ઈવડા ઇ બેઉની વાણી ...
*બ્લાસ્ટ* 1 “અજ્ઞાની”
ક્ષણ ક્ષણનો ગૂઢાર્થા જો તું સમજે તો...
નબળી સબળી ક્ષણો તો સતત જીવનમાં આવતી હોય છે.
ત્યારે જો તું મૌન રહેવાનો નિર્ધાર કરી શકે.
‘ને મૌન રહી તું ક્ષણભર, ક્ષણ ક્ષણ પર, હર એક ક્ષણ પર-
જો શાંત ચિતે તું મનન કે વિચાર કરી શકે.
તો, “અજ્ઞાની” હર ક્ષણ ,ક્ષણ, ભંગુર છે, એ તને સમજાશે.
ક્ષણો તો આવશે ને જશે ,
પણ ! જો તું મક્કમ મને,
એકા’દ નબળી ક્ષણ પણ જો શાંતિથી પસાર કરી શકે...
તો અંધકાર થતો અટકાવી શકે ‘ને સવાર કરી શકે.
“અજ્ઞાની”
*બ્લાસ્ટ*2 “અનંત”
“અનંત” હું કશીજ ફરિયાદ નથી કરતો..!
એનો અર્થ એ નહીં કે યાદ નથી કરતો..!
"અનંત"
"અનંત"
"હર એક ક્ષણ ક્ષણ ભગગુર હોય છે "
જો,કે, હું આ વાત સાથે બિલકુલ સહમત નથી....!
કેમકે એ ક્ષણો જ સાથે આવતી હોય છે..!
ભાઈબંધ હોય તો શું થઈ ગ્યું....
"કતિરા"
ભાઈબંધ હોય તો શું થઈ ગ્યું....
"કતિરા"
વર્ષો પહેલા જ્યારે મે તેના ઉપર મુજબના શબ્દો સાથે અસહમતી દર્શાવી ત્યારે...
અજ્ઞાનીએ મૂછમાં મર્માળું હસતાં હસતાં ,શબ્દો પર ભાર દઈ ખૂબ ધીરેથી કહ્યું હતું...
હાં પરિયા...! હું જાણું છું !
પણ તું ભારે અધિરો છે .
"ઉતાવળિયાને અધૂરું સમજાય"
જોકે આ તો તું જિજ્ઞાસુ છે મારો દોસ્ત છે , માટે, તારી પાછળ સમય બગાડું છું.
'ને મને જે સમજાયું છે એ તને સમજાવવા પ્રયાસ કરું છું.!
બાકી હું જાણું જ છું કે જાત અનુભવે જ માણસ માત્રને બધુ, વધુ ,'ને ખરું સમજાય છે .
એમાં તારો વાંક નથી મોટા ભાગના લોકો વાતનું ઊંડાણ કે મર્મ સમજ્યા વિના અભિપ્રાય આપે છે .
અને સહમતી કે અસહમતી કઈ પણ ઉતાવડે ઉતાવડે પ્રદર્શિત કરતાં હોય છે ...
અજ્ઞાનિની વાત સાંભળી હું ઝંખવાણો પડી ગયો...
પછી મે નીચી મુંડીએ કહ્યું ....
તારી વાત સાચી છે , મે પૂરું સમજ્યા વિના બાફયુ છે...
ખૈર ,,,, તું સમજાવ..!
ત્યારે એણે કહ્યું.
પ્રથમ તો એ સ્પષ્ટતા કરી લઉં કે ...
આ બધુ સમજવું કે મનને આ રીતે કેળવવું એટલું સરળ નથી પરિયા...!
જેટલું લખવું કે બોલવું છે. આ બૌ અઘરું છે...!
હવે સમજવા પ્રયાસ કર પરિયા..!
કે મારાથી જ્યારે લખાઈ ગયું કે ક્ષણ , ક્ષણ ભંગુર છે .
તો જરૂર એમજ હશે નૈ તો આવું લખાય નહીં ...
પછી બૌ મનન મંથન કરતાં સમજાયું કે ...
ક્ષણ માત્ર ક્ષણ ભંગુર જ હોય છે ...
કિન્તુ એ સારી ખરાબ ક્ષણની અસર ક્ષણ ભંગુર નથી હોતી...
કોઈ સુંદર ક્ષણે કોઈના મુખેથી બોલાયેલા પ્રેમાળ શબ્દો. કે સુવાળો સ્પર્શ ..
એ શબ્દો ને સ્પર્શ થકી હ્રદયમાં ઉઠેલા શરીરે અનુભવેલા મનને ઝણ ઝણાવતા સ્પંદનો...
એ ક્ષણની માફક ક્ષણીક નથી હોતા...
યુગો સુધી એ સ્પંદનો છેક ઊંડે ઊંડે સંઘરાયેલા રહે છે ....
જ્યારે જ્યારે એ યાદ આવે છે ત્યારે ત્યારે હ્રદય,,મન, ને શરીર રોમાંચિત થઈ ઊઠે છે...
જેવુ તે સુંદર ક્ષણે થયું હોય છે
એજ રીતે કોઈક નબળી ક્ષણમા કોઈના મુખેથી ઉચ્ચારાયેલા પીડા આપતા શબ્દો....
કે પછી શરીર પર થયેલા પ્રહારો ની વેદના પણ ...!
ભીતર છુપાઈ ને પડી રહે છે ... !
જ્યારે જ્યારે આવી ક્ષણો યાદ આવે છે ત્યારે હ્રદય માં એવિ જ પીડા થતી હોય છે ,
જેવી પીડા દિવસો,વર્ષો,કે યુગો પહેલા એ ક્ષણ વખતે થયેલી...
માટે જ મે કહ્યું છે પરિયા કે ....
જો આવી નબળી ક્ષણન મક્કમ મને પ્રેમથી પસાર થઈ જાય...
તો એની દીવસો, મહિનાઓ, વર્ષો કે યુગો સુધી જીવંત રહેતી વેદના મય
અસરમાથી બચી શકાય અને પછી બચેલી સારી ક્ષણોની અસર ઉમ્રભર ઝણ ઝણાવ્યા કરશે...
આનંદ આપ્યા કરશે....
આટલું સમજાવી અજ્ઞાની જ્યાં બેઠો હતો ત્યાં જ ખુરશી પરં પોઢી ગયો....
અજ્ઞાનીએ મૂછમાં મર્માળું હસતાં હસતાં ,શબ્દો પર ભાર દઈ ખૂબ ધીરેથી કહ્યું હતું...
હાં પરિયા...! હું જાણું છું !
પણ તું ભારે અધિરો છે .
"ઉતાવળિયાને અધૂરું સમજાય"
જોકે આ તો તું જિજ્ઞાસુ છે મારો દોસ્ત છે , માટે, તારી પાછળ સમય બગાડું છું.
'ને મને જે સમજાયું છે એ તને સમજાવવા પ્રયાસ કરું છું.!
બાકી હું જાણું જ છું કે જાત અનુભવે જ માણસ માત્રને બધુ, વધુ ,'ને ખરું સમજાય છે .
એમાં તારો વાંક નથી મોટા ભાગના લોકો વાતનું ઊંડાણ કે મર્મ સમજ્યા વિના અભિપ્રાય આપે છે .
અને સહમતી કે અસહમતી કઈ પણ ઉતાવડે ઉતાવડે પ્રદર્શિત કરતાં હોય છે ...
અજ્ઞાનિની વાત સાંભળી હું ઝંખવાણો પડી ગયો...
પછી મે નીચી મુંડીએ કહ્યું ....
તારી વાત સાચી છે , મે પૂરું સમજ્યા વિના બાફયુ છે...
ખૈર ,,,, તું સમજાવ..!
ત્યારે એણે કહ્યું.
પ્રથમ તો એ સ્પષ્ટતા કરી લઉં કે ...
આ બધુ સમજવું કે મનને આ રીતે કેળવવું એટલું સરળ નથી પરિયા...!
જેટલું લખવું કે બોલવું છે. આ બૌ અઘરું છે...!
હવે સમજવા પ્રયાસ કર પરિયા..!
કે મારાથી જ્યારે લખાઈ ગયું કે ક્ષણ , ક્ષણ ભંગુર છે .
તો જરૂર એમજ હશે નૈ તો આવું લખાય નહીં ...
પછી બૌ મનન મંથન કરતાં સમજાયું કે ...
ક્ષણ માત્ર ક્ષણ ભંગુર જ હોય છે ...
કિન્તુ એ સારી ખરાબ ક્ષણની અસર ક્ષણ ભંગુર નથી હોતી...
કોઈ સુંદર ક્ષણે કોઈના મુખેથી બોલાયેલા પ્રેમાળ શબ્દો. કે સુવાળો સ્પર્શ ..
એ શબ્દો ને સ્પર્શ થકી હ્રદયમાં ઉઠેલા શરીરે અનુભવેલા મનને ઝણ ઝણાવતા સ્પંદનો...
એ ક્ષણની માફક ક્ષણીક નથી હોતા...
યુગો સુધી એ સ્પંદનો છેક ઊંડે ઊંડે સંઘરાયેલા રહે છે ....
જ્યારે જ્યારે એ યાદ આવે છે ત્યારે ત્યારે હ્રદય,,મન, ને શરીર રોમાંચિત થઈ ઊઠે છે...
જેવુ તે સુંદર ક્ષણે થયું હોય છે
એજ રીતે કોઈક નબળી ક્ષણમા કોઈના મુખેથી ઉચ્ચારાયેલા પીડા આપતા શબ્દો....
કે પછી શરીર પર થયેલા પ્રહારો ની વેદના પણ ...!
ભીતર છુપાઈ ને પડી રહે છે ... !
જ્યારે જ્યારે આવી ક્ષણો યાદ આવે છે ત્યારે હ્રદય માં એવિ જ પીડા થતી હોય છે ,
જેવી પીડા દિવસો,વર્ષો,કે યુગો પહેલા એ ક્ષણ વખતે થયેલી...
માટે જ મે કહ્યું છે પરિયા કે ....
જો આવી નબળી ક્ષણન મક્કમ મને પ્રેમથી પસાર થઈ જાય...
તો એની દીવસો, મહિનાઓ, વર્ષો કે યુગો સુધી જીવંત રહેતી વેદના મય
અસરમાથી બચી શકાય અને પછી બચેલી સારી ક્ષણોની અસર ઉમ્રભર ઝણ ઝણાવ્યા કરશે...
આનંદ આપ્યા કરશે....
આટલું સમજાવી અજ્ઞાની જ્યાં બેઠો હતો ત્યાં જ ખુરશી પરં પોઢી ગયો....

No comments:
Post a Comment