી પામીજ નહીં શકો.!
ઈશ્વર ને પોકારતા પહેલા ઈશ્વરે તમને તમારાજ આનંદ માટે આપેલી તમામ પ્રકૃતિગત ભેટને તો સમજો સ્વીકારો...
"અજ્ઞાની"
બાળકો પેદા કરવા,
અને બાળકો પેદા થઈ જવા,
એ બંને મા બડો તફાવત છે.
તમે માત્ર મનોરંજન ખાતર સંભોગ કરો છો ત્યારે,
ક્રમશ બાળકો પેદા થઈ જતા હોય છે.
જ્યારે પુર્ણ સુજબુજ, સમજદારી એવં જવાબદારી સાથે આગોતરી સજ્જતા પુર્વક સંભોગ થકી જે બાળકો પેદા થાય છે તેને બાળકો પેદા કર્યા કહેવાય...!
માં બાપ થવુ એ જીવનની જીવનના અંત સુધીની સૌથી મોટી જવાબદારી છે.
"અનંત"


.jpg)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment